Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

Monday, April 25, 2011

Surya Namaskar Health Benefits - સીધી અસર સમગ્ર નાડી તંત્ર ઊપર પડે છે



સ્ત્રીઓમાં થતી સાંધાની તકલીફ બ્લડ પ્રેશરની સમસ્યાઓ હોય તેવા લોકો માટે સૂર્ય નમસ્કાર સુયોગ્ય ઊપચાર.

આજના પ્રગતિશીલ યુગમાં આપણા સૌની જીવનશૈલી પણ સતત પ્રગતિ મેળવવાની પાછળ દોડતી રહે છે એટલે કે આજે એ સમય રહ્યો નથી જેમાં માણસને પોતાની પાસે જે હોય તેનાથી સંતોષ હોય કેમકે વધતી જતી માઘવારી, પરિવારની જવાબદારી અને બીજા અન્ય એવા ઘણા કાર્ય હોય છે જેની પાછળ વ્યકિત સતત રચ્યો પચ્યો રહે છે.

આવા સમયે માણસ પોતના માટે સમય ફાળવી શકતો નથી જેમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી અંગે ઘણો બેદરકાર બની જાય છે.

આજના સમયમાં લોકો આધુનિક સુવિધાને વળગીને રહે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે, આવા સમયે શરીરમાં કુદરતી શકિત પ્રદાન કરનાર સૂર્યનમસ્કાર સિવાય અન્ય કોઈ ઊપાય શાસ્ત્રોમાં મળ્યો નથી. શાસ્ત્રોમાં પ્રાચીનકાળથી સૂર્યનું મહત્વ ખુબ વર્ણવ્યું છે, આજે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યનું મહત્વ પ્રાણીમાત્રના જીવન માટે
અદભુત રહ્યુ છે. સાષ્ટિમાં જે કાંઈ ઊત્પતિ છે તે સૂર્યને લીધે છે. સંપૂર્ણ જગત સૂર્યને આધારે છે. આજે લોકો આધુનિક ઊપકપરણો દ્વારા કસરત કરે છે પરંતુ તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બનશે પણ આંતરિક મનની નબળાઈ સૂર્યનમસ્કારથી જ દૂર થઈ શકે છે. સૂર્યનમસ્કારની અસર સમગ્ર નાડી તંત્ર પર પડે છે. હાલ ગરમીનો સમય ચાલે છે, ત્યારે વહેલી સવારનો જ સમય યોગ્ય રહે છે કેમકે સૂર્ય ઊગે ત્યારે તેના સીધા કિરણોની અસર શરીરમાં સીધી થાય છે. દિવસ દરમ્યાનનો તડકો સ્વાસ્થય માટે હિતકારી નથી. શરીરમાં જુદાજુદા હોર્મોન્સ જેમાંથી સ્ત્રાવ થાય છે, જેને ગ્રંથીઓ કહે છે, અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે ઈન્ડોક્રાઈન ગ્લેન્ડ અત્યંત આધુનિક વૈજ્ઞાનિક શોધ મુજબ શરીરનું સંચાલન આ ગ્રંથિઓમાંથી વહેતા સ્ત્રાવને લીધે થાય છે.

આ તમામ ગ્રંથિઓ પર મુખ્ય નિયંત્રણ પિચ્યુરટી ગ્લેન્ડનું છે, જે મસ્તકના અગ્રભાગમાં આવેલ છે, જેનો વિકાસ
સૂર્યનમસ્કારથી થાય છે. જેનો સીધો પ્રભાવ મસ્તકમાં રહેલા શકિત કેમ્પ્રોને જાગાત કરે છે.

Tuesday, April 5, 2011

Benefits of Drinking Tea Without Milk - વજન ઘટાડવા માટેખૂબ જ ઊપયોગી

 ચામાં દૂધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતાની સામે લડવાના તત્વોમાં વધારે અસરકારક રહેતા નથી.

ચામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે તે બાબતથી દરેક વ્યકિત સારી રીતે વાકેફ છે. આ તત્વો વજનને ઘટાડવામાં ખુબ ઊપયોગી હોય છે. પરંતુ તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જો ચામાં દુધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતા સામે લડવા માટેના તત્વો વધારે અસરકારક
રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જ આ રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ઘણા તારણો આપ્યા છે.
રિસર્ચ મુજબ ચામાં વજન ઘટાડે તેવા તત્વો હોય છે. પરંતુ ગાયના દુઘમાં રહેલુ પ્રોટીનનું પ્રમાણ વજનને
ઘટાડવાની ક્ષમત પર માઠી અસર કરી શકે છે.

ચામાં રહેલા થીફલેવિન્સ અને થિરોબિગિન્સ શરીરમાં ચરબીના પ્રમાણને ઘટાડવા અને કેલોસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ ઊપયોગી છે.

આસામના ટી રીસર્ચ એસોશિએશનના સંશોધકોએ ઉંદરો પર તાજેતરમાં શોધ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે દુધ વગરની ચાર વજન ઘટાડવામાં ઊપયોગી છે.

Tuesday, March 29, 2011

Gujarat Summer Weather - ગરમીને લીધેચકકરઅને લો બીપીની શકયતા

શહેરના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીને કારણે કમળાના કેસો વધ્યા અને તંત્રએ આંખ આડા કાન કર્યા ગરમીનો પારો સતત વધતો રહ્યો છે ત્યારે આ શરીર દઝાડતી ગરમીને કારણે લોકો ગરમીથી બચવાના અનેક ઊપાયો કરે છે.

પરંતુ ગરમીની આ સિઝનમાં લોકાને બીમારીનો ભોગ બનતા વાર લાગતી નથી અને તેથી જ આજે શહેરના જુદાજુદા વિસ્તારોમાં અલગ અલગ કારણોસર બીમારીના કેસો દવાખામાં આવતા જોવા મળે છે.

ઊનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા અને તેના કારણે ફેલાતા રોગચાળાએ ઘર કર્યુ છે.

અમદાવાદીઓ આમતો ખાણીપીણીના શોખીન છે જ પણ ગરમીની આ સિઝનમાં બહારની ખાણીપીણી નુકસાન કરે છે વિગતે જણાવતા ડો. સૌમિલભાઈ કહે છે, હાલના સમયમાં મોટાભાગે કમળો, ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ અને તાવ ના કેસો વધી રહ્યા છે.

ત્યારે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો શહેરમાં ૧૭૦ કેસો નાધાયા છે, અને અઢી માસમાં ૬૬૫ કેસ નાધાયા છે. ઝાડા-ઊલ્ટીના ૧૮ કેસ, ટાઈફોઈડના ૮૦ કેસ, તો કમળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ બીમારી થવાના અનેક કારણો છે કેમકે હાલ બે ઋતુ ચાલી રહી છે વહેલીસવારે ઠંડીનો માહોલ તો બપોર થતા જ દઝાડતી ગરમી. આવા સમયે માથું ભારે થવુ, ચકકર આવવા તેમજ લો બીપી થવાની શકયતા વધી જાય છે, અને એમાંય બિઝનેસ કરતા વ્યકિતઓને તો આખો દિવસ બહાર રહેવાનું હોવાથી પોતાની હેલ્થ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે બીમારી થવા માટે વાતાવરણની સાથે સાથે ખાણીપીણી પણ મહત્વનો ભાગ ભજવે છે કેમકે ગરમીની સિઝનમાં બહરાનો નાસ્તો કરતા લોકો એ નથી જોતા કે ગરમ વાતાવરણમાંરહેતા શાકભાજી કે ગરમ વસ્તુઓનો મસાલો ગરમીના વાતાવરણમાં આવતા વધારે ગરમ થઈ જાય છે.

જે લોકો આવો બહારનો નાસ્તો ખાય છે તેમને ટાઈફોઈડ કે ઝાડા-ઊલ્ટી થવાની પુરી સંભાવના રહેલી છે.