Saturday, May 7, 2011

Coconut Oil Health Benefits - For Skin Care

આપણા સૌના સાદર્ય ને દેખાવનો મુખ્ય આધાર ત્વચા પર રહેલો છે. તેથી જ ત્વચાની સૌથી વધુ સંભાળ રાખવામાં આવે છે. કેટલાંક તૈયાર સાદરેય પ્રસાધનોની સાથે આપણા રોજદા આહારમાં લેવાતા તત્વોનું પણ મહત્વ ઘણું હોય છે.

પ્રાચીનકાળથી આપણે ત્યાં નારિયેળ ને નારિયેળતેલની વપરાશ વધુ જોવા મળે છે.આપણી સંસ્કાતિ, પરંપરાઓ અને આપણા ખાવાપીવાની આદતોમાં નારિયેળનો એક અભિન્ન હિસ્સો રહ્યો છે.

નારિયેળ તેલમાં લગભગ ૪૦ ટકા લોરિક એસિડ હોય છે જે માતાના દૂધમાં પણ હોય છે. લોરિક એસિડ જીવાણુઓ, યીસ્ટ, ફૂગ સહિત રોગજન્ય સૂક્ષ્મજીવાણુઓને દૂર કરે છે. નારિયેળ ને નારિયેળતેલમાં ત્વચાને પોષણ આપવાની સાથે કોઈ જખ્મ પર ચમત્કારિક રીતે ફાયદો કરવાની ક્ષમતા હોય છે. તેનાથી ત્વચા મુલાયમ, નરમ ને રેશમી બને છે. અને રંગરુપ નિખરે છે.

નારિયેળતેલમાં ઘણા એન્ટિઓકિસડેન્ટ ગુણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી સુરક્ષિત રાખે છે.
નારિયેળમાં મુખ્યત્વે મીડીયમ સેન ટ્રેયગ્લિસરાઈસ એટલે કે એમ.સી.ટી હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવાના
અનેક ગુણો ધરાવે છે.

આહારમાં એમ.સી.ટી. યુકત ભોજન લેવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે ને ચયાપચયની ક્રિયામાં લાભદાયી નીવડે છે. તેમજ શરીરનું વજન પણ ઓછું થાય છે કારણે નારિયેળયુકત આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય
છે. નારિયળ તેલ ડાયાબિટીસવાળી વ્યકિતને પણ લાભ આપે છે.

એમ.સી.ટી.ની વિશેષતાને કારણે નારિયેળતેલ એ અગ્નાશયના એન્ઝાઈમના ઊત્પાદનની માંગને ઓછું કરે છે
જેનાથી ભોજન સમયે જયારે ઈન્સ્યુલિન વધુ માત્રામાં તૈયાર થાય છે જેથી શરીરને અંદર ને બહાર એમ બંને રીતે ફાયદો કરે છે.

Friday, May 6, 2011

Mojari Shoes India - અવનવી અને સ્ટાઇલિશ




શૂઝ, ફલેટ ચંપલ, સ્નીકર્સ વગેરે. તેમાંય ફેન્સી અને ટ્રેડિશનલ મોજડી અત્યારે ઇનથગ છે. પહેલાં તો બ્લેક,
વ્હાઇટ, ગ્રીન, યલો, જેવા પ્લેન કલરની અને હાઇ હીલ કે પેન્સિલ હીલની મોજડી યુવતીઓને લાભાવતી હતી અને તે પહેરવાનું ચલણ વેસ્ટર્ન વેર પર વધારે રહેતું હતું.

મિની સ્કર્ટ, ફ્રોક, મીડી, ઇવનગ ગાઊન જેવા પોશાકો સાથે મોજડી સરસ લાગે પરંતુ હવે સમય સાથે તેની ડિઝાઇન પણ બદલાઇ છે. મોજડી પહેરવાના કારણે લુક એકદમ રિચ લાગે છે જયારે એથનિક મોજડી પરંપરાગત વસ્ત્રો સાથે પહેરવામાં આવે તો રજવાડી લુક મળે છે.

અત્યારે તો તમે રૂટિનમાં અને પરંપરાગત પોશાક સાથે પણ મોજડી પહેરી શકો છો. ભારે ડ્રેસીસ, સાડી કે ચણિયાચોળી સાથે ટીકી અને આભલાના વર્કવાળી મોજડી મળે છે. જેમાં કાપડ પર ખૂબ જ બારીકાઇથી ટીકી, આભલા, મોતી, સ્ટોન અને કોડી લગાવવામાં ઓ છે.

ખાસ કરીને રાજસ્થાનછ તથા કચ્છી કારીગરો આ મોજડીઓ બનાવે છે. છોકરાઓ પણ ઝભ્ભા લઘા, શેરવાની પર આવી ટ્રેન્ડી મોજડીઓ પહેરવાનું પસંદ કરે છે. અત્યારે અનારકલી ડ્રેસીસ, બાંધણીના ડ્રેસીસ સાથે યુવતીઓ રંગબેરંગી ઝૂલવાળી, છોગાવાળી તથા લટકણવાળી એથનિક મોજડી પહેરવી પસંદ કરે છે.

રૂટિનમાં પણ મોજડી યુવતીઓ વધારે છે. ખાસ કરીને જેને ચાલવાનું વધારે રહેતું હોય, કારણ કે આ મોજડીઓમાં વધારે હીલ નથી હોતી તેથી તે પહેરવાના કારણે પગ દુખતા નથી અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે.

- જે છોકરીઓની હાઇટ વધારે હોય તે ટ્રેન્ડી અને ફલેટ મોજડી પહેરીને પોતાની હાઇટ ઓછી દેખાડી શકે છે.
- વ્હાઇટ અથવા તો હળવા રંગના કુર્તા ને પાયજામાં પર બ્રાઊન, ક્રીમ કે કોફી રંગની મોજડી પહેરો.
- ચૂડીદાર પહેરો ત્યારે મોજડી પહેરશો તો ગેટઅપ સરસ આવશે.
- મોજડી ખરીદો ત્યારે શોપમાં તે પહેરીને થોડું ચાલો જેથી તે પહેરવામાં સરળ છે કે નહી તેનો અંદાજ આવે. નવી મોજડીમાં પગ છોલાતા હોય તો ત્યાં થોડું દિવેલ લગાવીને પહેરો.

Skin Care Tips - સંભાળ

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોય કે યુવાનદરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે.

કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ :- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પર્તુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો
ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી,નીમપત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.

સાબુને બદલે આયુર્વેદિક નહાવાના પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂરકાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ. તથા ત્વચા નિખરે છે.

સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.

દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.

સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે
વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

સનબર્ન :- સેન્સિટિ છ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ.

કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.

કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.

તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી સૂકી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ભેળવી રોજ-૧૫-૨૦ મિનિટ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ :- આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ
હિતાવહ છે.

કપૂરકાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ
કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.

તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.
રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.
દહીમાં ચપટી હળદર નાખીને પણ લેપ કરવાથી ફાયદો થાય છે.
વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.
કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે.
જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

Wednesday, May 4, 2011

Vegetarian Diets - આહારમાં પૂરતા પ્રમાણમાં

તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ મુજબ એ બાબત સાબિત થઈ છે કે જો યોગ્ય પ્રમાણમાં લીલા શાકભાજીનો ઊપયોગ કરવામાં આવે તો પણ વ્યકિત સંપૂર્ણપણે ફીટ રહી શકે છે.

શરીરને સ્વસ્થ રાખવામાં શાકભાજી ખૂબ મહત્વની ભૂમિકા ધરાવે છે. વટાણા, ગાજર અને પાલક જેવી શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.

ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કેટલાંક લોકો ગમ તેટલું જમે તો પણ તેની અસર દેખાતી નથી જયારે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ ઓછું જમતા હોવા છતાં ખૂબ સ્વસ્થ રહે છે. હકીકતમાં એ બધી બાબતો આહાર પર આધાર રાખે છે.

તમા જમવામાં કઈ ચીજ વસ્તુઓનો ઊપયોગ કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે લોકોને એ બાબતની માહિતી નથી હોતી કે તેમના શરીર માટે કઈ ચીજ ફાયદાકારક ને કઈ ચીજ નુકશાનકારક હોય છે.આ
બાબતની પૂરતી મહિતી ના હોવાના કારણે લોકો જમવામાં કોઈપણ ચીજનો ઊપયોગ કરતા હોય છે અને જેના પરિણામ સ્વરુપે જોઈએ તેટલા સ્વસ્થ રહી શકતા નથી.

વટાણાને કારણે કોઈ શાકનો સ્વાદ તો વધે જ છે એ ઊપરાંત તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘણું જોવા મળે છે.
ગાજરમાં પણ વિટામીન મોટા પ્રમાણમાં હોય છે. જો આ ચીજ પસંદ ના હોય તો બીજી ઘણી એવી ચીજો હોય છે કે જેમાં વિટામીન પૂરતા પ્રમાણમાં હોય. એની જગ્યાએ મેથીનો ઊપયોગ કરી શકાય.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મેથી મહત્વની ભૂમિકા ભજવે છે. મેથી ડાઈજેશનમાં પણ ચાવીરુપ ભૂમિકા અદા કરે છે. પેટના ઈન્ફેકશન, માઊથ અલ્સર ને ડાયાબિટીસ જેવી તકલીફોમાં પણ મેથી ખૂબ અસરકારક સાબિત થતી હોય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન તે બાળકને માતા બંને માટે અસરકારક હોય છે. ડુંગળીમાં પણ વિટામિન સી ઘણા પ્રમાણમાં હોય છે. જો કોઈ કારણસર ડુંગળી ના ખાતા હોવ તો તેની જગ્યાએ વ્હીટ બ્રેડ, બ્રાઊન રાઈસનો ઊપયોગ કરી શકાય છે.

આ તમામ ચીજો ફાઈબર્સથી ભરપૂર રહે છે. વિટામીન સી મેળવવા માટે ટામેટા, લબુ, આમળા, સંતરા, કેબેજ વગેરેનો ઊપયોગ કરી શકાય. પાલકમાં ફાઈબર ને પોટેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને સૌથી સારી બાબત એ છે કે પાલકની કમત પણ અન્ય શાકભાજીના પ્રમાણમાં ઓછી હોય છે.

તેના વિકલ્પ તરીકે ફુલાવરનો ઊપયોગ કરી શકાય. આપના આહારમાં લીલા શાકભાજીનો પૂરતા પ્રમાણમાં
ઊપયોગ કરો અને આપનું સ્વાસ્થ્ય જાળવી રાખો !

Tuesday, May 3, 2011

Aromatherapy Health Benefits - ગરમીમાં રાહત

મોગરો :- આમ તો આ ગરમીમાં એક ખાસ સુવાસલાળુ ફૂલ છે. તેની ભીની સુગંધ તન-મનમાં ઠંડકનો અહેસાસ પણ કરાવે છે. આના ફૂલને રૂમાલ કે કપડાંની અંદર મુકવાથી ઠંડી તાજગીનો અનુભવ થાય છે.

પરસેવાની દુર્ગંધ હટાવવા માટે ૮ તાજા ફૂલોને અડધાન પ્યાલા પાણીમાં સારી રીતે મસળી લો. આ પાણીનો લેપ આખા શરીર પર રગડો, ત્વચા મોગરાની ઠંડી સુગંધથી મહકી ઊઠશે. જો તમે ચાહો તો ન્હાવા માટેના પાણીમાં પ-૬ મોગરાના ફૂલ મસળીને પણ તે પાણીથી સ્નાન કરી શકો છો. ત્વચામાં સનસનાતી પ્રાકાતિક ઠંડકનો અનુભવ થશે.

ગુલાબ :- આમ તો ગુલાબ ત્વચાનું સૌંદર્ય નિખારવામાં નિપુણ છે. ગુલાબના ફૂલોના પાન ત્વચાને પોષણ આપે છે. ત્વચાના રોમ-રોમને સુગંધિત બનાવે છે. ઠંડક પ્રદાન કરે છે.

ગુલાબના ૨ ફૂલોને વાટીને અડધો ગ્લાસ કાચા દૂધમાં ૩૦ મિનિટ સુધી પલાળો, પછી તે લેપને ધીરે ધીરે ત્વચા પર રગડો, સુકાયા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. શરીરની ત્વચા નરમ, મુલાયમ અને ગુલાબી જેવી લાગશે. ગરમીમાં ગુલાબના ફૂલોનો રસ ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઠંડી તાજગી કાયમ રહે છે.

કેવડો :- આમ તો આ એક સરસ સુગંધનું ફૂલ છે. આનું અત્તર ઊનાળામાં શરીરને શીતળતા પ્રદાન કરે છે કેવડાના પાણીથી સ્નાન કરવાથી શરીરની બળતરા અને દુર્ગંધથી મુકિત મળે છે. ગરમીમાં રોજ કેવડાયુકત પાણીથી સ્નાન કરવાથી શરીરમાં શીતળતા બની રહ છે.

ગલગોટો :- આના પીળા કેસરિયા ફૂલ ત્વચા પર નિખાર લાવવા માટે વિશેષ ઊપયોગી છે. સ્કિન ટોનિક બનાવવા માટે પ ગલગોટાના તાજા ફૂલોના પાનને એક પ્યાલામાં પલાળો. ૩ કલાક પછી પાનને પાણીમાં મસળીને ગાળી લો. આ પાણીનો લેપ ત્વચા પર કરો. થોડીવાર પછી સ્નાન કરી લો. ત્વચાનું સૌંદર્ય તો નીખરશે જ સાથે સાથે ઠંડકનો અનુભવ પણ થશે.

રાતરાણી :- આના ફૂલ રાત્રે જ ખીલીને મહકે છે. એક ટબ પાણીમાં આના ૧પ-૨૦ ફૂલના ગુચ્છા નાખી દો અને ટબને બેડરૂમમાં મુકી દો. કૂલર અને પંખાની હવાથી ટબનું પાણી ઠંડુ થઇને રાતરાણીની ભીની ભીની સુગંધથી
મહકી ઊઠશે. સવારે રાતરાણીના સુગંધિત પાણીથી સ્નાન કરો. આખો દિવસ શરીરમાં તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધ પણ નહી આવે.

કમળ :- કમળના ફૂલને ધારણ કરવાથી શરીરમાં ઠંડક રહે છે. ગુમડાં વગેરેથી છુટકારો મળે છે. શરીર પર વિષનો કુપ્રભાવ ઓછો થાય છે. ગુલાબ, બેલા, જૂહી વગેરેના અલંકારના હ્ય્દયને પ્રિય હોય છે. આનાથી જાડાપણું ઘટે છે. ચંપા, ચમેલી વગેરેના પ્રયોગથી શરીરની અગ્નિમાં કમી અને રકત વિકાર દૂર થાય છે.

Men Beauty Tips 2011 - સુંદર દેખાવાના ધખારામાં વધતો ક્રેઝ

કોસ્મેટીક સારવાર નુકસાન કરી શકે છે છતાં યુવાનો સારવાર લેતા ૩૫૦ થી ૫૦૦ સુંધીનો ખર્ચ કરે છે.

દેશના શહેરી વિસ્તારોમાં લોકો ધીમે ધીમે સ્વાસ્થ્યની કાળજી બાબતે સભાન થતા જાય છે તે રીતે સાદર્ય પાછળ પણ આંધળો ખર્ચો કરતાં થયા છે.

આશ્ચર્યની બાબત એ છે કે મહિલાઓની સાથે સાથે યુવાનો (પુરુષ વર્ગ) પણ બ્યુટી પાર્લરની મુલાકાત રેગ્યુલર લેતા થયા છે અને સુંદર દેખાવા માટે કોસ્મેટીક સર્જરી પણ કરાવવા લાગ્યા છે. અને તેનો ક્રેઝ પણ વધવા લાગ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર કોસ્મેટીક સારવાર વધારે પડતી લેવામાં આવે તો નુકસાન કરી શકે છે.

સુંદર દેખાવાની દોડમાં મુંબઇ, દિલ્હી, બગ્લોર પછી અમદાવાદ જેવા શહેરના યુવાનોમાં કોસ્મેટીક સારવાર
ઘેલછાની હદે લોકપ્રિય બની છે. કોસ્મેટીક સર્જરીના માર્ગે સામાન્ય મધ્યમ વર્ગથી થોડાક ઊપરના સ્તરમાં આવતાં લોકો કોસ્મેટીક સારવાર તરફ વઘતા જાય છે. શહેરના પશ્ચિમ વિસ્તારના ૪૮ ર્વિષય એક ગાૃહિણીએ
કબુલાત કરતાં જણાવ્યું હતું કે તે છેલ્લાં પાંચ વર્ષથી કોસ્મેટીક ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.

મહિલાએ કહ્યું કે મને કોઇ સમસ્યા કયારેય નડી નથી. આપણા દેશમાં કોસ્મેટીક સર્જરી માઘી છે. છતાં આની ચતા લોકો કરતાં નથી. દિલ્હી સહિતની વિવિધ હોસ્પિટલોમાં કલોઝ ટ્રીડીયન બોટુલિનમ નામની સારવાર કરાવે છે.

Monday, May 2, 2011

Gujarat Jewellery Online - વેપારમાં ધરખમ ફેરફારો

છેલ્લા એક દાયકામાં સોનાના ભાવમાં અકલ્પનિય વધારો થયો છે. આથી સોનામાં રોકાણ કરનારાઓને અઢળક વળતર મળ્યું છે. આથી આ ક્ષેત્રના રોકાણકારોનો ઊત્સાહ બમણો થયો છે. સોનાની સાથોસાથ ચાંદી-પ્લેટિનમ જેવી ધાતુઓના ભાવો પણ આસમાને પહાચતાં આ ક્ષેત્રના રોકાણકારોને પણ ખરા અર્થમાં "ચાંદી જ ચાંદી"ની અનુભૂતિ થઇ છે.

છેલ્લાં દશેક વર્ષમાં સંપન્ન લોકો વધુ ને વધુ પ્રમાણમાં આવી મૂલ્યવાન ધાતુઓમાં અને તેનાં ઘરેણાંમાં રોકાણો કરવાનું વલણ ધરાવે છે. ખાસ કરીને સોનાના ભાવ સતત વધતા રહ્યા છે. આથી એવું માનવામાં આવતું હતું કે, તેના વેચાણમાં ઘટાડો થશે. જો કે આવી ધારણાથી વિપરીત સોનાના વેચાણમાં અકલ્પનિય વાૃદ્ધિ થઇ છે.

વેપારમાં પરિવર્તન ગ્રાહકોનો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, સોનાનાં અલંકારોની ડિઝાઇન્સમાં અને તેની
બનાવટમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. જો કે ઘરેણાંના વેપલામાં કોઇ બદલાવ આવ્યો નથી. હવે સોનાનાં ઘરેણાંના વેપારમાં પણ બદલાવ આવી રહ્યો છે. સોનાના ભાવ આસમાને પહાચ્યા છે. ઘરેણાં પણ અતિશય
માઘાં થયાં છે ત્યારે તેના ખરીદનારાઓ છેતરપડીનો ભોગ ન બને તેવી દૃષ્ટિએ વેપારમાં પરિવર્તન આવી રહ્યું છે.

આવા પ્રયાસના ભાગરૂપે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની દિશામાં પ્રથમ ચરણરૂપે હોલમાર્ક ફરજિયાત થવાની સંભાવનાઓ વધી રહી છે. અત્રે ઊલ્લેખનીય છે કે અગાઊ બે બે વખત સરકારે અલંકારોમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાની જાહેરાતો તો કરી હતી પણ તેનો અમલ થઇ શકયો નહોતો. કારણમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, સુવર્ણ અલંકારોના વેપારીઓ હોમલાર્ક માટે જરૂરી પેપર્સ અને હોલવર્કનો બિલકુલ અભાવ હતો. હોલમાર્કના અમલ માટે કોઇ જ તૈયારી નહોતી.

આથી એ સમયે વેપારીઓએ હોલમાર્કને મુદ્દે મહેતલ માગી હતી.આ મુદ્દે સરકારને વેપારીઓની માગણી વાજબી લાગી હતી. હોલમાર્ક ફરજિયાત બનાવવામાં વેપારીઓને મુદત આપવામાં આવી હતી. જેથી સંદર્ભ વેપારીઓ માટે વેપારીઓને સમય મળી શકે. જો કે એ સમયે સરકારે ફોડ પાડ્યો જ હતો કે ભવિષ્યમાં હોલમાર્ક ફરજિયાત
બનાવવાને મુદ્દે તે કાૃતનિશ્ચયી છે જ.

સંસદમાં પ્રસ્તાવ કેટલાક લાલચુ વેપારીઓ સોનાનાં ઘરેણાંના વેચાણમાં ગ્રાહકોને લૂંટતા હોય છે. અવારનવાર આ બાબતે ફરિયાદોપણ સાંભળવા મળતી હોય છે. સોનું એટલી બધું માઘું છે કે તેમાં જરા સરખી ભેગ પણ ગ્રાહકોને મોટું ર્આિથક નુકસાન કરી શકે છે. આથી કેન્દ્ર સરકાર શકય તેટલા ઝડપથી હોલમાર્ક ફરજિયાત બનાવવા માગે છે. ગ્રાહકોના હિતની સુરક્ષા માટે અને ખાસ તો તેમને છેતરપડીથી બચાવવાના ઊપાય તરીકે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવા કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા એક પ્રસ્તાવ આવનરો છે. આ પ્રસ્તાવ મુજબ બ્યૂરો આૅફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એકટ ૧૯૮૬માં સુધારો કરવાના હેતુ સાથે જવેલરી સેકટર સહિત આઇટી, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી જેવા ઊભરતાં સેકટરોના વિકાસનો માર્ગ મોકળો કરવા જરૂરી અને વાજબી
ધારાધોરણે પ્રમાણિત કરવાના તથા તેને ફરજિયાત બનાવવાના આશયથી આ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવનારો છે. ઊપરોકત પ્રસ્તાવમાં કેન્દ્રીય કેબિનેટની લાગણી વ્યકત કરવામાં આવી છે કે, "જવેલરીના ક્ષેત્રમાં કેટલાક લેભાગુ વેપારીઓ ગ્રાહકોને છેતરીને તેમના ભોળપણનો લાભ લઇ રહ્યા છે.

સોના, ચાંદી, પ્લટિનમ જેવી ધાતુઓના ભાવો સતત વધતા રહ્યા છે. આવા સંજોગોમાં છેતરપડી વધવાની દહેશત છે. વળી આવા કેટલાક લોભી વેપારીઓની ખોરા ટોપરા જેવી દાનતને કારણે આ ક્ષેત્રમાં જે પ્રમાણિક અને નિષ્ઠાવાળા વેપારીઓ છે તેમણે પણ સહન કરવું પડે છે કારણ કે તેમને પણ ગ્રાહકો શંકાની દૃષ્ટિએ જોતા હોય છે. આવા સંજોગોમાં જવેલરીમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાનું અતિશય આવશ્યક બન્યું છે."

ગ્રાહકોને બેવડું નુકસાન કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોભી-લાલચુ વેપારીઓ અલંકારોના વેચાણમાં તો ગ્રાહકોને મૂંડે છે પણ ગ્રાહક અલંકારો વેચવા આવે ત્યારે પણ તેમને મૂડવામાં આવે છે. ઘરેણાંની
પરત વહચણીમાં પણ ગ્રાહકોએ ર્આિથક નુકસાની ભોગવવી પડતી હોય છે.

આનું પરિણામ એ આવ્યું છે કે, આવી બેવડી નુકસાનીથી વેચવા માટે ગ્રાહકોનું અલગ વલણ જોવા મળ્યું છે. સોનાનાઅલંકારોમાં રોકાણ કરનારાઓ હવે સોનાના અને ચાંદીના શુદ્ધ અને ગેરંટીવાળા સિક્કાઓની ખરીદી તરફ વળ્યા છે. આથી સમગ્ર જવેલરી ઊદ્યોગને નુકસાન થાય છે. ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો સોનાનાં ઘરેણાંમાં
રોકાણ કરતા થયા છે. પણ તેની ખરીદી અને પુનઃ વેચાણમાં છેતરપડી અને ર્આિથક નુકસાનીને ધ્યાને રાખીને તેઓ પણ સોના-ચાંદીનાં અલંકારોને બદલે તેના શુદ્ધ તથા ગેરન્ટીવાળા સિક્કાઓ ખરીદતા થયા છે.

આવા સંજોગોમાં અલંકારોના ઊત્પાદન પર અસર પડશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. આમ, સોના-ચાંદીના ઘરેણાંની અવેજીમાં તેના સિક્કાઓના વેપારનો વ્યાપ વધતો જાય છે. આ પણ એક નવો બદલાવ જોવા મળે છે. ઘરેણાંની મજૂરીમાં બદલાવ સોનાનાં અલંકારો માટે હોલમાર્ક ફરજિયાત થવામાં છે.

દરમિયાનમાં અલંકારો ઘડવાની મજૂરીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અત્યાર સુધી શું હતું કે સોનાના દાગીનામાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ હતું. જો કે નજીકના ભવિષ્યમાં મજૂરી વસૂલવાની સિસ્ટમમાં પણ
પરિવર્તન આવી રહ્યું છે.

ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે. દાગીનાની મજૂરી વસૂલવાનું આવું પરિવર્તન આવતાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ ભૂતકાળની બાબત બની જશે. રાજકોટના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં સોનાના દાગીનાની વજન મુજબ ગ્રામદીઠ મજૂરી લેવામાં આવે છે પણ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવોમાં સતત વધારો થવાના કારણે વેપારીઓનું મૂડીરોકાણ વધ્યું છે. આ ભાવવધારાની સરખામણીમાં ગ્રામદીઠ મજૂરીના ચલણના કારણે વેપારીઓને યોગ્ય વળતર મળતું નથી. આવા સંજોગોમાં જવેલર્સની એક જનરલ મીટગ મળી હતી અને આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બાબતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે મજૂરીની વસૂલવામાં પણ બદલાવ લાવવો એવી માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ ભારતમાંસોનાના ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવામાં આવે છે. જયારે ગુજરાતમાં ગ્રામદીઠમજૂરી વસૂલવામાં આવે છે. ગુજરાતમાં શહેરદીઠ (વજનદીઠ) મજૂરીમાં પણ તફાવત જોવા મળ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતમાં સોનાના ભાવની ટકાવારી મુજબ મજૂરી લેવાની નવી પદ્ધતિઅપનાવવામાં આવે તો તમામ શહેરોમાં મજૂરી વસૂલવાના દરમાં જે
વિસંગતતા જોવા મળે છે તે દૂર કરી શકાશે. જો કે સોનાના ભાવના આધારે અલંકારો પર મજૂરી વસૂલવાની નવી સિસ્ટમ અમલમાં આવશે તો તેનાથી ગ્રાહકો માટેઘરેણાં વધુ માઘાં થશે તે ર્નિિવવાદ બાબત છે. જો આમ થશે તો સોનામાં રોકાણ કરનારાઓ અલંકારોને બદલે સોનાના સિક્કાઓ રોકાણ કરતા થશે તે વાત નક્કી છે.
સોનાના વેપલામાં જે બે પરિવર્તનો આવી રહ્યાં છે તે પૈકી હોલમાર્ક ફરજિયાત થતાં છેતરપડી ઘટશે તો સાથોસાથ અંલકારો પર ગ્રામદીઠ મજૂરી વસૂલવાને બદલે સોનાના ભાવ મુજબ મજૂરી વસૂલવાનો બદલાવ આવતાં ગ્રાહકોને ઘરેણાં વધુ માઘાં પડશે. આ તો "એક હાથ સે દિયા દૂસરે હાથસે વસૂલા" જેવો ઘાટ થશે ! ગ્રાહકની હાલત તો ઘાંચીના બળદ જેવી જ રહેવાની છે !