Thursday, April 28, 2011

Junk Food Diet - બાળકોને મેદસ્વી બનાવી રહ્યું છે

જંકફૂડ - બદલાયેલી લાઇફ સ્ટાઇલની દેન.

* વ્યસ્ત રહેતા પરિવારો ઘરે જમવાનું ઓછું બનાવે છે અને બહારનું જમવા વધારે જાય છે.
* સસ્તું અને સરળતાથી ‘ફાસ્ટફૂડ અને જંગફૂડ’ની ઊપલબ્ધતા વધી છે.
* ઘરે અને રેસ્ટોરન્ટમાં પણ જંકફૂડનો ઊપયોગ વધ્યો છે.
* બાળકો રમત-ગમત (મેદાનની) ઘટી છે જયારે વિડિયોગેમ, ટીવી અને કોમ્પ્યુટર વધ્યું છે.
* મોટાભાગી સ્કૂલોમાં ફિઝિકલ એજયુકેશન અને કસરત આપવાનું બંધ કરી દીધું છે.

સ્કૂલોની કેન્ટીનમાં આ જંકફૂડ ન મળવું જોઇએ.

* નટ્સ
* તપેલી વેફર, તપેલા
બટાકાની કોઇપણ
આઇટમ
* આઇસ્ક્રીમ અને
ચાૅકલેટ
* લોલીપોપ, ચગમ
* વેફર
* બર્ગર
* ફ્રૂટી ડ્રક
* સોફટ ડ્રક

સ્કૂલોની કેન્ટીનમાં શું મળે તો તે આદર્શ/સારં કહેવાય

* બ્રેડ (ગ્રીનવ્હાઇટ)
* બાફેલા કે શેકેલા બટાકા
* મકાઇ
* બાફેલા ઈંડા
* શુદ્ધપાણી
* સોયામિલ્ક, ચીઝ
* સોયાબિન
* જામ

શહેરમાં આવેલી સ્કૂલોમાં ‘જંકફૂડ’ના વેચાણમાં ધૂમ વધારો જોવા મળ્યો છે કારણ કે વિદ્યાર્થીઓમાં જંકફૂડ
આરોગવાની પેટર્ન બદલાઇ છે. હવે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જંકફૂડ આરોગવાનું પસંદ કરે છે. અમદાવાદ
સહિતની પાંચ મોટી સિટીઓની સ્કૂલોમાં આવેલ કેન્ટીનોનો સર્વેમાં સમાવેશ કરાયો.

જેમાં ૨૫ ખાનગી અને સરકારી સ્કૂલોમાંથી ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સર્વે કરાયો જેમાં જાણમાં આવ્યું કે સ્કૂલોની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ એક અઠવાડિયામાં ચારવાર જંકફૂડ આરોગે છે. જેમાં અડધા જેટલાં વિદ્યાર્થીઓ
અઠવાડિયામાં એકવાર ઈંડા ખાય છે. તેમનાં મોટાભાગના વિદ્યાર્થીઓ જેમની પર સર્વેકરાયો તેમણે જણાવ્યું કે દિવસના અંત સુધીમાં તેઓ ખૂબ થાકી જાય છે.

તેઓ માત્ર દિવસમાં ૧૦ મિનિટ માંડ ચાલતા હશે અને જંકફૂડના કારણે તેમનામાં પોષકતત્ત્વોની ઊણપના કારણે વિવિધ પ્રકારના લક્ષણો સામે આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કમજોરીનો અહેસાસ કરે છે.

આ સર્વેમાં ખાસ એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે સ્કૂલની કેન્ટીનમાં જઇને વિદ્યાર્થીઓ અઠવાડિયામાં બેવાર કયું જંકફૂડ આરોગે છે આ અંગે એક સ્કૂલની વિર્દ્યાિથનીએ જણાવ્યું કે હું અઠવાડિયામાં બેવાર સ્કૂલની
કેન્ટીનનો નાસ્તો (જંકફૂડ) લઉં છું. જેમાં અઠવાડિયા મને ૨૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે. પાઉંભાજી અને ચણાપુરી મારી સૌથી ગમતી ડિશ છે મને ખબર છે કે આ જંકફૂડ ખાવું સારંુ નહિ પણ હું એવો પ્રયત્ન કરં છું કે મારા જમવાના લંચ બોકસની સાથે થોડું જંકફૂડ પણ એડજેસ્ટ કરી શકાય.

ધોરણ-૫માં અને ધોરણ-૩માં ભણતા બે બાળકોની માતા રાધિકાબહેન જણાવે છે કે મારા બાળકો સ્કૂલમાં ભણે
છે તેમના લંચબોકસમાં તેમને ખૂટતા પોષકત્ત્વો મળે તેવો આહાર હું તેમને આપું છું. પણ તેઓ હંમેશા મારી પાસે
સ્કૂલની કેન્ટીનમાંથી ચીપ્સ અને પાસ્તા ખરીદીને ખાવા માટે પૈસા માંગે છે. હું તેમને લંચમાં રોટલી અને શાક આપું તો તેવું ને તેવું લંચબોકસ ઘરે લઇને પરત ફરે છે ત્યારબાદ હું એવું માનંુ કે કંઇના ખાવ એના કરતાં કેન્ટીનમાંથી થોડો નાસ્તો કરી લેશે તો ચાલશે.

આ સર્વેમાં મ પણ જાણવા મળ્યું કે સ્કૂલોમાં કેન્ટીન ચલાવનારા ૭૫ ટકા સંચાલકોએ કબૂલ્યું કે તેઓ હેલ્થ માટે
સજાગ છે પણ તેમનો પહેલો ઊદ્દેશ્ય તો માત્ર રૂપિયા કમાવવાનો છે. ૮૦ ટકા માતા-પિતા એમ ઈચ્છે છે કે તેમનું
બાળક તો માત્ર ઘરનું જ ખાય જયારે ૩૯ ટકા માતા-પિતા બાળકોને રોજના ૨૦- ૪૦ રૂપિયા આપી સ્કૂલની કેન્ટીનમાંથી જંકફૂડ ખરીદીને ખાઇ લેવા જણાવે છે. શહેરની સ્કૂલોની કેન્ટીનમાં મળતાં જંકફૂડની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં હવે મેદસ્વીપણાની સમસ્યા સામાન્ય બની રહી છે તેવું જાણકારો કરે છે.

Wednesday, April 27, 2011

Autism Cures - with Homeopathy

‘ઓટીઝમ’ શબ્દ આજના સુશિક્ષિત ને જાગાત માતાપિતા માટે અજાણ્યો શબ્દ નથી. પરંતુ અનેક સંશોધનો થયા હોવા થતાં તેનો ચોક્કસ ઈલાજ હજુ શોધાયો નથી.

પરંતુ ઓટીઝમ માટે હોમિયોપેથીને અસરકારક માનવામાં આવે છે. જો બાળક જન્મ બાદનાં છ માસ સુધી નજર ના મેળવે, હસે નહ, નામથી બોલાવતા બરાબર પ્રતિભાવ ના આપે, બાળક બોલવાની શરુઆત કરતાં પહેલાં
જે અસ્પષ્ટ શબ્દો બોલે તેનો અભાવ હોય તો નિષ્ણાંતોની સલાહ લેવી જરુરી બને છે.

કારણકે તે ઓટીઝમ અથવા ઓટીઝમ ટ્રેપ્સ હોઈ શકે છે.તેઓ એકલાં જ રમવું, એક જ જાતનાં રમકડાં થઇ રમ્યા કરવું, એક જ પ્રકારનાં ખોરાક ને કપડાં પસંદ કરે. તેઓ બદલાવ સહન નથી કરી શકતા.

બાળકને જેટલી નાની ઉંમરમાં હોમિયોપેથિક સારવાર આપવામાં આવે તેટલી ઝડપથી બાળક સારું થઈ શકે છે.

ઓટીઝમનાં કારણો - જિનેટીક ખામી-જો કે આ ચોક્કસ સાબિત થયું નથી.છતાં તેને નકારી ના શકાય.
- મસ્તિષ્કમાં ન્યુરોટ્રાન્સમીટર ને સિરોટોનીનની માત્રામાં ફેરફાર
- ગર્ભાવસ્થા દરમ્યાન માતાને માનસિક આઘાત, તણાવ, પડવું, વાગવું કે નુકશાનકારક દવાનું સેવન.
- પ્રસૂતિ દરમ્યાન વધુ સમય લાગવો, બ્લ્યુ બેબી,ખચ આવવી, જન્મ સમયે ઈજા થવી.
- વાતાવરણને લગતાં કારણો

ઓટીઝમની સારવાર :- હોમિયોપથી ઓટીઝમમાં અકસીર પુરવાર થઈ રહી છે. હોમિયોપથી આવાં બાળકોમાં
ન્યુરોઈમ્યુનિટી ને તેમનો રેઝિસ્ટન્સ(રોગ પ્રતિકારકશકિત) વધારે છે.

બાળકોનાં આયકોન્ટેકટમાં ફેરફાર થાય છે. સમજણશકિતમાં ઘણો ફેરફાર થાય છે. ને અવાજનો ડર ઓછો લાગે
છે. લોકો સાથે બાળક હળીમળીને લાગણી દર્શાવી શકે છે. આ ઊપરાંત શાળામાં પણ બાળકનો દેખાવ સુધરે છે. આવાં બાળકોને સાંભળવા એ એક પડકાર છે,પરંતુ સમજ,ધીરજ ને ખંતથી ને હોમિયોપેથીક સારવારથી
બાળકને આ તકલીફમાંથી બહાર લાવી શકાય છે.

હોમિયોપથીની આડઅસર નથી તેમજ લેવામાં સરળ છે ને બાળક સામેથી દવા માંગે છે.ઓટીઝમથી નાસીપાસ થયા વગર યોગ્ય ઊપચારથી બાળકમાં નવચેતનાનો સંચાર થાય એ જ માતાપિતા માટે આનંદદાયક અનુભવ બની રહે છે.

Monday, April 25, 2011

Surya Namaskar Health Benefits - સીધી અસર સમગ્ર નાડી તંત્ર ઊપર પડે છે



સ્ત્રીઓમાં થતી સાંધાની તકલીફ બ્લડ પ્રેશરની સમસ્યાઓ હોય તેવા લોકો માટે સૂર્ય નમસ્કાર સુયોગ્ય ઊપચાર.

આજના પ્રગતિશીલ યુગમાં આપણા સૌની જીવનશૈલી પણ સતત પ્રગતિ મેળવવાની પાછળ દોડતી રહે છે એટલે કે આજે એ સમય રહ્યો નથી જેમાં માણસને પોતાની પાસે જે હોય તેનાથી સંતોષ હોય કેમકે વધતી જતી માઘવારી, પરિવારની જવાબદારી અને બીજા અન્ય એવા ઘણા કાર્ય હોય છે જેની પાછળ વ્યકિત સતત રચ્યો પચ્યો રહે છે.

આવા સમયે માણસ પોતના માટે સમય ફાળવી શકતો નથી જેમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી અંગે ઘણો બેદરકાર બની જાય છે.

આજના સમયમાં લોકો આધુનિક સુવિધાને વળગીને રહે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે, આવા સમયે શરીરમાં કુદરતી શકિત પ્રદાન કરનાર સૂર્યનમસ્કાર સિવાય અન્ય કોઈ ઊપાય શાસ્ત્રોમાં મળ્યો નથી. શાસ્ત્રોમાં પ્રાચીનકાળથી સૂર્યનું મહત્વ ખુબ વર્ણવ્યું છે, આજે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યનું મહત્વ પ્રાણીમાત્રના જીવન માટે
અદભુત રહ્યુ છે. સાષ્ટિમાં જે કાંઈ ઊત્પતિ છે તે સૂર્યને લીધે છે. સંપૂર્ણ જગત સૂર્યને આધારે છે. આજે લોકો આધુનિક ઊપકપરણો દ્વારા કસરત કરે છે પરંતુ તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બનશે પણ આંતરિક મનની નબળાઈ સૂર્યનમસ્કારથી જ દૂર થઈ શકે છે. સૂર્યનમસ્કારની અસર સમગ્ર નાડી તંત્ર પર પડે છે. હાલ ગરમીનો સમય ચાલે છે, ત્યારે વહેલી સવારનો જ સમય યોગ્ય રહે છે કેમકે સૂર્ય ઊગે ત્યારે તેના સીધા કિરણોની અસર શરીરમાં સીધી થાય છે. દિવસ દરમ્યાનનો તડકો સ્વાસ્થય માટે હિતકારી નથી. શરીરમાં જુદાજુદા હોર્મોન્સ જેમાંથી સ્ત્રાવ થાય છે, જેને ગ્રંથીઓ કહે છે, અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે ઈન્ડોક્રાઈન ગ્લેન્ડ અત્યંત આધુનિક વૈજ્ઞાનિક શોધ મુજબ શરીરનું સંચાલન આ ગ્રંથિઓમાંથી વહેતા સ્ત્રાવને લીધે થાય છે.

આ તમામ ગ્રંથિઓ પર મુખ્ય નિયંત્રણ પિચ્યુરટી ગ્લેન્ડનું છે, જે મસ્તકના અગ્રભાગમાં આવેલ છે, જેનો વિકાસ
સૂર્યનમસ્કારથી થાય છે. જેનો સીધો પ્રભાવ મસ્તકમાં રહેલા શકિત કેમ્પ્રોને જાગાત કરે છે.

Thursday, April 21, 2011

CFL Bulbs Health Problems - કેન્સરનો ખતરો

આ બલ્બમાં ઝેરી રસાયણ રહેલું હોય છે જે લાંબો સમય ચાલુ રાખવાથી નુકસાન થાય છે.

વીજળની બચત કરતાં બલ્બથી ભલે વીજળીની બચત થાય પરંતુ આ પ્રકારના બલ્બના વપરાશથી કેન્સરનો ફેલાવો કરતું રસાયણ નીકળે છે.

જર્મનીના વિજ્ઞાનિકોએ દાવો કર્યો છે. કે વીજળીની બચત કરતા બલ્બને કોઇ વ્યકિતના માથા પર વધારે વાર સુધી ચાલુ ના રાખવો જોઇએ કારણ કે આનાથી ઝેરીલો પદાર્થ નીકળે છે.

ઊપરાંત ઉંમર લાયકે આ બલ્બનો ઊપયોગ વાંચનમાં કરવો જોઇએ નહ તો વળી બાળકોના રૂમમાં પણ આ
બલ્બને આખી રાત ચાલુ રાખવો જોઇએ નહ.

ડેલીમેલમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ આવાતથી લોકો અજાણ છે કે બલ્બ ટૂટવાથી એની અંદરથી પારાની નુકસાન કર્તા માત્રા નીકળે છે. જયારે અધ્યનમાં એવું પણ જાણવા મળ્યું છે કે આનો ઊપયોગ કરવાથી કેન્સર પણ ફેલાયો છે. જર્મન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બમાં બાષ્પના રૂપમાં રસાયણ
નીકળે છે.

આ પ્રકારના બલ્બમાં નુકસાન કર્તા ચીજોમાં ફેનોલ (બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન નાજીઓએ આ ઝેરનો ઊપયોગ હજારો, લોકોને મારવા માટે કર્યો હતો.) નૈટથાલીન અને સ્ટારીન ભળેલું છે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બો બનાવવામાં જે પદાર્થો વપરાય છે. તે નુકસાનકર્તા છે.

Men Cosmetics Tips - કોસ્મેટિક વસ્તુઓનો વધુ ઊપયોગ કરે છે

પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા. હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે.

સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે - જયારે પુરુષો ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે

‘સુંદર દેખાવું કોને ન ગમે’ આમ તો જો કે આ ઊકિત હંમેશા સ્ત્રીઓ માટે જ વપરાતી આવી છે પરંતુ હવે આ પંકિતમાં પુરુષો પણ આવે છે ત્યારે કોસ્મેટિકસના માર્કેટ ટ્રેન્ડ પર હવે યુવતીઓની સરખામણીમાં યુવાનોની નજર વધારે રહે છે. હાલના આ સમયમાં ફકત સ્ત્રીઓ જ નહિ પરંતુ પુરુષો પણ એટલાજ માઘા કોસ્મેટિકનો ઊપયોગ કરે છે ત્યારે ઊનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે જેટલા માઘા સનસ્ક્રીન લોશન સ્ત્રીઓ વાપરે છે તેના કરતા પણ માઘા સનસ્ક્રીન લોશન પુરુષો વાપરે છે.

ત્યારે હાલના સમયમાં પુરુષોમાં કોસ્મેટિક વસ્તુઓનો વપરાશ વધ્યો છે. એક જાણિતી કંપનીએ કરેલા સર્વેમાં જણાવ્યું હતું કે દરેક ચાર પૈકી ત્રણ પુરુષો દ્વારા કોસ્મેટિકસ પર મહિને ચાર હજારથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે હજુ હમણાં બે-ચાર વર્ષ અગાઊ સુધી આ ખર્ચ માત્ર હજાર રૂપિયા સુધીનો જ હતો. જે હાલમાં ચાર હજાર સુધી પહાચી ગયો છે ત્યારે ફેશનના આ નવા ટ્રેન્ડમાં સ્ત્રીઓ કરતાં પુરુષો જાણે આગળ નીકળી ગયા છે અને શહેરમાં પણ સ્ત્રીઓ અને પુરુષોના ભેગા બ્યૂટીપાર્લર ધમધમે છે.

આવા બ્યૂટીપાર્લરોમાં આજકાલ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે. આજના સમયમાં પુરુષો પોતાના માથાના વાળથી લઇને પગના નખ સુધીની તમામ માવજત કરાવતા હોય છે. આશ્રમરોડ પર આવેલા આવા એક બ્યૂટીપાર્લર ચલાવતા બહેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા.

હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે. આજના આ આધુનિક સમયમાં અને ફિલ્મોનો ઝાકમઝોળ જોઇને યુવાનોને પણ સુંદર દેખાવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે હાલના સમયે
હું અને મારા પતિ બંને સાથે બ્યૂટીપાર્લર ચલાવીએ છીએ અને કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરીએ છીએ ત્યારે અમારા બ્યૂટીપાર્લરમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે અને કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ પણ પુરુષો વધારે કરે છે.

અત્યારના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ફેસ ક્રીમ, સારા ન્હાવાના સાબુ, ફેસ પાવડર, વાળમાં લગાવવાની ઝેલ તેમજ આ સિવાય પણ ઘણી કોસ્મેટિક વસ્તુઓ જેમાં સનસ્ક્રીન લોશન, માથામાં લગાવવા માટે કલર અને બીજા અન્ય કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે કરે છે અને જો તેનું ઊત્તમ ઊદાહરણ જોઇએ
તો હવે પુરુષો માટે એક જાણિતી કંપનીએ સ્પેશિયલ ‘ફેસ ક્રીમ’ બનાવી જે સ્ત્રીઓ કરતાં પણ વધારે વેચાઇ છે
તેવું તે કંપનીનો સર્વે જણાવે છે ત્યારે પુરુષોએ ફેશનમાં અને સુંદર દેખાવમાં સ્ત્રીઓને પણ પાછળ પાડી દીધી છે ત્યારે હાલના સમયમાં સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા પોતાની સુંદરતાને જાળવી રાખવા ખર્ચે છે.

Wednesday, April 20, 2011

Diabetes Patients In India - આંખની તકલીફ



સામાન્ય દર્દીની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઆને આંખની તકલીફ વધારે પરેશાન કરે છે ને વિઝન લોસની સંભાવના પણ વધુ રહે છે.

જાણકાર નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લાઈફ સ્ટાઈલને યોગ્ય રીતે જાળવવામાં આવે ને બેલેન્સ્ડ ડાયેટ લેવામાં આવે તો આનાથી સરળતાથી બચી શકાય છે.

ડાયાબિટીસ એક એવી બિમારી છે કે જેમાં બોડી સુગરને યોગ્ય રીતે યુઝ ને સ્ટોર નથી કરી શકતી. એવી સ્થિતિમાં બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે.આનાથી આંખ, કિડની, હાર્ટ ને નર્વ્સ પર નકારાત્મક અસર પડે છે.

ભારતમાં સુગરના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. પરિણામ સ્વરુપે દુનિયાના ડાયાબિટીક કેપિટલ તરીકે ભારતને ગણવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને ડાયાબિટીસ થવા માટે ઘણા કારણો જવાબદાર છે.

જમવાની ટેવમાં થયેલા ફેરફાર, બગડી રહેલી લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસ જેવા કારણો જવાબદાર ગણી શકાય.
શરીરમાં વધારે સુગરની હાજરી શરીરના દરેક અંગ પર અસર કરે છે. આની આવી સ્થિતિમાં ખાસ કરીને આંખ ઊપર ખરાબ અસર થઈ શકે છે. ડાયાબિટીસને લીધે વિઝન સમસ્યા ડબલ વિઝન ને વિઝન લોસ ઊપરાંત આંખમાં દુઃખાવાની પણ ફરિયાદ રહે છે. રેગ્યુલર ચેકઅપ જરુરી બની જાય છે. વહેલી તકે સારવાર કરવામાં આવે તેવી સલાહ તબીબો આપે છે.બ્લડ સુગર ઘટી જવા કે વધી જવાથી આંખની નોર્મલ લેન્સમાં સોજા
નજરે પડે છે જેના લીધે ચશ્માના નંબર ઝડપથી બદલાય છે.આ ઊપરાંત દર્દીને કેટેરેકટની સમસ્યા ઉભી થાય છે.

કેટેરેકટની સારવાર સર્જરી દ્વારા થઈ શકે છે. નવી ટેકનોલોજી ના ઊપયોગથી આ સર્જરી સરળ બની ગઈ છે. ડાયાબિટીસના દર્દી માટે મોટી સમસ્યા રેટિનામાં થનાર સમસ્યા રહે છે. રેટિનાના બ્લડ વેસલ્સમાં તકલીફ આવે
છે.અનેક વખત બ્લીડગ સમસ્યા જોવા મળે છે.

જેથી આંખો પર સોજા આવે છે. આવા કિસ્સામાં સમસ્યા અનેકગણી વધી જાય છે. બ્લડ સુગર લેવલ ને બ્લડપ્રેશરને અંકુશમાં રાખવા ખૂબ જરુરી છે. રેગ્યુલર આઈ
ચેકઅપથી સ્થિતિમાં સુધારો થાય છે.

Saturday, April 16, 2011

Astrology Benefits - જયોતિષ દ્વારા રોગ મુકિત

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સાષ્ટિના સર્જન સાથેજ આર્યુર્વેદની શરૂઆત થઇ છે. એમ કહીએ તો પણ કઇ અતિશયોકિત નથી. આયુનો અર્થ જીવનની લંબાઇ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું, જ્ઞાન, તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઊપવેદ માનવામાં આવે છે.

ભારતમાં જયોતિષશાસ્ત્રમાં વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રચીન છે. અર્થાત બંને આયુર્વેદ અને જયોતિષ સમકાલીન શાસ્ત્રો છે. બંને માનવકલ્યાણ કરનારા, એકબીજાનાં પૂરક શાસ્ત્ર છે. એમ કહી શકાય આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત પર કામ કરીને મનુષ્યના શરીરમાં ઊત્પન્ન થતા તમામ રોગનું નિદાન કરે છે, તેવી જ રીતે જન્મકુંડળી દ્વારા પણ મનુષ્યના શરીરના રોગનું નિદાન કરી શકાય છે.આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપથી દ્વારા માત્ર ફેફસાં, હ્યદય, મગજ, હાડકાંના રોગનું જ નિદાન શકય છે. જન્મકુંડળી તો માત્ર રોગ જ નહિ પરંતુ મનુષ્યની પ્રકાતિનો પણ ખ્યાલ આપે છે. જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શકય બને છે રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ પરિસ્થિતિ માત્ર જયોતિષશાસ્ત્ર જ આપી શકે છે. જયોતિષશાસ્ત્ર આવનારા રોગની આગાહી જ કરે છે. એમ નથી પરંતુ ગોચર ગ્રહો આપણે રાષ્ટ્રવ્યાપી દૃર્ઘટનાઓ, તોફાન, ભૂકંપ, વાયપકપણે ફેલાતા રોગચાળા વગેરેની જાણકારી મેળવી શકીએ છીએ. જેથી તેને પ્રથમથી જ અટકાવી શકાય અથવા તકેદારીનાં પગલાં લઇ શકાય. એવું બની શકે છે કે આજે જે વ્યકિત સંપૂર્ણ સ્વસ્થ છે તે માત્ર થોડા દિવસોમાં લાંબાગાળાની બિમારીનો ભોગ બને પરંતુ જયોતિષશાસ્ત્રનાસઘન અભ્યાસ અને સચોટ માર્ગદર્શન દ્વારા લાંબાગાળાની બિમારીનો ભોગ બનનાર વ્યકિતને પ્રથમથી જ આવનારી કપરી બિમારીનો ખ્યાલ આપી સાવધાન કરી શકાય અને તદનુસાર ગ્રહપીડાની શાંતિ માટેના પ્રયાસો અગમચેતી રૂપે કરાવી શકાય છે. તેથી જ જો આયુર્વેદના જાણકાર જયોતિષશાસ્ત્રનું સચોટ અને સઘન જ્ઞાન હોય તો તે દર્દીને રોગમુકત કરવામાં ઘણું જ ઊપકારક સાબિત થાય.

આપણે જયોતિષશાસ્ત્રમાં કયા ગ્રહો કયા રોગમાં કારણભૂત છે અને તેનો શો ઊપાય કરી શકાય તેની જાણકારી
મેળવવા થોડા ગ્રહોનો અભ્યાસ કરીએ. સૂર્ય-બધા ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તે રાજા છે. બધા ગ્રહો તેની પરિક્રમા કરે
છે તે પિતા, આત્મા, અધ્યાત્મા, આરોગ્ય, પરાક્રમા, હસકકાર્ય, કરોડ,કાળજુ, વગેરેનો કારક છે. સૂર્ય દ્વારા આવતી પીડામાં રાજરોગ શરીરને લગતી પીડા, પિત્તજવર, માથાના રોગ, પેટના રોગ, આંખ સંબંધી પીડા, અસ્થિરોગ, સ્નાયુના રોગ મુખ્ય છે. સૂર્યનું માણેક પહેરવાથી તેમજ રવિવારનું વ્રત અને સૂર્યના મંત્ર કરવાથી સૂર્યને શાંત કરી શકાય છે. સૂર્યદેવની કાૃપાથી શારીરિક કષ્ટો દૂર થાય છે. તાંબાના વાસણમાં ભરેલુ રાત્રિનું પાણી પીવાથી
આંખમાં છાંટવાથી સ્નાન કરવાથી ફાયદો થાય છે. સૂર્યોપાસના દ્વારા બધા ગ્રહોની પીડામાંથી મુકિત મળે છે. સવારે સૂર્યવંદના કરવી જોઇએ. ચંદ્ર-ચંદ્ર પાૃથ્વીનો ઊપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમાં માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પાૃથ્વી, ધન, સફેદજસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે. વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રકતવિકાર, હ્યદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ મૂત્ર રોગ, વગેરે રોગ પણ આપે છે. ચંદ્રની ઊપાસના માટે સોમવારનું વ્રત અને ચંદ્રના મંત્રના જાપ કરવા જરૂરી છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પણ શુભ ફળ મળે છે. ચાંદીનું દાન પણ આપી શકાય. મંગળ-મંગળ પાૃથ્વી સાથે સામ્ય ધરાવે છે. તેથી તેને પાૃથ્વીનો પુત્ર કહેવામાં આવે છે. તે ગ્રહોમાં સેનાપતિનું કાર્ય કરે છે. તે તાકાત, સાહસ, ચારિત્ર્ય, અગ્નિ, શત્રુ વાઢકાપ, દુર્ઘટનાનો કારક ગ્રહ છે. મંગળની પીડામાં પિત્ત જન્ય રોગ સ્નાયુના રોગ, નાક, કપાળ, જનનેન્દ્રિયના બાહ્ય શારીરિક અશકિત, અકસ્માત વગેરે મુખ્ય છે. મંગળની ગ્રહની શાંતિ માટે મંગળવાનું વ્રત અને મંગળને મંત્ર કરવો જોઇએ. મંગળનું પરવાળું પહેરવું જોઇએ. બુધ-જયોતિષશાસ્ત્રમાં બુધનું સ્થાન અતિ મહત્વનું છ બુધ સૂર્ય મંડળમાં સૂર્યની નજીક રહેલ ગ્રહ છે. તેને ચંદ્રના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું એક નામ વિષ્ણુ પણ છે. બુધ રજોગુણવાળો, મિશ્રસ્વભાવવાળો નપુસક ગ્રહ કહેવાય છે. જન્મકુંડળીમાં જે ગ્રહની સાથે હોય તે પ્રમાણે ફળ આપે છે. બુધ વિદ્યા, વિવેક, મામા, મિત્ર, ગણિત, નાૃત્ય ડોકટરી, વૈદક, શિલ્પ, વ્યાપારવ્યવસાય, બકગ, લક્ષ્મી અને અૈશ્વર્યનો કારક છે. વાણી અને ચામડીના રોગનો વિશેષ કારક ગ્રહ છે. બુધ પિત્ત પ્રકોપ, ચર્મરોગ, સફેદ ડાઘ, તોતડાપણું, સ્નાયુની નબળાલ, માથાના રોગ, નપુંસકતા, ચક્કર બહેરાપણું, અસંવેદનશીલતા, મૂત્રવરોધ, વ્યાપારમાં હાનિથી થતી માનસિક વિકાૃતિ વગેરે રોગ આપનાર ગ્રહ છે. આ રોગમાંથી મુકિત મેળવવા બુધનું વ્રત, મંત્ર વિગેરે વિધિ-વિધાન કરવાં જરૂરી બને છે. બુધનું નંગ પાનું તેની તીવ્રતા અનુસાર ધારણ કરવું પડે છે. જાણકાર અને ઊત્તમ જયોતિષી યોગ્ય નિદાન દ્વારા બુધની પીડામાંથી અચૂક મુકિત અપાવી શકે છે.

ગુરુ-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે. શુક્ર પછી બીજા ગ્રહોની સરખામણીએ તેજસ્વી ગ્રહ છે. તેને લગભગ ચૌદ ઊપગ્રહ છે તેને બાદસ્પતિ પણ કહેવામાં આવે છે. તે સત્વગુણી અને પુરુષ ગ્રહ છે. ગુરુ ધર્મ, યજ્ઞ સુવર્ણ, પુત્ર, મિત્ર, વસ્ત્ર, શિક્ષણ, પંડિતાઇ, વાદ વિવાદ, વગેરેનો કારક છે. ગુરુ ગ્રહ, કમળો, યકાૃતના રોગ, પિત્તાશયના રોગ તાવ, કફજન્ય રોગ એનિમિયા, થાક, આળસ, લાંબા ગાળાના રોગ, ચરબીના રોગ, માથાના રોગ વગેરેનો
કારક ગ્રહ છે. ગુરુ મહારાજને પ્રસન્ન કરવાથી ઊપરના રોગમાંથી મુકિત મેળવી શકાય છે. ગુરુનું વિધાન મંત્ર,
યજ્ઞ કરવાથી તેમજ ગુરુનું નંગ પોખરાજ ધારણ કરવાથી આવનારા રોગમાંથી મુકત થઇ શકાય છે. ગુરુ
સત્વગુણી હોવાથી તેને પ્રસન્નતા મેળવી રોગમાંથી મુકત થઇ શકાય છે. રોગ-દુઃખ વગેરેમાંથી મુકિત તો મળે
છે. ઊપરાંત તેના દ્વારા શુભફળની પ્રાપ્તિ થાય છે. જયોતિષશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સમગ્ર જન્મકુંડળીમાં માત્ર ગુરુ બળવાન થઇને કેન્દ્રમાં હોય તો અન્ય ગ્રહોની અશુભતા પણ નાશ પામે છે. અને કુંડળીને બળવાન બનાવે છે. શુક્ર-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે તેમ શુક્ર અસુરોના આચાર્ય છે. બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું બીજું નામ ભાગુ છે. તે સવારે અને સાંજે આકાશમાં દેખાય છે. જન્મકુંડળીમાં જો તે સૂર્યની આગલી રાશિમાં હોય તો સવારનો તેજસ્વી શુક્ર બને. પરંતુ બંને સ્થિતિમાં સૂર્યથી અસ્તનો બનતો નથી. શુક્ર રજોગુણી, સ્ત્રીગ્રહ છે. બારમા સ્થાનમાં વિશેષ બળવાન બને છે. શુક્ર પત્ની, પરસ્ત્રી, પ્રેમ, પ્રેમિકા, પુષ્પ, વાહન, વેશ્યા, કામ, ગીત, મધુપ્રમેહ, પ્રમેહ, વીર્ય સંબંધી રોગ, ગુપ્ત રોગ, જનનેન્દ્રિયના રોગ, અસ્થિરોગ, ચર્મરોગ, વાંઝીયાપણું, કીડની અને મૂત્રાશયને લગતા રોગ, અસંવેદનશીલતા , પથરી મુખ્ય છે. શુક્રની પીડામાંથી મુકત થવાના
ઊપાયોમાં મુખ્ય ઊપાય શુક્રવારનું વ્રત અને મંત્ર કરવા શુક્રનું નંગ હીરો ધારણ કરવો. જો કે હીરો પ્રયોગિક ધોરણે ધારણ કરવો જોઇએ. કયારેક હીરો ધારણ કરવાથી અન્ય બાબતોમાં વિપરીત પરિણામ મળતાં
જોવા મળે છે. સલામતી ખાતર હીરાને બદલે સ્ફટિક ધારણ કરવો ઇષ્ટ છે. શનિ-સૂર્ય મંડળમાં સૂર્યથી દૂર મંદ
પ્રકાશવાળો ગ્રહ છે. તેને દશ ઊપગ્રહ છે. હનિની આસપાસ વલય છે. તે તમોગુણી, નપુસક ગ્રહ છે.

જયોતિષવિજ્ઞાનના મત અનુસાર કળિયુગમાં શનિનું મહત્વ વિશેષ છે. તે કષ્ટ આપનાર ગ્રહ છે. તેની પનોતી
માનવને હેરાન-પરેશાન કરનાર હોય છે. પનોતી બે પ્રકારની હોય છે.
(૧) સાડા સાત વર્ષની મોટી
(૨) અઢી વર્ષની નાની પનોતી, પનોતી આવતાં માનવજીવન નિરાશાવાદી બની જાય છે. પનોતીનો સમય દુઃખદ બને છે.પરંતુ હંમેશા આવું બનતું નથી. શનિ મહારાજના જન્મકુંડળીના સ્થાન મુજબ કયારેક પનોતી દરમ્યાન ધનલાભ, ભાગ્યોદય, યશ, ઊન્નતિ પણ જોવા મળે છે. પનોતી દરમિયાન જન્મકુંડળીના અન્ય સારા ગ્રહો પણ શનિના પ્રભાવ હેઠળ આવી જતા જોવા મળે છે. તેથી પનોતીનો સમય જોતી વખતે અન્ય ગ્રહોની શુભાશુભ અસર શનિની સ્થિતિ દશા વગેરેનોંડો અભ્યાસ જરૂરી બની જાય છે. શનિ આયુષ્ય, જીવન,માત્યુનું કારણ, આપત્તિ, રોગ, દુર્ઘટના, છળકપટ, શોક, ભ્રષ્ટાચાર, નેતા, નોકર-ચાકર કુટનીતિ, ઋણ વગેરેનો કારક ગ્રહ
છે. શનિ દ્વારા માનહાનિ, દ્રવ્યહાનિ, ઊપાધિ, અકસ્માત, લાંબા ગાળાની બિમારી, લકવા, માનસિક વિકાતિ હાથીપગા વગેરેનો ભય રહે છે. શનિ મહારાજની કાૃપાદૃષ્ટિ મેળવવા શનિનું વ્રત, આરાધના કરવાં જરૂરી છે.
શનિવાર મંત્ર સાથે કરવા જોઇએ. શનિનું નંગ નીલમ ધારણ કરવું જોઇએ. તેમજ પનોતી દરમિયાન શ્રી
હનુમાનજીની ઊપાસના, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ.

Friday, April 15, 2011

Clothes Wearing Tips - નીચું કદ અને પહેરવેશ

બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઊંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ માર્કેટમાં મળે છે.

નીચા કદવાળી મહિલાઓએ પ્લેન કપડા જ પહેરવા પછી ભલે ને તે સલવાર સુટ હોય કે મીડી ટોપ કે પછી સાડી તમને પ્રટેડ કપડા પહેરવાનો શોખ હોય તો નાની પ્રટવાળા કપડા જ પહેરો.

ખાસ કરીને સીફોન અને જયોર્જટના કપડાની જ પસંદગી કરો. આનાથી શરીર સુડોળ અને લાંબુ દેખાય છે.

ભુલથી પણ ઓરગંડી જેવા વસ્ત્રોની પસંદગી ન કરશો, કેમ કે ફુલેલા કપડામાં કદ વધારે નાનું દેખાય છે. તેથી એવા કપડાની પસંદગી કરો, જે મુલાયમ અને શરીરને ચોટીને રહે, ફુલેલા કપડાની પસંદગી ન કરશો.

આખો પરિધાન એક જ રંગનો પહેરો. પછી ભલેને સલવાર-સુટ હોય કે સાડી, ધ્યાન રાખો કે બંનેના શેડ એક જ રંગના હોય. ચંપલ અને પર્સ પણ મેચગ હોય તો વધારે સારુ.

જો તમે સાડી ન પહેરતાં હોય તો ફીટગવાળા સુટ અને અન્ય ડ્રેસની પસંદગી કરો જેથી કરીને શરીર સુડોળ દેખાય.

સુટ અને બ્લાઊઝનું ગળુ અંડાકાર અને વી શેપમાં જ બનાવડાવો.

પહોળી બોર્ડરવાળી સાડી, કમીઝ અને કુર્તા ન પહેરશોપ પહોળી લાઇનગવાળુ કપડું પણ તમારા માટે સારુ રહેશે. પાતળી લાઇનવાળા પોશાક પણ પહેરી શકો છો.

સાડીને કમર કે નાભીની નીચે ન બાંધશો, આવુ કરવાથી ઊપરનો ભાગ લાંબો દેખાશે અને નીચેનોભાગ નાનો અને કુલ મળીને તમે ઓછી હાઇટના દેખાશો. તેથી સાડીને હંમેશા નાભિની થોડીક ઊપર જ બાંધો.
બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઉંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ પણ માર્કેટમાં મળે છે.

હેર સ્ટાઇલથી પણ કદ ઉંચુ દેખાય છે. નાના કદવાળી યુવતીઓએ બૈક કોમ્બગ કરીને વાળને થોડીક ઉંચાઇ આપીને બાંધવા જોઇએ. ગરદન પર ઢળેલો ઝુડો ન બનાવતાં ટોપ બાંધવાથી કદ લાંબુ દેખાય છે.

Make Up Beauty Tips Tricks Secrets - ફાઊન્ડેશનની મદદથી કઇ રીતે કરવો

કોઇપણ ચહેરો સૌંદર્યની દૃષ્ટિએ સંપૂર્ણ હોતો નથી પણ યોગ્ય મેકઅપ કરવનથી કળાથી ચહેરાની અમુક ઊણપને છુપાવી શકાય છે. જેમ કે, તમારું નાક વધારે પહોળું છે તો તમે તેને અણિયાળું બતાવવા માટે હળવા રંગનું ફાઊન્ડેશન વાપરીને નાકથી સીધી લાઇનમાં લાગવો.

ઘેરા રંગનું ફાઊન્ડેશન નાકની બંને બાજુ પર લગાવો. તમે જયારે ફાઊન્ડેશન વાપરશો ત્યારે એ બાબતમાં ચોક્કસ રહો કે ફાઊન્ડેશનની પસંદગી યોગ્ય હોવી જોઇએ તથા તે વ્યવસ્થિત રીતે ચહેરા પર લગાવેલું હોવું
જોઇએ. જો તમારો ચહેરો ગોળ છે તો ફાઊન્ડેશનનો સ્ટ્રાગ શેડ લો અને તેને ચીકબોનની નીચે થઇ બહારની બાજુએ નીચેની તરફ તેમજ ચીકબોનની નીચે દાઢીના છેડા સુધી લગાવો.

અને જો તમારો પીઅર શેઇપ ચહેરો છે તો ડાર્ક શેડના ફાઊન્ડેશનને જડબાથી લઇને દાઢી સુધી વ્યવસ્થિત રીતે લગાવો. ઓવલ તથા લાંબા આકારનો ચહેરો હોય તો ઘેરા રંગનું ફાઊન્ડેશન કપાળ પર લગાવો ત્યાર
બાદ ટ્રાન્સ્યુસેન્ટ પાઊડર લગાવો.

તાણ તથા હોર્મોનમાં થતા ફેરફારના કારણે ૪૦ વર્ષે પણ ૧૪ વર્ષે થાય તેવા ખીલ થવાની સમસ્યા થઇ શકે છે. ઉંમરલાયક થતાં ખીલ અટકી જતા નથી. તાણ તથા હોર્મોન્સામાં થતા બદલાવને કારણે ૬૧ વર્ષની ઉંમરે પણ ખીલ થઇ શકે. મેડિકલ સ્ટોરમાં મળતી દવાઓ ટીનએજમાં ખીલને નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

પરંતુ પાકટ વયે થતાં ખીલમાં તે અસરકારક નીવડતી નથી. માટે આ ખીલને થતા રોકવા તમે ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. ડોઝની ઓરલ એન્ટિબાયોટિકસ, સ્કિન ક્રિમ , કે પછી બર્થ કંટ્રોલ પીલ લેવાનું રાખો.

તમે તમારા કોસ્મેટોલોજિસ્ટને મળીને જરૂરી વિગતો મેળવો. તાણરહિત રહેવાનો પ્રયત્ન કરવો એ પણ મદદરૂપ થશે. વાળને નુકસાન થતું અટકાવવા માટે વાળને નિયમિતપણે કન્ડીશનર કરવું જરૂરી છે. તે આપણા વાળના સ્તર પર એક પાતળુ પડ બનાવી દે છે.

ઊપરાંત તે વાળને મોઇશ્ચરાઇઝ પણ કરે છે જેના કારણે વાળનું રક્ષણ થાય છે. સૂર્યનાં નુકસાનકારક કિરણો પણ વાળને ડેમેજ થતા અટકાવે છે માટે એ સારુ રહેશે કે અઠવાડિયામાં એક વાર કન્ડીશનરનો ઊપયોગ કરીએ. પણ એવું કન્ડીશનર લગાવો જે તમને માફક આવતું હોય અને તમારા વાળ માટે સારૂ હોય.

Beauty Tips Tricks :- હાલની મિકસ સિઝનમાં હળવું તથા પાણીનો બેઝ ધરાવતું મોઇશ્ચરાઇઝર લગાવવુ ઊત્તમ છે તમને જયારે તમારો ચહેરો તૈલી લાગે ત્યારે ચહેરાને અવારનવાર ધોતા રહો.

તેનાથી ત્વચા ચોખ્ખી અને સમસ્યા રહિત રહેશે. તમે તમારો ચહેરો ધૂઓ ત્યારે તમને તમારી ચામડી તૈલી લાગતી હોય તો તેને ચોખ્ખી કરો અને પ્રોબ્લેમ ફ્રી બનાવો. ૧ ટી સ્પૂન ચોખાનો લોટ લઇ તેમાં થોડાં ટપા ગુલાબજળનાં નાખો. તેમાં થોડો છીણેલા બટાટો પણ મિકસ કરો. અને આ પેકને ઠંડો થયા બાદ ચહેરા પર ૪ થી પ મિનિટ માટે લગાવી રાખો અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ નાખો.

કોમળ ત્વચાની સંભાળ:-

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોફ કે યુવાન-દરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે. કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાૃહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ:- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પરંતુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી, નીમ પત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.સાબુને બદલે નહાવાના આયુર્વેદિક પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂર કાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ થાય છે. તથા ત્વચા નિખરે છે.  સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.
 દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.
 સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

 સનબર્ન :-    સેન્સિટિવ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ. કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.  કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા
પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.
 તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ગુલાબજળમાં ભેળવી રોજ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ  આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ હિતાવહ છે.  કપૂર કાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.  તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.

રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.  દહીમાં ચપટી હળદર નાખીને લેપ કરવાથી ફાયદો થાય છે.વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.

કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે. જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

Thursday, April 14, 2011

Pregnant Women Tips - વિશેષ ધ્યાન આપવા માટેની કેટલીક બાબતો

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ.

આજે મોટાભાગની સ્ત્રીઓ ઘરસંસારની સાથે ર્આિથક ક્ષેત્રે પણ પોતાનો ભરપૂર સહકાર આપી રહી છે. આજની સ્ત્રી દરેક રીતે મુશ્કેલીનો સામનો કરી શકે છે પરંતુ જયારે વાત આવે સગર્ભા મહિલાની અને એ પણ
નોકરી કરતી હોય તેવી મહિલાની,તો કેટલીક સાવચેતી રાખવી જરુરી બને છે.

આજે બધાની લાઈફ ફાસ્ટ બની ગઈ છે. અને એટલે જ ભીડ-ભાડવાળી જગ્યા બહાર આવતા-જતા સગર્ભા
મહિલાઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે આજે દરેક મહિલાને સુવિધાઓ મળે એવું હોતું નથી. કેટલીક એવી મહિલાઓ પણ છે જે પોતાના ઘરની ર્આિથક પરિસ્થિતિને લીધે નોકરી કરતી હોય છે. અને એમાં પણ બસમાં ટ્રાવેલગ કરતી
મહિલાઓએ તો વિશેષ કાળજી રાખવી પડે છે.

કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે નાની અમથી બેદરકારીને લીધે મોટા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

એવું ના થાય તે માટે બેસવા- ઉઠવાની સાથે ખાવાપીવાની તમામ બાબતો પર મહિલાઓએ ધ્યાન આપવું
જોઈએ. સામાન્ય રીતે સગર્ભા મહિલા ૬ મહિના સુધી કામ કરે તે યોગ્ય છે પણ તે પછીના મહિનામાં કામ કરવામાં ઘણી તકલીફો પડે છે.જેમાં શારીરિક તકલીફની સાથે સાથે માનસિક રીતે પણ મહિલાએ સ્વસ્થ રહેવું જોઈએ. અને બેવડી જવાબદારી સંભાળનાર મહિલાઓએ હિંમત રાખવી ખૂબ જરુરી હોય છે. કારણ કે નોકરીના સમયમાં તબિયત ના બગડે તે માટેની પણ વિશેષ કાળજી લેવી પડતી હોય છે.

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ. આ ઊપરાંત મહિલાને એસીડીટી કે ગેસ થવાની તકલીફ હોય તો તેમણે તીખો, તળેલો કે ચરબીવાળો ખોરાક ટાળવો જોઈએ. અને બને ત્યાં સુધી પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ. સગર્ભા મહિલાઓએ શકય હોય ત્યાં સુધી ધક્કા-મુક્કી વાળા સ્થળોએ ના રહેવું જોઈએ. આજના સમયમાં ઘરની સંભાળવાની સાથે સાથે ર્આિથક રીતે પગભર પણ હોય તેવી સગર્ભા મહિલાઓએ આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

Singing Health Benefits - માનસિક ને શારીરિક ફાયદા


ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ
તરત દૂર થશ

અત્યાર સુધી જાણીતું બનેલું સૂત્ર હતું કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોકટર અવે...! પરંતુ હવે ડોકટર્સ તેનાથી આગળ વધીને કહેશે કે અ સોન્ગ અ ડે કીપ્સ ધ ડોકટર અવે. શું આપ જાણો છો કે ગીત ગાવાથી શારીરિક
ફાયદો પણ થઈ શકે છે.

સંશોધકો હવે ગીતના અઢળક ફાયદાઓ વિશે પુર્નિવચારણા કરી રહ્યા છે.ગાવાનો આનંદ જેટલો અદ્ભૂત છે
તેટલા જ તેના ફાયદા પણ અપાર છે. ગાવું એ સ્ટ્રેસ લેવલ ઘટાડવાથી લઈને ડિપ્રેશન દૂર કરી શકે છે.

ગીતોએ આખીને આખી સંસ્કાૃતિ, આનંદ, દુઃખને ઊંચકયા છે ને ઊંચકી રહ્યા છે. ગાવાથી તંદુરસ્તી વધે છે, શ્વસન ક્રિયા, રકત પરિભ્રમણ ને પાચનતંત્ર સુધરે છે. મનોચિકિત્સકોનુ માનવું છે કે ગાવાથી માનસિક-શારીરિક બંને ફાયદા થાય છે.

ગાવું એ એક પ્રકારની એરોબિક પ્રવાત્તિ હોવાથી રકતનલિકાઓમાં પ્રાણવાયુનો સંચાર કરે છે. શરીરના ઊપલા ભાગના સ્નાયુઓ ગતિશીલ બને છે,ગાવાની પ્રવાૃત્તિથી એક પ્રકારનો વ્યાયામ થાય છે. મનનો
લાગણીશીલ હિસ્સો ગતિશીલ થવાથી વ્યકિતને માનસિક લાભ તો થાય જ છે.

અવાજના મોજાઓની આપણી નર્વસ સિસ્ટમ પર હકારાત્મક અસર પડે છે. ક્રોધ, બેચેની, વ્યગ્રતા, માનસિક
સમસ્યાઓમાં તો એ ખૂબ કારગત નીવડે છે. મ્યુઝિક થેરાપીથી ત્રણ ‘એચ’ સિધ્ધ થાય છે. હેલ્થ,હેપ્પીનેસ ને હાર્મની.

માણસની પાંચ ઈન્દ્રિયના મૂળ પણ સાઊન્ડ અટલે કે અવાજમાં સમાયેલાં છે. સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, સ્વાદને ઘ્રાણેન્દ્રિયના મૂળમાં પણ અવાજના કોમ્પોનન્ટસ રહેલાં છે. આપણી અંદરના ને બહારના અવાજનો લય સમતોલ હોય તો આપણું આરોગ્ય સલામત રહે.

જે સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન સંગીતમય વાતાવરણમાં રહે અથવા મ્યુઝીક થેરાપી અપનાવે તેના બાળકનો વિકાસ નોર્મલ ને વ્યવસ્થિત થાય છે. એટલું જ નહ, બાળકનો બુધ્ધિઆંક પણ ઊંચો હોય છે. ગીત ગાવાથી તમારું પ્રાણતત્વ, તેજસ (ચમક) ને ઓજસ (બુધ્ધિમત્તા) સક્રિય થાય છે. અને તમે આનંદપૂર્ણ જીવન જીવી શકો છો.

સંગીતના સૂર મનુષ્યને અદ્ભૂત શાતા આપે છે. ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ તરત દૂર થઈ જશે. તો રાહ શેની જુઓ છો? આજથી જ શરુ કરી દો, રોજ એક ગીત ગાવાનું ને પછી જુઓ તમારી તંદુરસ્તી!

Buttermilk Health Benefits - સસ્તી-ગુણકારી

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે.

છાશ શરીરનો વર્ણ અને કાંતિ સુધારે છે.

છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તછ વધારવામાં મહત્વનો ફાળો આપે છે. છાશનો મધુર રી પિત્તને શાંત કરી પોષણ આપે છે. ખાટો રસ વાયુને હરી બળ આપે છે. અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે.

ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે.

ઊત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને મટાડે. લસ્સી ગરમીની ઋતુમાં શરબતની ગરજ સારે છે.

છાશમાં ખટાશ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાકની રૂચિ પેદા કરે છે અને ખોરાક પાચન કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન થતું ન હોય, ખોટા ઓડકાર આવતા હોય અને પેટ ચઢી-આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય તેમને માટે છાશ અમાૃત સમાન છે. છાશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે. તેથી ભોજન પછી છાશ પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે. છાશ શરીરનો વર્ણ (વાન) અને કાંતિ સુધારે છે. છાશ પીનારને વાૃદ્ધાવસ્થા મોડસ આવે છે,

ચહેરા પર કરચલીઓ પડતી નથી અને પડી હોય તો દૂર થાય છે. છાશનો મહત્વનો ગુણ આમજ દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે ખોરાકમાંથી પોષણ માટેનો રસ છૂટો પડી પચ્યા સિવાય પડ્યો રહે છે. તેને ‘આમ’ કહે છે. આમ અનેક પ્રકારનાં દરદો પેદા કરે છે. એ અમાજ દોષો દૂર કરવામાં છાશ ઘણી ઊપયોગી બને છે. આમની ચીકાશાને તોડવા માટે ખટાશ (એસિડ) જોઇએ. તે ખટાશ છાશ પૂરી પાડે છે. અને છાશ ધીમેધીમે એ ચીકાશને આંતરડામાંથી છૂટી પાડી, પકવીને બહાર ધકેલી દે છે, માટે જ મરડામાં ઇંદ્રજવના ચૂર્ણ સાથે અને અર્શમાં હરડેના ચૂર્ણ સાથે છાશ લેવાથી ફાયદો થાય છે.

દહીમાં બિલકુલ પાણી નાખ્યા સિવાય વલોવાય તેને ધોળવું કહે છે

ધોળવું વાયુને મટાડે છે, પણ કફને વધારે છે. હગ, જીરું અને સધવ મેળવેલું ધોળવું વાયુનો સંપૂર્ણ નાશ કરનાર, રુચિ વધારનાર, બળ વધારનાર છે. સાકર મેળવેલા ધોળવાના ગુણો આંબાની કેરસના રસના જેવા છે.

દહ ઊપરનો ચીકાશવાળો ભાગ (મલાઇ-તર) કાઢી લઇને વલોવાય તેને ‘મથિત’ (મઠો) કહે છે.

મઠો વાયુ તથા પિત્તને હરનાર, આનંદ (ઊલ્લાસ) ઊપજાવનાર અને કફ તથા પિત્તને તોડનાર છે. દહીમાં ચોથા ભાગનું પાણી મેળવીવલોવાય તેને ‘તક્ર’ કહે છે.

તક્ર ઝાડાને રોકનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, તાૃપ્તિ આપનાર, વાયોનો નાશ કરનાર છે.

દહીમાં અર્ધા ભાગે પાણી વલોવાય તેને ‘ઊદશ્ચિત’ કહે છે.

ઊદશ્ચિત કફ કરનાર, બળને વધારનાર અને આમનો નાશ કરનાર છે. દહીમાં વધારે પાણી મેળવી વલોવાય અને ઊપરથી માખણ ઊતારી લઇ, પછી પાણી મેળવી ખૂબ આછી  (પાતળી) કરવામાં આવે છે. તેને છાશ કહે છે. ટૂંકમાં જેમાંથી સધળું માખણ ઊતારી લીધું હોય તેવી છાશ પથ્ય અને હલકી છે.

How to be Tension Free in Life

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે. એ
આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે.

આજના સમયમાં દરેક વ્યકિત અસંખ્ય સમસ્યાઓ અને ચતાઓથી ઘેરાયેલી છે. આ ચતાઓથી મુકત થવું ખૂબ જરૂરી છે નહતર તેની સીધી અસર સ્વાસ્થ્ય ઊપર પડે છે અને માનસિક રોગો થવાની શકયતાઓ પણ એટલી જ વધી જાય છે.

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે.એ આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે. જેના લીધે મૂડમાં ફેરફાર થતા રહે છે. મૂડ પ્રમાણે શરીરના અવયવો પર અસર થતી હોય છે. અને શારીરિક તકલીફોથી પાછો મૂડ પણ બગડે છે.

આમ, ચિંતાનું ચક્ર ચાલ્યા જ કરે છે! પછી લોકો ફરિયાદ કરે-ઊંઘ નથી આવતી, ડિપ્રેશન, કંટાળો, પેટની ગરબડો, અપચો, ચક્કર, ઉલટી,ધબકારા વધવા, શ્વાસની તકલીફ થવી વગેરે વગેરે, આપણને ખ્યાલ પણ ના હોય કે મોટાભાગના આ પ્રકારના ચિહ્નો થવાનું કારણ ભય,ચિંતા ને ટેન્શન હોય છે.

આ માટે કેટલાંક ઊપોયો અજમાવી શકાય...

કોઈ આરામદાયક સ્થિતિમાં બેસી, શાંતિથી, ધીમેથી ઊંડા શ્વાસ લો અને છોડો. એકદમ રીલેકસ થઈને તમારી લાગણી અને મૂડને સમજવાનો પ્રયત્ન કરો.

જે પણ અનુભવ થાય જેમ કે પેટમાં ગરબડ થવી એને જોઈ, જાણીને સ્વીકાર કરવો, ભલે થાય, છતાં ધ્યાન શ્વાસ ઊપર આપવું.

આ બધા શારીરિક ચિહ્નોથી ભયભીત ના થવું, શાંતિ રાખવી.એનો પ્રતિકાર કે વિરોધ ના કરવો... આ પણ ચાલ્યું જશે એમ વિચારવું.

ખોટા ખોટા, જો અને તો ના વિચારો ના કરવા. આમ થશે તો,તેમ થયું હોત તો ભવિષ્યમાં તો ના જ જવું.

અત્યારે દુઃખ છે પણ થોડા સમયમાં શમી જશે, આરામ થશે જ સ્થિતિ બદલાશે જ. એવો અભિગમ રાખવો.

પથારીમાં સૂતા રહીને ખોટા વિચારો કરવા કરતાં હળવું કામ કરવું વધારે યોગ્ય રહેતું હોય છે.

હમત ને આત્મવિશ્વાસ અમૂલ્ય મૂડી છે. એને વધારવાથી ચમત્કારિક ફેરફારો સર્જાશે.

આવી ચતા કે તાણ વખતે બીજાની મદદની જરૂર પડી શકે છે તેથી કોઈ સંકોચ વગર મદદ લેવી.

કયારેક આવા સમયે આપણે નિર્ણય ના પણ લઈ શકીએ તો હમત ના હારવી.

ચતાનો સામનો કરો, સ્વીકાર કરો, યોગ્ય પગલાં લો અને આ સમય પણ વીતી જશે, સૂરજ ઉગશે ને સવાર પડશે જ... તેવો અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરો!

Monday, April 11, 2011

ખાનગી કંપનીઓના ૫૨ ટકાથીવધુ કર્મચારીઓને ગંભીર બીમારીઓ




આધુનિક જીવનશૈલી, જંક ફૂડ ખાવાની આદતથી થતી બીમારીની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ અને દિલ્હી શહેર ટોપમાં.

પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા અડધાથી વધુ કર્મચારીઓ તેમની જીવનશૈલીના કારણે મેદસ્વીતા, ડિપ્રેશન, હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ જેવી બીમારીઓથી પીડાય છે. એસોસિયેટેડ ચેમ્બર્સ આૅફ કોમર્સ અૅન્ડ ઈન્ડસ્ટ્રી આફ ઈન્ડિયા (એસોચેમ) દ્વારા અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂણે, ચંડીગઢ જેવા મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માહિતી મળી છે.

લાઇફ સ્ટાઇલ સાથે સંકળાયેલી બીમારીઓની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ, પૂણે અને ચેન્નાઇ છે. જેમાં દિલ્હીનું નામ પ્રથમ ક્રમે છે. રોગને અટકાવે તેવી આરોગ્ય સંભાળ યોજનાઓના અભાવને કારણે કંપનીઓના કામ કરતા ૫૨ ટકા કર્મચારીઓ આધુનિક જીવનશૈલી ખાસ કરીને ખાવાની આદત સાથે સંકળાયેલી બીમારીથી પીડાય છે.

૨૪ ટકા કર્મચારીઓ જૂની બીમારીઓથી અને ૧૮ ટકા કર્મચારીઓ ગંભીર બીમારીથી પીડાય છે. આ અભ્યાસ માટે દરેક શહેરમાંથી ૧૫૦ કર્મચારીઓની પસંદગી કરાઇ હતી. આરોગ્ય સંદર્ભે અભ્યાસ કરતા સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૬ ટકા કર્મચારીઓ મેદસ્વીતાથી પીડાય છે.

જે જીવનશૈલી સંબંધિત બીમારીનો એક ભાગ છે. બીજાક્રમે ડિપ્રેશન છે. ૧૮ ટકા કર્મચારીઓ ડિપ્રેશનથી પીડાય છે. હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) અનુક્રમે ૧૨ ટકા અને ૧૦ ટકા સાથે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે.

ઓન્ડિલાઇટિસ ૮ ટકા,હૃદયરોગ ૬ ટકા, ર્સિવકલ ૫ ટકા, દમ ૪ ટકા, સ્લિપ ડિસ્ક ૩ ટકા અને સંધિવા ૨.૫ ટકા એવી બીમારીઓ છે કે જેનાથી કામ કરતા કર્મચારીઓ પીડાય છે.

શારીરિક સુસ્તી બાબતે અહેવાલમાં જણાવાયું છે કે ૩૮ ટકા જેટલા કર્મચારીઓ વ્યાયામ કરતા નથી. જયારે
૧૮ ટકાથી ઓછા કર્મચારીઓ સપ્તાહમાં એક કલાક કરતાં પણ ઓછો સમય શારીરિક શ્રમ કરે છે. તેવી જ રીતે ૪ ટકા કર્મચારીઓસપ્તાહમાં ૧ થી ૩ કલાક વ્યાયામ કરે છે અને ૨.૫ ટકા કર્મચારીઓ કેલરી બાળવા
માટે સપ્તાહમાં ૩ થી ૬ કલાક કસરત કરે છે. આરોગ્ય સંભાળ માટે નાણાકીય વર્ષમાં ૩૮ ટકા કર્મચારીઓ રૂા. ૫૦૦ થી ૫૦૦૦નો ખર્ચ કરે છે.

જયારે ૪૩ ટકા કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ આરોગ્ય સંભાળ પાછળ એક વર્ષમાં રૂા. ૫૦૦થી પણ ઓછો ખર્ચ કરે છે. જયારે ૧૮ ટકા કર્મચારીઓ વર્ષે ૫૦૦થી ૫૦ હજાર જેટલો ખર્ચ કરતા હતા કારણ કે તેઓ મધુપ્રમેહ, યકાૃતની બીમારીઓ, મૂત્રપડની બીમારી, હાઇબ્લડ પ્રેશર અને સ્ટ્રોકથી પીડાઇ રહ્યા છે.

Friday, April 8, 2011

૫૩ ટકા ભારતીયો સલાહ વગર એન્ટીબાયોટીક લે છે

ભારતમાં દવાના ઊપયોગના સંબંધમાં સામાન્ય લોકોમાં ભારે બેદરકારી પ્રવર્તે છે. જેના પરિણામ સ્વરૂપે
મોટી સંખ્યામાં લોકોના રિએકશનના કારણે મોત પણ થવાના બનાવ સપાટી પર આવી ચુકયા છે.

વારંવાર એવા અહેવાલ પ્રકાશિત થતા રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો કોઇના પણ
સલાહ સુચન વગર લોકોના કહેવા મુજબ દુખાવાને દૂર કરવા દવાનો ઊપયોગ કરે છે.

હવે વર્લ્ડહેલ્થ ઓર્ગોનાઈઝેશનને હવે આ બાબતને સમર્થન આપી દીધુ છે. વર્લ્ડહેલ્થ (ડબલ્યુએચઓ) દ્વારા
કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં ૫૩ ટકાથી વધુ ભારતીય લોકો તબીબોની
સુચના વગર એન્ટી બાયોરટીકસ દવાનો ઊપયોગ કરે છે આ બાબત તમામને ચાકાવી દે તેવી છે.

દવાઓના ઊપયોગના સંબંધમાં આ અહેવાલ ચતા ઊપજાવે છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે સામાન્ય ગણાતી શરદીની તકલીફ માટે પણ જો તબીબની દવા કામ ન કરે તો તેઓ તબીબને બદલી કાઢે છે.

કોડ જેવી દવા નહ લખી આપવા બદલ પણ ૪૮ ટકા જેટલા ભારતીયો તબીબને બદલી કાઢે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ઘણા પરિવારમાં જુદીજુદી તકલીફ અથવા તો પીડા માટે એન્ટી બાયોરટીકસ દવા ઘરમાં
રાખવામાં આવે છે.

Thursday, April 7, 2011

Vitamin D - કમી ખતરનાક સાબિત થઈ શકે

વિટામિન ડી શરીર માટે ખુબ ઊપયોગી છે. તેની કમી ખતરનાક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોના શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઘટી જવાથી શરીરમાં રહેલી ધમનીઓ વધારે કઠોર બની જાય છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ર્જોિજયા ટેક પ્રીડિકટીવ હેલ્થ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકો હાલમાં આ સંબંધમાં વધુ સંશોધન કરી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસના પરિણામ દર્શાવે છે કે વિટામિન ડીની અછતથી રકતવાહિનીઓના સ્વાસ્થ પર અસર થાય છે.

જેથી બ્લડપ્રેશર વધી શકે છે. ઊપરાંત હાર્ટ સાથે સંબંધિત બિમારી પણ વધી જાય છે. અભ્યાસમાં સામેલ થયેલા જે લોકોએ વિટામિન ડીનું પ્રમાણ વધારે લીધુ તેમની રકતવાહિનીના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો.

તેમનામાં બ્લડપ્રેશર પણ ઘટી ગયું હતું. અભ્યાસમાં આશરે સંસ્થાના ૫૫૦ કર્મચારીઓ સામેલ થયા હતા.

Green Coconut Health Benefits - ગરમીમાંમાંગમાં વધારો

વહેપારીઓના મત અનુસાર ગોવા કરતાં સૌરાષ્ટ્રના નારિયેળ વધુ પીવાય છે.

હાલમાં કોપરા વાળા કરતાં પાણી વાળા નારિયેળ વધુ વેચાય છે.લીલા નારિયેળમાં પાણીવાળુ અને કોપરાવાળુ બે નારિયેળ આવે છે. સામાન્ય દિવસોમાં કોપરાવાળા નારિયેળની માંગ વધુ રહે છે. જયારે ઊનાળામાં લોકો પાણીવાળા નારિયેળ વધુ માંગે છે. જેથી હાલમાં પાણીવાળા નારિયેળ વધુ વેચાય છે. જેના કારણે તેની માંગ પણ વધુ રહે છે. અને જેના કારણે પાણીવાળા નારિયેળ વધુ મંગાવવાય છે. જેનો ભાવ ૨૦ રૂપિયા સુધીનો હોય છે.

નાના નારિયેળના ૧૦ થી ૧૨ મોટાના ૧૮ થી ૨૦ ઠંડા કરીને વેચાતા નારિયેળની વધુ માંગ છે.

રાજયમાં ઊનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સાથે જ ગરમીથી બચવાના પણ નિતનવા કિમિયાઓ લોકો અપનાવે છે. તેમાં પણ બપોરના સમયે ગરમીથી બચવા હવે લોકો લીલા નારિયેળ તરફ વળ્યા છે. અને તે પણ ઠંડા પહેલા એમ જ વેચાતા લીલા નારિયેળ હવે ઠંડા કરીને વેચવામાં આવે છે.

જેના કારણે લીલા નારિયેળનો ભાવ વધીને ૨૦ થઇ ગયો છે. સામાન્ય રીતે લીલા નારિયેળ સ્વાસ્થ્ય માટે પણ સારા ગણવામાં આવે છે. જેથી તેનો ઊપયોગ બારેમાસ થતો હોય છે. પરંતુ હાલમાં ઊનાળાની ગરમી સાથે લીલાનારિયેળને ઠંડા કરીને વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે.

જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. ૮થી૧૦ રૂપિયામાં વેચાતું નારિયેળ હવે ૧૮ થી ૨૦ રૂપિયામાં વેચાય છે. અને તેમાં પણ સાઇઝ પ્રમાણે ભાવ વધતા ઘટતા રહે છે. ઊનાળામાં ગરમીથી રાહત મળે તે માટે થઇને પહેલા લોકો ઠંડા પીણા પીતા હતા પરંતુ હવે દેશી નારિયેળને ગરમીથી ઠંડક મેળવે છે.

સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ઊત્તમ ગણાય છે. આ સંદર્ભે વાત કરતા પાલડી વિસ્તારમાં લીલા નારિયેળની દુકાન ધરાવતા ગનાભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે લીલુંનારિયેળ તો બારે માસ વેચાય છે. પરંતુ સમય
પ્રમાણે તેના ભાવ વધ ઘટ થયા કરે છે.

તેમાં પણ સૌરાષ્ટ્રના નારિયેળની માંગ વધુ હોય છે કારણ કે ત્યાનાં નારિયેળ મોટા અને વધારે પાણી વાળા હોય છે.

જયારે ગોવાના અને મહારાષ્ટ્રના નારિયેળની સાઇઝ નાની હોય છે. છેલ્લાં બે વર્ષથી ઠંડા નારિયેળનો ક્રેઝ વધ્યો છે.

સાથે જ નારિયેળને ઠંડા રાખવાની મથામણના કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે. જેથી હાલમાં મારાત્યાં જે નારિયેળ ૮ થી ૧૦ રૂપિયામાં મળતું હતું તે મોટું નારિયેળ ૧૮ થી ૨૦ રૂપિયામાં અને નાનુ નારિયેળ ૧૨ થી ૧૫ રૂપિયાનું વેચાય છે. સવારે ૧૧ વાગ્યાથી મોડી સાંજ સુધી નારિયેળનું વેચાણ થાય છે.

આમ ઊનાળાની શરૂઆતમાં જ લીલાનારિયેળના ભાવમાં વધારો થયો છે.

Wednesday, April 6, 2011

Lemon Health Benefits - પૂરા સોળ ગુણ

 લબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમ લબુનો રોજદો ઊપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીનો જેમ લબુની ખટાશ નુકસાનકારક નથી.

નિર્ભયતાથી તેનો દરરોજ ઊપયોગ કરી શકાય છે. આમલી લબુની તુલના આ રીતે કરવામાં આવી છે. આમલીનાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ.

આવા ગુણકારી લીંબુને જીવભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે. મોસંબી, સંતરા, ચકોતરાં,
પપનસ, બિજોરાં વગેરે લબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.

ગુણધર્મો :- લબુ ખાટું, ઊષ્ણ, પાચનપ દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકરપ તીખું અને તૂરુ છે. એ કફ, ઊધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજીયાત, કોલેરા, ગુલ્મ અને આમવાતને દૂર
કરનાર, કાૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ધ રહેવાથી તંદુરસ્તી જળવાય છે.

લબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.  લબુના રસમાં સધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.  એક ગ્લાસ નવશેકા પાણીમાં અર્ધું લબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકાૃત (લીવર)ની તકલીફ મટે છે.

લબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.  એક ચમચી લબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.

એક લબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.

એક લબુનો રસ કાઢી તેમાં સધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.

લબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે. લબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.

એક ચમચી લબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો
હુમલો બેસી જાય છે.  એક ગ્લાસ ઠંડા પાણીમાં એક લબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.

દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લબુવાળુ પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.

લબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ભટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે. અને દુખાવો મટે
છે.

લબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.  લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે.

તેમજ તે સુંવાળા  તથા ચમકદાર બને છે, તે ઊપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.  ચહેરાની કાંતિ વધારવા માટે:-

લીંબુ નીચોવી લીધા પછી છાલ ફકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.

મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કાંઠે એક ગ્લાસ સામાન્ય ઠંડા પાણીમાં લબુનો રસ નાખી પીઓ.

મોટું લબુ હોય તો અર્ધી લબુનો રસ પૂરતો છે. નાનું લીંબુ હોય તો આખા લબુનો રસ નાખવો.

Mouth Cancer - ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર

 ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર વધારે સમય જો મોંમાં રહે તો મોં નું કેન્સર થવાની શકયતા વર્ષે ૧૨ લાખથી વધુ લોકોના ગુટખા ખાવાથી મોત થાય છે.

આજની ભાગદોડભરી આધુનિક જીવનશૈલીમાં માણસ પણ આધુનિક વિચારો ધરાવતો થયો છે, પરંતુ આપણે અહિંયા આધુનિક એટલે એ કે આજના ટીનેજર હોય કે પુખ્ત વયના યુવાનો તેમને કોઈને કોઈ વ્યસન હોય જ છે.

એમાના કેટલાક અપવાદ હોઈ શકે પરંતુ આજે મોટાભાગે લારીગલ્લા પર જોઈએ તો નાના મોટા કાં તો સિગારેટના ધૂમાડા ફુંકતા હશે કાં તો ચૂનો મસળીને તમાકુ ખાતા હશે.

આજે તમાકુ, ગુટખા, સિગારેટની આદત ધરાવતા લોકોમાં દિન-પ્રતિદીન વધારો થતો જાય છે, તેમા સૈથી ગંભીર પ્રશ્ન એ છે કે આજના ટીનેજરોમાં સિગારેટ અને ગુટખાની આદત વધતી જણાય છે એત અંદાજ મુજબ દેશમાં આશરે દરવર્ષે ૧૨લાખથી વધુ લોકો ગુટખા કે તમાકુની ખરાબ લતને કારણે માૃત્યુ પામે છે.

આ અંગે વિગતે જણાવતા ડો. પ્રશાંત પીઠવા કહે છે, આજે લોકો કોઈને કારણોસર વ્યસની બન્યા છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમા આજનો સૈથી ગંભીર પ્રશ્ન એ કે કોલેજીયન યુવકોની સાથે યુવતીઓ પણ બેફામ સિગારેટની મજા માણે છે.

Heart Beats - મોબાઈલ ચાર્જ થશે

 મોબાઈલ ને હવે દિલના ધબકારાથી ચાર્જ કરવામાં આવશે. હાલમાં સામાન્ય લોકોને આ વાતમાં વિશ્વાસ નહી થાય પરંતુ આ વાતને વાસ્તવિકતામાં ફેરવી નાંખવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આગામી દિવસોમાં આ બાબત સાચી સાબિત થશે. વૈજ્ઞાનિકોની એક ટીમે હવે એક એવી ચીપ બનાવી છે જે શરીરના ધબકારાને એનર્જીમાં બદલી નાંખશે. આ ટેકનિકનો ઊપયોગ ટુંક સમયમાં જ મોબાઈલને ચાર્જ કરવા માટે કરવામાં આવશે.

આ ટેકનિક મારફતે મોબાઈલને ચાર્જ કરવામાં આવશે.

Tuesday, April 5, 2011

Benefits of Drinking Tea Without Milk - વજન ઘટાડવા માટેખૂબ જ ઊપયોગી

 ચામાં દૂધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતાની સામે લડવાના તત્વોમાં વધારે અસરકારક રહેતા નથી.

ચામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે તે બાબતથી દરેક વ્યકિત સારી રીતે વાકેફ છે. આ તત્વો વજનને ઘટાડવામાં ખુબ ઊપયોગી હોય છે. પરંતુ તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જો ચામાં દુધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતા સામે લડવા માટેના તત્વો વધારે અસરકારક
રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જ આ રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ઘણા તારણો આપ્યા છે.
રિસર્ચ મુજબ ચામાં વજન ઘટાડે તેવા તત્વો હોય છે. પરંતુ ગાયના દુઘમાં રહેલુ પ્રોટીનનું પ્રમાણ વજનને
ઘટાડવાની ક્ષમત પર માઠી અસર કરી શકે છે.

ચામાં રહેલા થીફલેવિન્સ અને થિરોબિગિન્સ શરીરમાં ચરબીના પ્રમાણને ઘટાડવા અને કેલોસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ ઊપયોગી છે.

આસામના ટી રીસર્ચ એસોશિએશનના સંશોધકોએ ઉંદરો પર તાજેતરમાં શોધ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે દુધ વગરની ચાર વજન ઘટાડવામાં ઊપયોગી છે.