Friday, October 21, 2011

Bathing Health Benefits - સ્નાન કરો સ્વસ્થ રહો


કટી સ્નાનમાં ઉપયોગમાં લેવાતા ટબમાં એવી રીતે બેસવામાં આવે છે, જેમાં કમરથી નીચેનો ભાગ પાણીની અંદર ડુબી જાય છે પેટ અને જનનાંગો પર ટબના પાણીનો દબાવ પડે છે.

સ્નાન કરવાથી કેટલાયે પ્રકારના રોગોને દૂર કરી શકાય છે. પ્રાકૃતિક ચિકિત્સામાં આને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. કટિ સ્નાનના પણ કેટલાયે ફાયદા છે. સ્ત્રી રોગો માટે આ એક આદર્શ વૈકલ્પિક ચિકિત્સા છે.

કટિ સ્નાન :- કટિ સ્નાન માટે ખાસ પ્રકારના બનેલા ટબ બજારમાં મળે છે. તેને માટે ધાતુ અને પ્લાસ્ટિક બંને પ્રકારના ટબનો ઉપયોગ કરી શકાય છે. આ ખાસ પ્રકારના ટબમાં એવી બેસવામાં આવે છે. જેમાં કમરથી નીચેનો ભાગ પાણીની અંદર ડુબી જાય છે પેટ અને જનનાંગો પર ટબના પાણીનો દબાવ પડે છે. આને વધારે પ્રભાવશાળી બનાવવા માટે એક ટુવાલ લઈને તેને હાથ વડે પેટ પર ફેરવતાં જવું.

પાણીનું તાપમાન ઋતુને અનુસાર ઠંડુ અને ગરમ રાખી શકાય.

કેટલી વાર :- કટિ સ્નાનને શરૂઆતમાં પ-૧૦ મિનિટ સુધી કરવામાં આવે છે અને ધીમે ધીમે તેની વધારીને ૩૦ મિનિટ સુધી કરવામાં આવે છે.

શું ફાયદા છે :- પેટ પાણીમાં ડુબેલું રહે છે તેને લીધે આંતરડામાં રોકાયેલ મળ ઢીલો પડી જાય છે. આને પુર્ણ રૂપે કાઢવા માટે પેટ પર એક ભીનો ટુવાલ લપેટી લેવો. આને હળવા હાથે જમણી બાજુથી ડાબી બાજું માલિશ કરતાં તે જગ્યાએ પાછા ફરો. ત્યાર બાદ એનિમા લગાવીને આંતરડાની સફાઈ કરી લો, આનાથી પેટ અને કમરનો ભાગ હળવો થઈ જશે. જુના મળને લીધે થતી બિમારીઓ જેવી કે અપચો, રક્તવિકાર અને ત્વચાને સંબંધીત રોગો પણ દૂર થઈ શકે છે. જાડાપણું અને પેટને લગતી બિમારીઓથી હંમેશા માટે છુકકારો મળી શકે છે.

સાવધાની :- યાદ રાખવું કે કટિ સ્નાન કરતી વખતે હાથ-પગ અને શરીરના અન્ય ભાગને પાણી અડકે નહિ. જો તે પલળી જશે તો કટિ સ્નાનના ફાયદાથી વંચિત રહી જશે.

Wednesday, October 5, 2011

Homemade Beauty Masks Tips 2011


ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારું રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બસ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.

સ્કિન બ્રાઈટનિંગ માસ્ક - ૨-૨ટી સ્પૂન બદામનું પેસ્ટ, મધ અને આલુ (જળદાળુ)નું પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ચમક આવશે.

નરીશિંગ માસ્ક - ૨ ટી સ્પૂન સોયાનો લોટ, ૨ ટી સ્પૂન મધ, ૧ ટેબલ સ્પૂન મલાઈ લો આ બધાને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર તેમજ ગળા પર લગાવો, ૧૦-૧પ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

ક્લીજિંગ માસ્ક - ૩ ટી સ્પૂન મુલતાની માટી, ૧ ટી સ્પૂન દહી, અડધુ ટામેટું અને પ બૂન્દ ઓરેંન્જ એસેશિયલ ઓઈલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી ૨૦ મિનિટ સુધી રહેવા દો, પછી ચહેરો ધોઈ નાખો.

ફેસ ગ્લોઈંગ માસ્ક - તાજા ફળ અને શાકભાજીઓ લઈને સારી રીતે મેશ કરી લો તેમાં ૨ ટી સ્પૂન દહી અને ૩ ટીપાં લેમન એસેશિયલ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ૧૫-૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.

Thursday, September 22, 2011

Monsoon Health Care Tips - For Healthy Hair


વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બેથી ત્રણવાર માથુ ઓળાવવું જોઈએ અને બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરવો જોઈઅ.

ચોમાસાની ઋતુમાં વાળની સમસ્યા વધી જાય છે. ખોડો, વાળ ખરવા, ફોલ્લીઓ થવી, ફંગલ ઈંફેક્શન વગેરે થવું આ ઋતુમાં સામાન્ય વાત છે.

આ ઋતુમાં વાળની દેખરેખ અને સુરક્ષાના કેટલાક પ્રાકૃતિક અને સામાન્ય ઉપાય જે તમે અપનાવી શકો છો.

તેમાંથી જે તમને સારા લાગે તેનો ઉપયોગ કરી શકાય છે.

કાળી ચોખ્ખી માટી, લીમડાનો પાવડર, આમળાનો પાવડર અઠવાડિયામાં બે વાર લગાવો.

મધ અને દહીનું મિશ્રણ અઠવાડિયામાં એકવાર લગાવો.

મેથીના દાણા આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો.

વાળને શિકાકાઈ, અરીઠા અને આમળાથી ધુઓ.

છાલટાવાળી મગની દાળ અ ન્ દહીં આખી રાત પલાળી રાખો. સવારે તેનું પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. અસ્થમામાં આનો ઉપયોગ ન કરો.

વાળમાં સમાજ જરૂર કરો
સ્ટીમ બાથ લો
સૂર્ય સ્નાન કરો
ગરદનની કસરત કરો
પ્રાણાયામ અને મેડિટેશન કરો
ભરપૂર પાણી પીવો
પૂરતી ઉંઘ લો
વાળને સ્વચ્છ રાખવા માટે દિવસમાં બે-ત્રણવાર કાંસકો કરો.
બીજાનો કાંસકો, ટુવાલ વગેરે ક્યારેય ન વાપરો.

મહિલાઓ માટે વિશેષ

જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.

રાત્રે સુતી વખતે મહિલાઓએ વાળ બાંધીને ન સુવું જોઈએ તેને ખુલ્લા રાખવા જોઈએ.

વાળની અંદર જો જુ કે ખોડો થઈ જાય તો લીમડાના તેલની માલિશ કરો. તુલસીના પાનને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે. કરંજનું તેલ લગાવવાથી પણ જુવો મરી જાય છે.

દિવસ દરમિયાન કોમળ તડકામાં વાળને ખુલ્લા મુકીને હવાની અંદર ૨૦ મિનિટ સુધી સુકાવા દો. વધારે પડતાં
સૂર્યના તાપથી વાળને બચાવો.

બે મુઢા વાળા વાળ થઈ ગયાં હોય તો તેને તુરંત જ કપાવી દો.

જે દિવસે વાળ ધોવાના હોય તેના આગલા દિવસે વાળની અંદર તેલની માલિશ કરો તેનાથી વાળ ધોયા બાદ તેલ નાંખવાની જરૂરત નહિ રહે અને વાળની અંદર ચીકાશ પણ નહિ રહે.

ભીના વાળની અંદર ક્યારેય પણ કાંસકો ફેરવશો નહિ તેનાથી વાળ વધારે તૂટે છે. વાળ સુકાઈ જાય ત્યાર બાદ પહેલાં પોતાની આંગળીઓ વડે વાળની ગુંચ કાઢો ત્યાર બાદ કાંસકાનો ઉપયોગ કરો.

ચોખાના ધોવાણથી વાળ ધોયા બાદ થોડાક નવાયા પાણી વડે વાળ ધોઈ લો તેનાથી વાળની અંદર જોરદાર ચમક આવી જશે.

ચાર પાંચ કપ અંદર ચાની પત્તી નાંખીને ઉકાળો અને તેને વાળ ધોયા બાદ અંતમાં વાળની અંદર નાંખી દો તેનાથી તમારા વાળ ખૂબ જ ચમકીલા બનશે.

Wednesday, September 14, 2011

Vitamin A Health Benefits - પેનક્રિયાઝના કેન્સરને રોકવા ખૂબ ઉપયોગી

ભારતીય મૂળના ટોચના તબીબ હેમંત કોચરના નેતૃત્વમાં કરવામાં આવેલા રિચર્સનું તારણ.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિટામીન એ પેનક્રિયાઝના કેન્સરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. આ રિસર્ચ ગ્રૂપનુંનેતૃત્વ કરી રહેલા બાટ્ર્સ કેન્સર ઇન્સ્ટ્યુટના ભારતીય મૂળના તબીબ હેમંત કોચરે મહત્વપૂર્ણ માહિતી અભ્યાસ બાદ જારી કરી છે. પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિની બીમારી અંગે માહિતી મળી ગયા બાદ મોટાભાગના લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.

પેનક્રિયાઝના કેન્સરથી ગ્રસ્ત વ્યક્તિને પોતાના રોગ અંગે માહિતી મળ્યા બાદ તે દહેશતના કારણે વધુ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. સિચર્સમાં જાણવામળ્યું છે કે આ બીમારીમાંસંકળામણ કરતી કોષીકાઓની નજીકની કોષીકાઓમાં વિટામીન એનું સ્તર વધી જવાથી કેન્સરનાફેલાવાને રોકી શકાય છે.આ બીમારીમાં અસરગ્રસ્ત કોષીકા અન્ય કોષીકામાં રોગને ન ફેલાય તે માટે પ્રયાસ કરી શકાય છે.

બિ્રટનના જાણીતા અખબાર ડેઈલી એક્સપ્રેસે કોચરને ટાકીને જણાવ્યું છે કે આ રિચર્સ મારફતે બીમારીની સારવાર માટે જુદા જુદા તરીકા અંગે માહિતી મળી શકે છે. તબીબ કોચરનું કહેવું છે કે આ રિચર્સ ૧૮૮૯ના સૂચિત કરવામાં આવેલી એક ગણતરી ઉપર આધારિત છે.

Saturday, September 3, 2011

Jewellery Tips 2011 - ટ્રેંડી જવેલરી રીચ લુક


આજકાલ હવે લગ્નમાં સોનાના આભુષણોનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે તેની જગ્યા હવે આર્ટીફીશિયલ
જવેલરીએ લઈ લીધી છે કેમ કે તે પોતાના ડ્રેસ સાથે મેચિંગમાં પણ સરળતાથી મળી રહે છે.

ખાસ કરીને જયારે લગ્ન હોય કે કોઈ પ્રસંગ હોય તે વખતે આપણે ખાવાનું મેન્યુ, કેટરર અને અન્ય બાબતોની
વ્યવસ્થા પહેલાં કરી લઈએ છીએ ત્યાર બાદ આપણને યાદ આવે છે કે હવે આપણે પોતાના માટે કપડાં અને જવેલરીનું તો કામકાજ બાકી જ છે તો તે વખતે આપણને જે સૌથી ટુંકો રસ્તો દેખાય છે તે સ્વીકારીએ છીએ જેમ કે ભાડે મળતી જવેલરી.

દરેક સ્ત્રી ઈચ્છે છે કે પ્રસંગને દિવસે પહેરવાની જવેલરી કંઈક ખાસ હોય. મહત્વની બાબત તે પણ છે કે માત્ર તે ખાસ દિવસ માટે લીધેલ ડ્રેસ ત્યાર બાદ સુટકેસની શોભા બનીને રહી જાય છે.

સાથે સાથે જવેલરી પણ લોકરમાં જ પડી રહે છે. કેમ કે આજકાલની છોકરીઓ ખુબ જ મોટી સંખ્યામાં કામકાજી હોય છે. તેથી આવામાં તેમને સાધારણ કપડાં તો પસંદ નથી આવતાં. આના માટેનો એક સરળ ઉપાય છે.

ભાડાનો ડ્રેસ અને જવેલરી. હવે આ ક્ષેત્ર પહેલાં કરતાં વધારે વ્યાવસાયિક વિસ્તૃત થઈ ગયું છે. હવે તમને
સરળતાથી ભાડાના કપડાં, જવેલરી અને ઈવનિંગ ગાઉન આપનારા મળી જશે. તેઓ ફક્ત આટલું જ કામ કરે છે તેવું નથી પરંતુ તેમની પાસે ફ્રેશ સ્ટોક પણ હોય છે. ત્યાં તમને માત્ર ૧૦૦ રૂપિયાથી લઈને છેક હજારો સુધીની જવેલરી ભાડે મળી રહેશે.

આજકાલ ખાસ કરીને બ્યુટીશીયનો પણ આ જ સલાહ આપે છે આ એક ફાયદા જેવી બાબત પણ છે. કેમ કે લગ્ન કે કોઈ પાર્ટીમાં પહેરવામાં આવતી જવેલરી અને ચોલી ત્યાર બાદ અન્ય કોઈ પાર્ટી કે કોઈ પ્રસંગે વારંવાર કામ નથી લાગતી. તો આવા સમયે ભાડેથી લેવાયેલ જવેલરી અને ડ્રેસીસ દરેક વખતે તમને તમારા જ બજેટમાં
એક નવો લુક આપશે. હા પણ ભાડેથી લેતાં પહેલાં સમય હાયજીન અને તે ફ્રેશ છે કે નહિ તે વાતનું ખાસ ધ્યાન રાખો. આજકાલ હવે લગ્નમાં સોનાના આભુષણોનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે તેની જગ્યા હવે આર્ટીફીશિયલ જવેલરીએ લઈ લીધી છે કેમ કે તે પોતાના ડ્રેસ સાથે મેચિંગમાં પણ સરળતાથી મળી રહે છે.

વળી તાજેતરમાં જોધા અકબરની જવેલરીની ખુબ જ ડિમાંડ છે. તેમાં પણ હેવી વેયરથી લઈને લાઈટ વેયરમાં તમારી ઈચ્છા મુજબના આભુષણો સરળતાથી બજારમાં મળી રહે છે. તેના માટે બસ તમારું પોકેટ થોડુક ગરમ
હોવું જોઈએ.

Thursday, August 18, 2011

યુવાનોમાં હંમેશા લોકપ્રિય એવા જીન્સનો ઇતિહાસ


ફેશન ડિઝાઇનરો એ જીન્સની આધુનિક ડિઝાઇન તૈયાર કરવામાં લાગી ગયા. અવનવી ડિઝાઇનોને લઇને આ સદીમાં જીન્સનું ધૂમ વેચાણ થયું. એટલા વર્ષોમાં જીન્સની કોઇ ફેશન બદલાઇ નહોતી પરંતુ વર્ષ ૧૯૯૦માં જીન્સ ઘણી નવી ફેશનમાં જોવા મળી હતી.

વર્ષ ૨૦૦૦ના યુગમાં જીન્સનો ડેનિમના રુપમાં નવો પ્રવેશ થયો હોય તેવું જણાતું હતું. ભૂરા રંગ સિવાય પણ બીજા અનેક જુદા જુદા રંગમાં જીન્સે આ દરમ્યાન બજારમાં પ્રવેશ કર્યો હતો.

આ સદીમાં જીન્સ જે વિવિધ ને નવી ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી તે આજે યુવાનોમાં જ નહીં પણ મોટી ઉંમરના લોકોમાં પણ પસંદગી પામી છે.

જીન્સ એ કોઇપણ યુવક કે યુવતીની પહેલી પસંદ જ હશે! ૧૮મી સદીમાં જીન્સનું ચલણ વધારે હતું.જીન્સનો સ્ટફ ઘણો ખુલ્લો હતો જેથી કામ કરતાં તે ક્યાંય ભરાઇ જતો કે ફાટતો નહોતો. તે વખતે વેપાર, મજૂરી ને કોટન પ્લાન્ટેશનને લઇને કર્મચારીઓને જીન્સ પહેરવું ઘણું અનુકૂળ આવતું.

૧૯મી સદીમાં સોનાની ખાણમાં કામ કરતાં મજૂરોએ સરળતાથી ફાટે નહીં તેવા કપડાંની શોધ કરી હતી. વર્ષ ૧૮૫૩માં
લીઓબ સ્ટ્રોસે મજૂરોની જરુરિયાત મુજબના કાપડનો જથ્થાબંધ વેપાર શરુ કર્યો હતો. લીઓબ સ્ટ્રોસે તેને કારખાનામાં તૈયાર થતા જીન્સ લીઓબ કાપડનું નામ બદલીને લિવાઇઝ કરી દીધું હતું. વર્ષ ૧૯૩૦ની સદીમાં કાઉબોય જીન્સ પહેરતા હતા. આ સદીમાં આવનારી ફિલ્મોને લઇને પણ કાઉબોય જીન્સનું નામ જાણીતું થઇ ગયું હતું. વર્ષ ૧૯૪૦ના બીજા
વિશ્વયુધ્ધ દરમ્યાન જીન્સનું ઉત્પાદન ઘટ્યું હતું. પરંતુ તે વખતે જયારે અમેરિકાના સૈનિકો ફરજ પર નહોતા ત્યારે જીન્સનો ઉપયોગ કરતાં. યુધ્ધ પછી રેંગલર ને લી જીન્સની કંપનીઓ બજારમાં આવી. વર્ષ ૧૯૫૦ના યુગમાં યુવાનોમાં
ડેનીમ ઘણી જાણીતી થઇ. વર્ષ ૧૯૬૦ થી ૭૦ના દાયકાની ફેશન થોડી જુદી હતી. આ દરમ્યાન હિપ્પીકલ્ચ ર ઘણું જાણીતું હતું. તેથી ભરતવાળી ને ડીઝાઇનવાળી જીન્સ યુવાનોમાં લોકપ્રિય બની હતી. જો કે આ દરમ્યાન જીન્સનો પશ્ચિમી સંસ્કૃતિમાંથી બિનપશ્ચિમી રાજયોએ તેનો વિરોધ કર્યો હતો. વર્ષ ૧૯૮૦ ડિઝાઇનર જીન્સનો જમાનો હતો.

આ દરમ્યાન જીન્સને ઊંચી ફેશન માનવામાં આવતી હતી. ફેશન ડિઝાઇનરો એ જીન્સની આધુનિક ડિઝાઇન તૈયાર કરવામાં લાગી ગયા.

અવનવી ડિઝાઇનોને લઇને આ સદીમાં જીન્સનું ધૂમ વેચાણ થયું. એટલા વર્ષોમાં જીન્સની કોઇ ફેશન બદલાઇ નહોતી પરંતુ વર્ષ ૧૯૯૦માં જીન્સ ઘણી નવી ફેશનમાં જોવા મળી હતી. વર્ષ ૨૦૦૦ના યુગમાં જીન્સનો ડેનિમના રુપમાં નવો પ્રવેશ થયો હોય તેવું જણાતું હતું. ભૂરા રંગ સિવાય પણ બીજા અનેક જુદા જુદા રંગમાં જીન્સે આ દરમ્યાન બજારમાં
પ્રવેશ કર્યો હતો. આ સદીમાં જીન્સ જે વિવિધ ને નવી ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી તે આજે યુવાનોમાં જ નહીં પણ
મોટી ઉંમરના લોકોમાં પણ પસંદગી પામેલ છે.

Saturday, May 7, 2011

Coconut Oil Health Benefits - For Skin Care

આપણા સૌના સાદર્ય ને દેખાવનો મુખ્ય આધાર ત્વચા પર રહેલો છે. તેથી જ ત્વચાની સૌથી વધુ સંભાળ રાખવામાં આવે છે. કેટલાંક તૈયાર સાદરેય પ્રસાધનોની સાથે આપણા રોજદા આહારમાં લેવાતા તત્વોનું પણ મહત્વ ઘણું હોય છે.

પ્રાચીનકાળથી આપણે ત્યાં નારિયેળ ને નારિયેળતેલની વપરાશ વધુ જોવા મળે છે.આપણી સંસ્કાતિ, પરંપરાઓ અને આપણા ખાવાપીવાની આદતોમાં નારિયેળનો એક અભિન્ન હિસ્સો રહ્યો છે.

નારિયેળ તેલમાં લગભગ ૪૦ ટકા લોરિક એસિડ હોય છે જે માતાના દૂધમાં પણ હોય છે. લોરિક એસિડ જીવાણુઓ, યીસ્ટ, ફૂગ સહિત રોગજન્ય સૂક્ષ્મજીવાણુઓને દૂર કરે છે. નારિયેળ ને નારિયેળતેલમાં ત્વચાને પોષણ આપવાની સાથે કોઈ જખ્મ પર ચમત્કારિક રીતે ફાયદો કરવાની ક્ષમતા હોય છે. તેનાથી ત્વચા મુલાયમ, નરમ ને રેશમી બને છે. અને રંગરુપ નિખરે છે.

નારિયેળતેલમાં ઘણા એન્ટિઓકિસડેન્ટ ગુણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી સુરક્ષિત રાખે છે.
નારિયેળમાં મુખ્યત્વે મીડીયમ સેન ટ્રેયગ્લિસરાઈસ એટલે કે એમ.સી.ટી હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવાના
અનેક ગુણો ધરાવે છે.

આહારમાં એમ.સી.ટી. યુકત ભોજન લેવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે ને ચયાપચયની ક્રિયામાં લાભદાયી નીવડે છે. તેમજ શરીરનું વજન પણ ઓછું થાય છે કારણે નારિયેળયુકત આહારમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય
છે. નારિયળ તેલ ડાયાબિટીસવાળી વ્યકિતને પણ લાભ આપે છે.

એમ.સી.ટી.ની વિશેષતાને કારણે નારિયેળતેલ એ અગ્નાશયના એન્ઝાઈમના ઊત્પાદનની માંગને ઓછું કરે છે
જેનાથી ભોજન સમયે જયારે ઈન્સ્યુલિન વધુ માત્રામાં તૈયાર થાય છે જેથી શરીરને અંદર ને બહાર એમ બંને રીતે ફાયદો કરે છે.

Friday, May 6, 2011

Mojari Shoes India - અવનવી અને સ્ટાઇલિશ




શૂઝ, ફલેટ ચંપલ, સ્નીકર્સ વગેરે. તેમાંય ફેન્સી અને ટ્રેડિશનલ મોજડી અત્યારે ઇનથગ છે. પહેલાં તો બ્લેક,
વ્હાઇટ, ગ્રીન, યલો, જેવા પ્લેન કલરની અને હાઇ હીલ કે પેન્સિલ હીલની મોજડી યુવતીઓને લાભાવતી હતી અને તે પહેરવાનું ચલણ વેસ્ટર્ન વેર પર વધારે રહેતું હતું.

મિની સ્કર્ટ, ફ્રોક, મીડી, ઇવનગ ગાઊન જેવા પોશાકો સાથે મોજડી સરસ લાગે પરંતુ હવે સમય સાથે તેની ડિઝાઇન પણ બદલાઇ છે. મોજડી પહેરવાના કારણે લુક એકદમ રિચ લાગે છે જયારે એથનિક મોજડી પરંપરાગત વસ્ત્રો સાથે પહેરવામાં આવે તો રજવાડી લુક મળે છે.

અત્યારે તો તમે રૂટિનમાં અને પરંપરાગત પોશાક સાથે પણ મોજડી પહેરી શકો છો. ભારે ડ્રેસીસ, સાડી કે ચણિયાચોળી સાથે ટીકી અને આભલાના વર્કવાળી મોજડી મળે છે. જેમાં કાપડ પર ખૂબ જ બારીકાઇથી ટીકી, આભલા, મોતી, સ્ટોન અને કોડી લગાવવામાં ઓ છે.

ખાસ કરીને રાજસ્થાનછ તથા કચ્છી કારીગરો આ મોજડીઓ બનાવે છે. છોકરાઓ પણ ઝભ્ભા લઘા, શેરવાની પર આવી ટ્રેન્ડી મોજડીઓ પહેરવાનું પસંદ કરે છે. અત્યારે અનારકલી ડ્રેસીસ, બાંધણીના ડ્રેસીસ સાથે યુવતીઓ રંગબેરંગી ઝૂલવાળી, છોગાવાળી તથા લટકણવાળી એથનિક મોજડી પહેરવી પસંદ કરે છે.

રૂટિનમાં પણ મોજડી યુવતીઓ વધારે છે. ખાસ કરીને જેને ચાલવાનું વધારે રહેતું હોય, કારણ કે આ મોજડીઓમાં વધારે હીલ નથી હોતી તેથી તે પહેરવાના કારણે પગ દુખતા નથી અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે.

- જે છોકરીઓની હાઇટ વધારે હોય તે ટ્રેન્ડી અને ફલેટ મોજડી પહેરીને પોતાની હાઇટ ઓછી દેખાડી શકે છે.
- વ્હાઇટ અથવા તો હળવા રંગના કુર્તા ને પાયજામાં પર બ્રાઊન, ક્રીમ કે કોફી રંગની મોજડી પહેરો.
- ચૂડીદાર પહેરો ત્યારે મોજડી પહેરશો તો ગેટઅપ સરસ આવશે.
- મોજડી ખરીદો ત્યારે શોપમાં તે પહેરીને થોડું ચાલો જેથી તે પહેરવામાં સરળ છે કે નહી તેનો અંદાજ આવે. નવી મોજડીમાં પગ છોલાતા હોય તો ત્યાં થોડું દિવેલ લગાવીને પહેરો.

Skin Care Tips - સંભાળ

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોય કે યુવાનદરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે.

કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ :- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પર્તુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો
ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી,નીમપત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.

સાબુને બદલે આયુર્વેદિક નહાવાના પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂરકાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ. તથા ત્વચા નિખરે છે.

સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.

દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.

સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે
વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

સનબર્ન :- સેન્સિટિ છ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ.

કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.

કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.

તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી સૂકી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ભેળવી રોજ-૧૫-૨૦ મિનિટ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ :- આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ
હિતાવહ છે.

કપૂરકાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ
કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.

તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.
રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.
દહીમાં ચપટી હળદર નાખીને પણ લેપ કરવાથી ફાયદો થાય છે.
વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.
કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે.
જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

Wednesday, May 4, 2011

Vegetarian Diets - આહારમાં પૂરતા પ્રમાણમાં

તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ મુજબ એ બાબત સાબિત થઈ છે કે જો યોગ્ય પ્રમાણમાં લીલા શાકભાજીનો ઊપયોગ કરવામાં આવે તો પણ વ્યકિત સંપૂર્ણપણે ફીટ રહી શકે છે.

શરીરને સ્વસ્થ રાખવામાં શાકભાજી ખૂબ મહત્વની ભૂમિકા ધરાવે છે. વટાણા, ગાજર અને પાલક જેવી શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઊપયોગી છે.

ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કેટલાંક લોકો ગમ તેટલું જમે તો પણ તેની અસર દેખાતી નથી જયારે કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ ઓછું જમતા હોવા છતાં ખૂબ સ્વસ્થ રહે છે. હકીકતમાં એ બધી બાબતો આહાર પર આધાર રાખે છે.

તમા જમવામાં કઈ ચીજ વસ્તુઓનો ઊપયોગ કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે લોકોને એ બાબતની માહિતી નથી હોતી કે તેમના શરીર માટે કઈ ચીજ ફાયદાકારક ને કઈ ચીજ નુકશાનકારક હોય છે.આ
બાબતની પૂરતી મહિતી ના હોવાના કારણે લોકો જમવામાં કોઈપણ ચીજનો ઊપયોગ કરતા હોય છે અને જેના પરિણામ સ્વરુપે જોઈએ તેટલા સ્વસ્થ રહી શકતા નથી.

વટાણાને કારણે કોઈ શાકનો સ્વાદ તો વધે જ છે એ ઊપરાંત તેમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘણું જોવા મળે છે.
ગાજરમાં પણ વિટામીન મોટા પ્રમાણમાં હોય છે. જો આ ચીજ પસંદ ના હોય તો બીજી ઘણી એવી ચીજો હોય છે કે જેમાં વિટામીન પૂરતા પ્રમાણમાં હોય. એની જગ્યાએ મેથીનો ઊપયોગ કરી શકાય.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મેથી મહત્વની ભૂમિકા ભજવે છે. મેથી ડાઈજેશનમાં પણ ચાવીરુપ ભૂમિકા અદા કરે છે. પેટના ઈન્ફેકશન, માઊથ અલ્સર ને ડાયાબિટીસ જેવી તકલીફોમાં પણ મેથી ખૂબ અસરકારક સાબિત થતી હોય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન તે બાળકને માતા બંને માટે અસરકારક હોય છે. ડુંગળીમાં પણ વિટામિન સી ઘણા પ્રમાણમાં હોય છે. જો કોઈ કારણસર ડુંગળી ના ખાતા હોવ તો તેની જગ્યાએ વ્હીટ બ્રેડ, બ્રાઊન રાઈસનો ઊપયોગ કરી શકાય છે.

આ તમામ ચીજો ફાઈબર્સથી ભરપૂર રહે છે. વિટામીન સી મેળવવા માટે ટામેટા, લબુ, આમળા, સંતરા, કેબેજ વગેરેનો ઊપયોગ કરી શકાય. પાલકમાં ફાઈબર ને પોટેશિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને સૌથી સારી બાબત એ છે કે પાલકની કમત પણ અન્ય શાકભાજીના પ્રમાણમાં ઓછી હોય છે.

તેના વિકલ્પ તરીકે ફુલાવરનો ઊપયોગ કરી શકાય. આપના આહારમાં લીલા શાકભાજીનો પૂરતા પ્રમાણમાં
ઊપયોગ કરો અને આપનું સ્વાસ્થ્ય જાળવી રાખો !

Tuesday, May 3, 2011

Aromatherapy Health Benefits - ગરમીમાં રાહત

મોગરો :- આમ તો આ ગરમીમાં એક ખાસ સુવાસલાળુ ફૂલ છે. તેની ભીની સુગંધ તન-મનમાં ઠંડકનો અહેસાસ પણ કરાવે છે. આના ફૂલને રૂમાલ કે કપડાંની અંદર મુકવાથી ઠંડી તાજગીનો અનુભવ થાય છે.

પરસેવાની દુર્ગંધ હટાવવા માટે ૮ તાજા ફૂલોને અડધાન પ્યાલા પાણીમાં સારી રીતે મસળી લો. આ પાણીનો લેપ આખા શરીર પર રગડો, ત્વચા મોગરાની ઠંડી સુગંધથી મહકી ઊઠશે. જો તમે ચાહો તો ન્હાવા માટેના પાણીમાં પ-૬ મોગરાના ફૂલ મસળીને પણ તે પાણીથી સ્નાન કરી શકો છો. ત્વચામાં સનસનાતી પ્રાકાતિક ઠંડકનો અનુભવ થશે.

ગુલાબ :- આમ તો ગુલાબ ત્વચાનું સૌંદર્ય નિખારવામાં નિપુણ છે. ગુલાબના ફૂલોના પાન ત્વચાને પોષણ આપે છે. ત્વચાના રોમ-રોમને સુગંધિત બનાવે છે. ઠંડક પ્રદાન કરે છે.

ગુલાબના ૨ ફૂલોને વાટીને અડધો ગ્લાસ કાચા દૂધમાં ૩૦ મિનિટ સુધી પલાળો, પછી તે લેપને ધીરે ધીરે ત્વચા પર રગડો, સુકાયા પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. શરીરની ત્વચા નરમ, મુલાયમ અને ગુલાબી જેવી લાગશે. ગરમીમાં ગુલાબના ફૂલોનો રસ ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઠંડી તાજગી કાયમ રહે છે.

કેવડો :- આમ તો આ એક સરસ સુગંધનું ફૂલ છે. આનું અત્તર ઊનાળામાં શરીરને શીતળતા પ્રદાન કરે છે કેવડાના પાણીથી સ્નાન કરવાથી શરીરની બળતરા અને દુર્ગંધથી મુકિત મળે છે. ગરમીમાં રોજ કેવડાયુકત પાણીથી સ્નાન કરવાથી શરીરમાં શીતળતા બની રહ છે.

ગલગોટો :- આના પીળા કેસરિયા ફૂલ ત્વચા પર નિખાર લાવવા માટે વિશેષ ઊપયોગી છે. સ્કિન ટોનિક બનાવવા માટે પ ગલગોટાના તાજા ફૂલોના પાનને એક પ્યાલામાં પલાળો. ૩ કલાક પછી પાનને પાણીમાં મસળીને ગાળી લો. આ પાણીનો લેપ ત્વચા પર કરો. થોડીવાર પછી સ્નાન કરી લો. ત્વચાનું સૌંદર્ય તો નીખરશે જ સાથે સાથે ઠંડકનો અનુભવ પણ થશે.

રાતરાણી :- આના ફૂલ રાત્રે જ ખીલીને મહકે છે. એક ટબ પાણીમાં આના ૧પ-૨૦ ફૂલના ગુચ્છા નાખી દો અને ટબને બેડરૂમમાં મુકી દો. કૂલર અને પંખાની હવાથી ટબનું પાણી ઠંડુ થઇને રાતરાણીની ભીની ભીની સુગંધથી
મહકી ઊઠશે. સવારે રાતરાણીના સુગંધિત પાણીથી સ્નાન કરો. આખો દિવસ શરીરમાં તાજગી અનુભવશો અને પરસેવાની દુર્ગંધ પણ નહી આવે.

કમળ :- કમળના ફૂલને ધારણ કરવાથી શરીરમાં ઠંડક રહે છે. ગુમડાં વગેરેથી છુટકારો મળે છે. શરીર પર વિષનો કુપ્રભાવ ઓછો થાય છે. ગુલાબ, બેલા, જૂહી વગેરેના અલંકારના હ્ય્દયને પ્રિય હોય છે. આનાથી જાડાપણું ઘટે છે. ચંપા, ચમેલી વગેરેના પ્રયોગથી શરીરની અગ્નિમાં કમી અને રકત વિકાર દૂર થાય છે.

Men Beauty Tips 2011 - સુંદર દેખાવાના ધખારામાં વધતો ક્રેઝ

કોસ્મેટીક સારવાર નુકસાન કરી શકે છે છતાં યુવાનો સારવાર લેતા ૩૫૦ થી ૫૦૦ સુંધીનો ખર્ચ કરે છે.

દેશના શહેરી વિસ્તારોમાં લોકો ધીમે ધીમે સ્વાસ્થ્યની કાળજી બાબતે સભાન થતા જાય છે તે રીતે સાદર્ય પાછળ પણ આંધળો ખર્ચો કરતાં થયા છે.

આશ્ચર્યની બાબત એ છે કે મહિલાઓની સાથે સાથે યુવાનો (પુરુષ વર્ગ) પણ બ્યુટી પાર્લરની મુલાકાત રેગ્યુલર લેતા થયા છે અને સુંદર દેખાવા માટે કોસ્મેટીક સર્જરી પણ કરાવવા લાગ્યા છે. અને તેનો ક્રેઝ પણ વધવા લાગ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર કોસ્મેટીક સારવાર વધારે પડતી લેવામાં આવે તો નુકસાન કરી શકે છે.

સુંદર દેખાવાની દોડમાં મુંબઇ, દિલ્હી, બગ્લોર પછી અમદાવાદ જેવા શહેરના યુવાનોમાં કોસ્મેટીક સારવાર
ઘેલછાની હદે લોકપ્રિય બની છે. કોસ્મેટીક સર્જરીના માર્ગે સામાન્ય મધ્યમ વર્ગથી થોડાક ઊપરના સ્તરમાં આવતાં લોકો કોસ્મેટીક સારવાર તરફ વઘતા જાય છે. શહેરના પશ્ચિમ વિસ્તારના ૪૮ ર્વિષય એક ગાૃહિણીએ
કબુલાત કરતાં જણાવ્યું હતું કે તે છેલ્લાં પાંચ વર્ષથી કોસ્મેટીક ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે.

મહિલાએ કહ્યું કે મને કોઇ સમસ્યા કયારેય નડી નથી. આપણા દેશમાં કોસ્મેટીક સર્જરી માઘી છે. છતાં આની ચતા લોકો કરતાં નથી. દિલ્હી સહિતની વિવિધ હોસ્પિટલોમાં કલોઝ ટ્રીડીયન બોટુલિનમ નામની સારવાર કરાવે છે.

Monday, May 2, 2011

Gujarat Jewellery Online - વેપારમાં ધરખમ ફેરફારો

છેલ્લા એક દાયકામાં સોનાના ભાવમાં અકલ્પનિય વધારો થયો છે. આથી સોનામાં રોકાણ કરનારાઓને અઢળક વળતર મળ્યું છે. આથી આ ક્ષેત્રના રોકાણકારોનો ઊત્સાહ બમણો થયો છે. સોનાની સાથોસાથ ચાંદી-પ્લેટિનમ જેવી ધાતુઓના ભાવો પણ આસમાને પહાચતાં આ ક્ષેત્રના રોકાણકારોને પણ ખરા અર્થમાં "ચાંદી જ ચાંદી"ની અનુભૂતિ થઇ છે.

છેલ્લાં દશેક વર્ષમાં સંપન્ન લોકો વધુ ને વધુ પ્રમાણમાં આવી મૂલ્યવાન ધાતુઓમાં અને તેનાં ઘરેણાંમાં રોકાણો કરવાનું વલણ ધરાવે છે. ખાસ કરીને સોનાના ભાવ સતત વધતા રહ્યા છે. આથી એવું માનવામાં આવતું હતું કે, તેના વેચાણમાં ઘટાડો થશે. જો કે આવી ધારણાથી વિપરીત સોનાના વેચાણમાં અકલ્પનિય વાૃદ્ધિ થઇ છે.

વેપારમાં પરિવર્તન ગ્રાહકોનો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે, સોનાનાં અલંકારોની ડિઝાઇન્સમાં અને તેની
બનાવટમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. જો કે ઘરેણાંના વેપલામાં કોઇ બદલાવ આવ્યો નથી. હવે સોનાનાં ઘરેણાંના વેપારમાં પણ બદલાવ આવી રહ્યો છે. સોનાના ભાવ આસમાને પહાચ્યા છે. ઘરેણાં પણ અતિશય
માઘાં થયાં છે ત્યારે તેના ખરીદનારાઓ છેતરપડીનો ભોગ ન બને તેવી દૃષ્ટિએ વેપારમાં પરિવર્તન આવી રહ્યું છે.

આવા પ્રયાસના ભાગરૂપે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની દિશામાં પ્રથમ ચરણરૂપે હોલમાર્ક ફરજિયાત થવાની સંભાવનાઓ વધી રહી છે. અત્રે ઊલ્લેખનીય છે કે અગાઊ બે બે વખત સરકારે અલંકારોમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાની જાહેરાતો તો કરી હતી પણ તેનો અમલ થઇ શકયો નહોતો. કારણમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, સુવર્ણ અલંકારોના વેપારીઓ હોમલાર્ક માટે જરૂરી પેપર્સ અને હોલવર્કનો બિલકુલ અભાવ હતો. હોલમાર્કના અમલ માટે કોઇ જ તૈયારી નહોતી.

આથી એ સમયે વેપારીઓએ હોલમાર્કને મુદ્દે મહેતલ માગી હતી.આ મુદ્દે સરકારને વેપારીઓની માગણી વાજબી લાગી હતી. હોલમાર્ક ફરજિયાત બનાવવામાં વેપારીઓને મુદત આપવામાં આવી હતી. જેથી સંદર્ભ વેપારીઓ માટે વેપારીઓને સમય મળી શકે. જો કે એ સમયે સરકારે ફોડ પાડ્યો જ હતો કે ભવિષ્યમાં હોલમાર્ક ફરજિયાત
બનાવવાને મુદ્દે તે કાૃતનિશ્ચયી છે જ.

સંસદમાં પ્રસ્તાવ કેટલાક લાલચુ વેપારીઓ સોનાનાં ઘરેણાંના વેચાણમાં ગ્રાહકોને લૂંટતા હોય છે. અવારનવાર આ બાબતે ફરિયાદોપણ સાંભળવા મળતી હોય છે. સોનું એટલી બધું માઘું છે કે તેમાં જરા સરખી ભેગ પણ ગ્રાહકોને મોટું ર્આિથક નુકસાન કરી શકે છે. આથી કેન્દ્ર સરકાર શકય તેટલા ઝડપથી હોલમાર્ક ફરજિયાત બનાવવા માગે છે. ગ્રાહકોના હિતની સુરક્ષા માટે અને ખાસ તો તેમને છેતરપડીથી બચાવવાના ઊપાય તરીકે અલંકારો પર હોલમાર્ક ફરજિયાત બનાવવા કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા એક પ્રસ્તાવ આવનરો છે. આ પ્રસ્તાવ મુજબ બ્યૂરો આૅફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એકટ ૧૯૮૬માં સુધારો કરવાના હેતુ સાથે જવેલરી સેકટર સહિત આઇટી, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી જેવા ઊભરતાં સેકટરોના વિકાસનો માર્ગ મોકળો કરવા જરૂરી અને વાજબી
ધારાધોરણે પ્રમાણિત કરવાના તથા તેને ફરજિયાત બનાવવાના આશયથી આ પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવનારો છે. ઊપરોકત પ્રસ્તાવમાં કેન્દ્રીય કેબિનેટની લાગણી વ્યકત કરવામાં આવી છે કે, "જવેલરીના ક્ષેત્રમાં કેટલાક લેભાગુ વેપારીઓ ગ્રાહકોને છેતરીને તેમના ભોળપણનો લાભ લઇ રહ્યા છે.

સોના, ચાંદી, પ્લટિનમ જેવી ધાતુઓના ભાવો સતત વધતા રહ્યા છે. આવા સંજોગોમાં છેતરપડી વધવાની દહેશત છે. વળી આવા કેટલાક લોભી વેપારીઓની ખોરા ટોપરા જેવી દાનતને કારણે આ ક્ષેત્રમાં જે પ્રમાણિક અને નિષ્ઠાવાળા વેપારીઓ છે તેમણે પણ સહન કરવું પડે છે કારણ કે તેમને પણ ગ્રાહકો શંકાની દૃષ્ટિએ જોતા હોય છે. આવા સંજોગોમાં જવેલરીમાં હોલમાર્ક ફરજિયાત બનાવવાનું અતિશય આવશ્યક બન્યું છે."

ગ્રાહકોને બેવડું નુકસાન કેન્દ્ર સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોભી-લાલચુ વેપારીઓ અલંકારોના વેચાણમાં તો ગ્રાહકોને મૂંડે છે પણ ગ્રાહક અલંકારો વેચવા આવે ત્યારે પણ તેમને મૂડવામાં આવે છે. ઘરેણાંની
પરત વહચણીમાં પણ ગ્રાહકોએ ર્આિથક નુકસાની ભોગવવી પડતી હોય છે.

આનું પરિણામ એ આવ્યું છે કે, આવી બેવડી નુકસાનીથી વેચવા માટે ગ્રાહકોનું અલગ વલણ જોવા મળ્યું છે. સોનાનાઅલંકારોમાં રોકાણ કરનારાઓ હવે સોનાના અને ચાંદીના શુદ્ધ અને ગેરંટીવાળા સિક્કાઓની ખરીદી તરફ વળ્યા છે. આથી સમગ્ર જવેલરી ઊદ્યોગને નુકસાન થાય છે. ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો સોનાનાં ઘરેણાંમાં
રોકાણ કરતા થયા છે. પણ તેની ખરીદી અને પુનઃ વેચાણમાં છેતરપડી અને ર્આિથક નુકસાનીને ધ્યાને રાખીને તેઓ પણ સોના-ચાંદીનાં અલંકારોને બદલે તેના શુદ્ધ તથા ગેરન્ટીવાળા સિક્કાઓ ખરીદતા થયા છે.

આવા સંજોગોમાં અલંકારોના ઊત્પાદન પર અસર પડશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. આમ, સોના-ચાંદીના ઘરેણાંની અવેજીમાં તેના સિક્કાઓના વેપારનો વ્યાપ વધતો જાય છે. આ પણ એક નવો બદલાવ જોવા મળે છે. ઘરેણાંની મજૂરીમાં બદલાવ સોનાનાં અલંકારો માટે હોલમાર્ક ફરજિયાત થવામાં છે.

દરમિયાનમાં અલંકારો ઘડવાની મજૂરીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અત્યાર સુધી શું હતું કે સોનાના દાગીનામાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ હતું. જો કે નજીકના ભવિષ્યમાં મજૂરી વસૂલવાની સિસ્ટમમાં પણ
પરિવર્તન આવી રહ્યું છે.

ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે. દાગીનાની મજૂરી વસૂલવાનું આવું પરિવર્તન આવતાં ગ્રામદીઠ મજૂરી વસૂલવાનું ચલણ ભૂતકાળની બાબત બની જશે. રાજકોટના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં સોનાના દાગીનાની વજન મુજબ ગ્રામદીઠ મજૂરી લેવામાં આવે છે પણ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવોમાં સતત વધારો થવાના કારણે વેપારીઓનું મૂડીરોકાણ વધ્યું છે. આ ભાવવધારાની સરખામણીમાં ગ્રામદીઠ મજૂરીના ચલણના કારણે વેપારીઓને યોગ્ય વળતર મળતું નથી. આવા સંજોગોમાં જવેલર્સની એક જનરલ મીટગ મળી હતી અને આ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બાબતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે મજૂરીની વસૂલવામાં પણ બદલાવ લાવવો એવી માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ ભારતમાંસોનાના ભાવની ટકાવારી પ્રમાણે અલંકારોની મજૂરી વસૂલવામાં આવે છે. જયારે ગુજરાતમાં ગ્રામદીઠમજૂરી વસૂલવામાં આવે છે. ગુજરાતમાં શહેરદીઠ (વજનદીઠ) મજૂરીમાં પણ તફાવત જોવા મળ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતમાં સોનાના ભાવની ટકાવારી મુજબ મજૂરી લેવાની નવી પદ્ધતિઅપનાવવામાં આવે તો તમામ શહેરોમાં મજૂરી વસૂલવાના દરમાં જે
વિસંગતતા જોવા મળે છે તે દૂર કરી શકાશે. જો કે સોનાના ભાવના આધારે અલંકારો પર મજૂરી વસૂલવાની નવી સિસ્ટમ અમલમાં આવશે તો તેનાથી ગ્રાહકો માટેઘરેણાં વધુ માઘાં થશે તે ર્નિિવવાદ બાબત છે. જો આમ થશે તો સોનામાં રોકાણ કરનારાઓ અલંકારોને બદલે સોનાના સિક્કાઓ રોકાણ કરતા થશે તે વાત નક્કી છે.
સોનાના વેપલામાં જે બે પરિવર્તનો આવી રહ્યાં છે તે પૈકી હોલમાર્ક ફરજિયાત થતાં છેતરપડી ઘટશે તો સાથોસાથ અંલકારો પર ગ્રામદીઠ મજૂરી વસૂલવાને બદલે સોનાના ભાવ મુજબ મજૂરી વસૂલવાનો બદલાવ આવતાં ગ્રાહકોને ઘરેણાં વધુ માઘાં પડશે. આ તો "એક હાથ સે દિયા દૂસરે હાથસે વસૂલા" જેવો ઘાટ થશે ! ગ્રાહકની હાલત તો ઘાંચીના બળદ જેવી જ રહેવાની છે !

Thursday, April 28, 2011

Junk Food Diet - બાળકોને મેદસ્વી બનાવી રહ્યું છે

જંકફૂડ - બદલાયેલી લાઇફ સ્ટાઇલની દેન.

* વ્યસ્ત રહેતા પરિવારો ઘરે જમવાનું ઓછું બનાવે છે અને બહારનું જમવા વધારે જાય છે.
* સસ્તું અને સરળતાથી ‘ફાસ્ટફૂડ અને જંગફૂડ’ની ઊપલબ્ધતા વધી છે.
* ઘરે અને રેસ્ટોરન્ટમાં પણ જંકફૂડનો ઊપયોગ વધ્યો છે.
* બાળકો રમત-ગમત (મેદાનની) ઘટી છે જયારે વિડિયોગેમ, ટીવી અને કોમ્પ્યુટર વધ્યું છે.
* મોટાભાગી સ્કૂલોમાં ફિઝિકલ એજયુકેશન અને કસરત આપવાનું બંધ કરી દીધું છે.

સ્કૂલોની કેન્ટીનમાં આ જંકફૂડ ન મળવું જોઇએ.

* નટ્સ
* તપેલી વેફર, તપેલા
બટાકાની કોઇપણ
આઇટમ
* આઇસ્ક્રીમ અને
ચાૅકલેટ
* લોલીપોપ, ચગમ
* વેફર
* બર્ગર
* ફ્રૂટી ડ્રક
* સોફટ ડ્રક

સ્કૂલોની કેન્ટીનમાં શું મળે તો તે આદર્શ/સારં કહેવાય

* બ્રેડ (ગ્રીનવ્હાઇટ)
* બાફેલા કે શેકેલા બટાકા
* મકાઇ
* બાફેલા ઈંડા
* શુદ્ધપાણી
* સોયામિલ્ક, ચીઝ
* સોયાબિન
* જામ

શહેરમાં આવેલી સ્કૂલોમાં ‘જંકફૂડ’ના વેચાણમાં ધૂમ વધારો જોવા મળ્યો છે કારણ કે વિદ્યાર્થીઓમાં જંકફૂડ
આરોગવાની પેટર્ન બદલાઇ છે. હવે વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જંકફૂડ આરોગવાનું પસંદ કરે છે. અમદાવાદ
સહિતની પાંચ મોટી સિટીઓની સ્કૂલોમાં આવેલ કેન્ટીનોનો સર્વેમાં સમાવેશ કરાયો.

જેમાં ૨૫ ખાનગી અને સરકારી સ્કૂલોમાંથી ૫૦૦૦ વિદ્યાર્થીઓનો સર્વે કરાયો જેમાં જાણમાં આવ્યું કે સ્કૂલોની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ એક અઠવાડિયામાં ચારવાર જંકફૂડ આરોગે છે. જેમાં અડધા જેટલાં વિદ્યાર્થીઓ
અઠવાડિયામાં એકવાર ઈંડા ખાય છે. તેમનાં મોટાભાગના વિદ્યાર્થીઓ જેમની પર સર્વેકરાયો તેમણે જણાવ્યું કે દિવસના અંત સુધીમાં તેઓ ખૂબ થાકી જાય છે.

તેઓ માત્ર દિવસમાં ૧૦ મિનિટ માંડ ચાલતા હશે અને જંકફૂડના કારણે તેમનામાં પોષકતત્ત્વોની ઊણપના કારણે વિવિધ પ્રકારના લક્ષણો સામે આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કમજોરીનો અહેસાસ કરે છે.

આ સર્વેમાં ખાસ એવું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે સ્કૂલની કેન્ટીનમાં જઇને વિદ્યાર્થીઓ અઠવાડિયામાં બેવાર કયું જંકફૂડ આરોગે છે આ અંગે એક સ્કૂલની વિર્દ્યાિથનીએ જણાવ્યું કે હું અઠવાડિયામાં બેવાર સ્કૂલની
કેન્ટીનનો નાસ્તો (જંકફૂડ) લઉં છું. જેમાં અઠવાડિયા મને ૨૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે. પાઉંભાજી અને ચણાપુરી મારી સૌથી ગમતી ડિશ છે મને ખબર છે કે આ જંકફૂડ ખાવું સારંુ નહિ પણ હું એવો પ્રયત્ન કરં છું કે મારા જમવાના લંચ બોકસની સાથે થોડું જંકફૂડ પણ એડજેસ્ટ કરી શકાય.

ધોરણ-૫માં અને ધોરણ-૩માં ભણતા બે બાળકોની માતા રાધિકાબહેન જણાવે છે કે મારા બાળકો સ્કૂલમાં ભણે
છે તેમના લંચબોકસમાં તેમને ખૂટતા પોષકત્ત્વો મળે તેવો આહાર હું તેમને આપું છું. પણ તેઓ હંમેશા મારી પાસે
સ્કૂલની કેન્ટીનમાંથી ચીપ્સ અને પાસ્તા ખરીદીને ખાવા માટે પૈસા માંગે છે. હું તેમને લંચમાં રોટલી અને શાક આપું તો તેવું ને તેવું લંચબોકસ ઘરે લઇને પરત ફરે છે ત્યારબાદ હું એવું માનંુ કે કંઇના ખાવ એના કરતાં કેન્ટીનમાંથી થોડો નાસ્તો કરી લેશે તો ચાલશે.

આ સર્વેમાં મ પણ જાણવા મળ્યું કે સ્કૂલોમાં કેન્ટીન ચલાવનારા ૭૫ ટકા સંચાલકોએ કબૂલ્યું કે તેઓ હેલ્થ માટે
સજાગ છે પણ તેમનો પહેલો ઊદ્દેશ્ય તો માત્ર રૂપિયા કમાવવાનો છે. ૮૦ ટકા માતા-પિતા એમ ઈચ્છે છે કે તેમનું
બાળક તો માત્ર ઘરનું જ ખાય જયારે ૩૯ ટકા માતા-પિતા બાળકોને રોજના ૨૦- ૪૦ રૂપિયા આપી સ્કૂલની કેન્ટીનમાંથી જંકફૂડ ખરીદીને ખાઇ લેવા જણાવે છે. શહેરની સ્કૂલોની કેન્ટીનમાં મળતાં જંકફૂડની સીધી અસર બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં હવે મેદસ્વીપણાની સમસ્યા સામાન્ય બની રહી છે તેવું જાણકારો કરે છે.

Wednesday, April 27, 2011

Autism Cures - with Homeopathy

‘ઓટીઝમ’ શબ્દ આજના સુશિક્ષિત ને જાગાત માતાપિતા માટે અજાણ્યો શબ્દ નથી. પરંતુ અનેક સંશોધનો થયા હોવા થતાં તેનો ચોક્કસ ઈલાજ હજુ શોધાયો નથી.

પરંતુ ઓટીઝમ માટે હોમિયોપેથીને અસરકારક માનવામાં આવે છે. જો બાળક જન્મ બાદનાં છ માસ સુધી નજર ના મેળવે, હસે નહ, નામથી બોલાવતા બરાબર પ્રતિભાવ ના આપે, બાળક બોલવાની શરુઆત કરતાં પહેલાં
જે અસ્પષ્ટ શબ્દો બોલે તેનો અભાવ હોય તો નિષ્ણાંતોની સલાહ લેવી જરુરી બને છે.

કારણકે તે ઓટીઝમ અથવા ઓટીઝમ ટ્રેપ્સ હોઈ શકે છે.તેઓ એકલાં જ રમવું, એક જ જાતનાં રમકડાં થઇ રમ્યા કરવું, એક જ પ્રકારનાં ખોરાક ને કપડાં પસંદ કરે. તેઓ બદલાવ સહન નથી કરી શકતા.

બાળકને જેટલી નાની ઉંમરમાં હોમિયોપેથિક સારવાર આપવામાં આવે તેટલી ઝડપથી બાળક સારું થઈ શકે છે.

ઓટીઝમનાં કારણો - જિનેટીક ખામી-જો કે આ ચોક્કસ સાબિત થયું નથી.છતાં તેને નકારી ના શકાય.
- મસ્તિષ્કમાં ન્યુરોટ્રાન્સમીટર ને સિરોટોનીનની માત્રામાં ફેરફાર
- ગર્ભાવસ્થા દરમ્યાન માતાને માનસિક આઘાત, તણાવ, પડવું, વાગવું કે નુકશાનકારક દવાનું સેવન.
- પ્રસૂતિ દરમ્યાન વધુ સમય લાગવો, બ્લ્યુ બેબી,ખચ આવવી, જન્મ સમયે ઈજા થવી.
- વાતાવરણને લગતાં કારણો

ઓટીઝમની સારવાર :- હોમિયોપથી ઓટીઝમમાં અકસીર પુરવાર થઈ રહી છે. હોમિયોપથી આવાં બાળકોમાં
ન્યુરોઈમ્યુનિટી ને તેમનો રેઝિસ્ટન્સ(રોગ પ્રતિકારકશકિત) વધારે છે.

બાળકોનાં આયકોન્ટેકટમાં ફેરફાર થાય છે. સમજણશકિતમાં ઘણો ફેરફાર થાય છે. ને અવાજનો ડર ઓછો લાગે
છે. લોકો સાથે બાળક હળીમળીને લાગણી દર્શાવી શકે છે. આ ઊપરાંત શાળામાં પણ બાળકનો દેખાવ સુધરે છે. આવાં બાળકોને સાંભળવા એ એક પડકાર છે,પરંતુ સમજ,ધીરજ ને ખંતથી ને હોમિયોપેથીક સારવારથી
બાળકને આ તકલીફમાંથી બહાર લાવી શકાય છે.

હોમિયોપથીની આડઅસર નથી તેમજ લેવામાં સરળ છે ને બાળક સામેથી દવા માંગે છે.ઓટીઝમથી નાસીપાસ થયા વગર યોગ્ય ઊપચારથી બાળકમાં નવચેતનાનો સંચાર થાય એ જ માતાપિતા માટે આનંદદાયક અનુભવ બની રહે છે.

Monday, April 25, 2011

Surya Namaskar Health Benefits - સીધી અસર સમગ્ર નાડી તંત્ર ઊપર પડે છે



સ્ત્રીઓમાં થતી સાંધાની તકલીફ બ્લડ પ્રેશરની સમસ્યાઓ હોય તેવા લોકો માટે સૂર્ય નમસ્કાર સુયોગ્ય ઊપચાર.

આજના પ્રગતિશીલ યુગમાં આપણા સૌની જીવનશૈલી પણ સતત પ્રગતિ મેળવવાની પાછળ દોડતી રહે છે એટલે કે આજે એ સમય રહ્યો નથી જેમાં માણસને પોતાની પાસે જે હોય તેનાથી સંતોષ હોય કેમકે વધતી જતી માઘવારી, પરિવારની જવાબદારી અને બીજા અન્ય એવા ઘણા કાર્ય હોય છે જેની પાછળ વ્યકિત સતત રચ્યો પચ્યો રહે છે.

આવા સમયે માણસ પોતના માટે સમય ફાળવી શકતો નથી જેમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી અંગે ઘણો બેદરકાર બની જાય છે.

આજના સમયમાં લોકો આધુનિક સુવિધાને વળગીને રહે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે, આવા સમયે શરીરમાં કુદરતી શકિત પ્રદાન કરનાર સૂર્યનમસ્કાર સિવાય અન્ય કોઈ ઊપાય શાસ્ત્રોમાં મળ્યો નથી. શાસ્ત્રોમાં પ્રાચીનકાળથી સૂર્યનું મહત્વ ખુબ વર્ણવ્યું છે, આજે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યનું મહત્વ પ્રાણીમાત્રના જીવન માટે
અદભુત રહ્યુ છે. સાષ્ટિમાં જે કાંઈ ઊત્પતિ છે તે સૂર્યને લીધે છે. સંપૂર્ણ જગત સૂર્યને આધારે છે. આજે લોકો આધુનિક ઊપકપરણો દ્વારા કસરત કરે છે પરંતુ તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બનશે પણ આંતરિક મનની નબળાઈ સૂર્યનમસ્કારથી જ દૂર થઈ શકે છે. સૂર્યનમસ્કારની અસર સમગ્ર નાડી તંત્ર પર પડે છે. હાલ ગરમીનો સમય ચાલે છે, ત્યારે વહેલી સવારનો જ સમય યોગ્ય રહે છે કેમકે સૂર્ય ઊગે ત્યારે તેના સીધા કિરણોની અસર શરીરમાં સીધી થાય છે. દિવસ દરમ્યાનનો તડકો સ્વાસ્થય માટે હિતકારી નથી. શરીરમાં જુદાજુદા હોર્મોન્સ જેમાંથી સ્ત્રાવ થાય છે, જેને ગ્રંથીઓ કહે છે, અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે ઈન્ડોક્રાઈન ગ્લેન્ડ અત્યંત આધુનિક વૈજ્ઞાનિક શોધ મુજબ શરીરનું સંચાલન આ ગ્રંથિઓમાંથી વહેતા સ્ત્રાવને લીધે થાય છે.

આ તમામ ગ્રંથિઓ પર મુખ્ય નિયંત્રણ પિચ્યુરટી ગ્લેન્ડનું છે, જે મસ્તકના અગ્રભાગમાં આવેલ છે, જેનો વિકાસ
સૂર્યનમસ્કારથી થાય છે. જેનો સીધો પ્રભાવ મસ્તકમાં રહેલા શકિત કેમ્પ્રોને જાગાત કરે છે.

Thursday, April 21, 2011

CFL Bulbs Health Problems - કેન્સરનો ખતરો

આ બલ્બમાં ઝેરી રસાયણ રહેલું હોય છે જે લાંબો સમય ચાલુ રાખવાથી નુકસાન થાય છે.

વીજળની બચત કરતાં બલ્બથી ભલે વીજળીની બચત થાય પરંતુ આ પ્રકારના બલ્બના વપરાશથી કેન્સરનો ફેલાવો કરતું રસાયણ નીકળે છે.

જર્મનીના વિજ્ઞાનિકોએ દાવો કર્યો છે. કે વીજળીની બચત કરતા બલ્બને કોઇ વ્યકિતના માથા પર વધારે વાર સુધી ચાલુ ના રાખવો જોઇએ કારણ કે આનાથી ઝેરીલો પદાર્થ નીકળે છે.

ઊપરાંત ઉંમર લાયકે આ બલ્બનો ઊપયોગ વાંચનમાં કરવો જોઇએ નહ તો વળી બાળકોના રૂમમાં પણ આ
બલ્બને આખી રાત ચાલુ રાખવો જોઇએ નહ.

ડેલીમેલમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ આવાતથી લોકો અજાણ છે કે બલ્બ ટૂટવાથી એની અંદરથી પારાની નુકસાન કર્તા માત્રા નીકળે છે. જયારે અધ્યનમાં એવું પણ જાણવા મળ્યું છે કે આનો ઊપયોગ કરવાથી કેન્સર પણ ફેલાયો છે. જર્મન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બમાં બાષ્પના રૂપમાં રસાયણ
નીકળે છે.

આ પ્રકારના બલ્બમાં નુકસાન કર્તા ચીજોમાં ફેનોલ (બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન નાજીઓએ આ ઝેરનો ઊપયોગ હજારો, લોકોને મારવા માટે કર્યો હતો.) નૈટથાલીન અને સ્ટારીન ભળેલું છે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બો બનાવવામાં જે પદાર્થો વપરાય છે. તે નુકસાનકર્તા છે.

Men Cosmetics Tips - કોસ્મેટિક વસ્તુઓનો વધુ ઊપયોગ કરે છે

પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા. હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે.

સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે - જયારે પુરુષો ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુંદરતા પાછળ ખર્ચે છે

‘સુંદર દેખાવું કોને ન ગમે’ આમ તો જો કે આ ઊકિત હંમેશા સ્ત્રીઓ માટે જ વપરાતી આવી છે પરંતુ હવે આ પંકિતમાં પુરુષો પણ આવે છે ત્યારે કોસ્મેટિકસના માર્કેટ ટ્રેન્ડ પર હવે યુવતીઓની સરખામણીમાં યુવાનોની નજર વધારે રહે છે. હાલના આ સમયમાં ફકત સ્ત્રીઓ જ નહિ પરંતુ પુરુષો પણ એટલાજ માઘા કોસ્મેટિકનો ઊપયોગ કરે છે ત્યારે ઊનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે જેટલા માઘા સનસ્ક્રીન લોશન સ્ત્રીઓ વાપરે છે તેના કરતા પણ માઘા સનસ્ક્રીન લોશન પુરુષો વાપરે છે.

ત્યારે હાલના સમયમાં પુરુષોમાં કોસ્મેટિક વસ્તુઓનો વપરાશ વધ્યો છે. એક જાણિતી કંપનીએ કરેલા સર્વેમાં જણાવ્યું હતું કે દરેક ચાર પૈકી ત્રણ પુરુષો દ્વારા કોસ્મેટિકસ પર મહિને ચાર હજારથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે હજુ હમણાં બે-ચાર વર્ષ અગાઊ સુધી આ ખર્ચ માત્ર હજાર રૂપિયા સુધીનો જ હતો. જે હાલમાં ચાર હજાર સુધી પહાચી ગયો છે ત્યારે ફેશનના આ નવા ટ્રેન્ડમાં સ્ત્રીઓ કરતાં પુરુષો જાણે આગળ નીકળી ગયા છે અને શહેરમાં પણ સ્ત્રીઓ અને પુરુષોના ભેગા બ્યૂટીપાર્લર ધમધમે છે.

આવા બ્યૂટીપાર્લરોમાં આજકાલ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે. આજના સમયમાં પુરુષો પોતાના માથાના વાળથી લઇને પગના નખ સુધીની તમામ માવજત કરાવતા હોય છે. આશ્રમરોડ પર આવેલા આવા એક બ્યૂટીપાર્લર ચલાવતા બહેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પહેલાના સમયે પુરુષો ફકત વાળ કપાવવા માટે જ આવતા હતા.

હવે તો તેઓ ફેસિયલ, મેડિકયોર, પેડિકયોર, વેકસ, આઇબ્રો તેમજ ફેસથ્રેડગ પણ કરાવે છે. આજના આ આધુનિક સમયમાં અને ફિલ્મોનો ઝાકમઝોળ જોઇને યુવાનોને પણ સુંદર દેખાવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે હાલના સમયે
હું અને મારા પતિ બંને સાથે બ્યૂટીપાર્લર ચલાવીએ છીએ અને કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ કરીએ છીએ ત્યારે અમારા બ્યૂટીપાર્લરમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે આવે છે અને કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ પણ પુરુષો વધારે કરે છે.

અત્યારના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષો ફેસ ક્રીમ, સારા ન્હાવાના સાબુ, ફેસ પાવડર, વાળમાં લગાવવાની ઝેલ તેમજ આ સિવાય પણ ઘણી કોસ્મેટિક વસ્તુઓ જેમાં સનસ્ક્રીન લોશન, માથામાં લગાવવા માટે કલર અને બીજા અન્ય કોસ્મેટિક વસ્તુઓનો ઊપયોગ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે કરે છે અને જો તેનું ઊત્તમ ઊદાહરણ જોઇએ
તો હવે પુરુષો માટે એક જાણિતી કંપનીએ સ્પેશિયલ ‘ફેસ ક્રીમ’ બનાવી જે સ્ત્રીઓ કરતાં પણ વધારે વેચાઇ છે
તેવું તે કંપનીનો સર્વે જણાવે છે ત્યારે પુરુષોએ ફેશનમાં અને સુંદર દેખાવમાં સ્ત્રીઓને પણ પાછળ પાડી દીધી છે ત્યારે હાલના સમયમાં સ્ત્રીઓ મહિને ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયા પોતાની સુંદરતાને જાળવી રાખવા ખર્ચે છે.

Wednesday, April 20, 2011

Diabetes Patients In India - આંખની તકલીફ



સામાન્ય દર્દીની સરખામણીમાં ડાયાબિટીસના દર્દીઆને આંખની તકલીફ વધારે પરેશાન કરે છે ને વિઝન લોસની સંભાવના પણ વધુ રહે છે.

જાણકાર નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લાઈફ સ્ટાઈલને યોગ્ય રીતે જાળવવામાં આવે ને બેલેન્સ્ડ ડાયેટ લેવામાં આવે તો આનાથી સરળતાથી બચી શકાય છે.

ડાયાબિટીસ એક એવી બિમારી છે કે જેમાં બોડી સુગરને યોગ્ય રીતે યુઝ ને સ્ટોર નથી કરી શકતી. એવી સ્થિતિમાં બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે.આનાથી આંખ, કિડની, હાર્ટ ને નર્વ્સ પર નકારાત્મક અસર પડે છે.

ભારતમાં સુગરના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. પરિણામ સ્વરુપે દુનિયાના ડાયાબિટીક કેપિટલ તરીકે ભારતને ગણવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને ડાયાબિટીસ થવા માટે ઘણા કારણો જવાબદાર છે.

જમવાની ટેવમાં થયેલા ફેરફાર, બગડી રહેલી લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસ જેવા કારણો જવાબદાર ગણી શકાય.
શરીરમાં વધારે સુગરની હાજરી શરીરના દરેક અંગ પર અસર કરે છે. આની આવી સ્થિતિમાં ખાસ કરીને આંખ ઊપર ખરાબ અસર થઈ શકે છે. ડાયાબિટીસને લીધે વિઝન સમસ્યા ડબલ વિઝન ને વિઝન લોસ ઊપરાંત આંખમાં દુઃખાવાની પણ ફરિયાદ રહે છે. રેગ્યુલર ચેકઅપ જરુરી બની જાય છે. વહેલી તકે સારવાર કરવામાં આવે તેવી સલાહ તબીબો આપે છે.બ્લડ સુગર ઘટી જવા કે વધી જવાથી આંખની નોર્મલ લેન્સમાં સોજા
નજરે પડે છે જેના લીધે ચશ્માના નંબર ઝડપથી બદલાય છે.આ ઊપરાંત દર્દીને કેટેરેકટની સમસ્યા ઉભી થાય છે.

કેટેરેકટની સારવાર સર્જરી દ્વારા થઈ શકે છે. નવી ટેકનોલોજી ના ઊપયોગથી આ સર્જરી સરળ બની ગઈ છે. ડાયાબિટીસના દર્દી માટે મોટી સમસ્યા રેટિનામાં થનાર સમસ્યા રહે છે. રેટિનાના બ્લડ વેસલ્સમાં તકલીફ આવે
છે.અનેક વખત બ્લીડગ સમસ્યા જોવા મળે છે.

જેથી આંખો પર સોજા આવે છે. આવા કિસ્સામાં સમસ્યા અનેકગણી વધી જાય છે. બ્લડ સુગર લેવલ ને બ્લડપ્રેશરને અંકુશમાં રાખવા ખૂબ જરુરી છે. રેગ્યુલર આઈ
ચેકઅપથી સ્થિતિમાં સુધારો થાય છે.

Saturday, April 16, 2011

Astrology Benefits - જયોતિષ દ્વારા રોગ મુકિત

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સાષ્ટિના સર્જન સાથેજ આર્યુર્વેદની શરૂઆત થઇ છે. એમ કહીએ તો પણ કઇ અતિશયોકિત નથી. આયુનો અર્થ જીવનની લંબાઇ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું, જ્ઞાન, તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઊપવેદ માનવામાં આવે છે.

ભારતમાં જયોતિષશાસ્ત્રમાં વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રચીન છે. અર્થાત બંને આયુર્વેદ અને જયોતિષ સમકાલીન શાસ્ત્રો છે. બંને માનવકલ્યાણ કરનારા, એકબીજાનાં પૂરક શાસ્ત્ર છે. એમ કહી શકાય આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત પર કામ કરીને મનુષ્યના શરીરમાં ઊત્પન્ન થતા તમામ રોગનું નિદાન કરે છે, તેવી જ રીતે જન્મકુંડળી દ્વારા પણ મનુષ્યના શરીરના રોગનું નિદાન કરી શકાય છે.આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપથી દ્વારા માત્ર ફેફસાં, હ્યદય, મગજ, હાડકાંના રોગનું જ નિદાન શકય છે. જન્મકુંડળી તો માત્ર રોગ જ નહિ પરંતુ મનુષ્યની પ્રકાતિનો પણ ખ્યાલ આપે છે. જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શકય બને છે રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ પરિસ્થિતિ માત્ર જયોતિષશાસ્ત્ર જ આપી શકે છે. જયોતિષશાસ્ત્ર આવનારા રોગની આગાહી જ કરે છે. એમ નથી પરંતુ ગોચર ગ્રહો આપણે રાષ્ટ્રવ્યાપી દૃર્ઘટનાઓ, તોફાન, ભૂકંપ, વાયપકપણે ફેલાતા રોગચાળા વગેરેની જાણકારી મેળવી શકીએ છીએ. જેથી તેને પ્રથમથી જ અટકાવી શકાય અથવા તકેદારીનાં પગલાં લઇ શકાય. એવું બની શકે છે કે આજે જે વ્યકિત સંપૂર્ણ સ્વસ્થ છે તે માત્ર થોડા દિવસોમાં લાંબાગાળાની બિમારીનો ભોગ બને પરંતુ જયોતિષશાસ્ત્રનાસઘન અભ્યાસ અને સચોટ માર્ગદર્શન દ્વારા લાંબાગાળાની બિમારીનો ભોગ બનનાર વ્યકિતને પ્રથમથી જ આવનારી કપરી બિમારીનો ખ્યાલ આપી સાવધાન કરી શકાય અને તદનુસાર ગ્રહપીડાની શાંતિ માટેના પ્રયાસો અગમચેતી રૂપે કરાવી શકાય છે. તેથી જ જો આયુર્વેદના જાણકાર જયોતિષશાસ્ત્રનું સચોટ અને સઘન જ્ઞાન હોય તો તે દર્દીને રોગમુકત કરવામાં ઘણું જ ઊપકારક સાબિત થાય.

આપણે જયોતિષશાસ્ત્રમાં કયા ગ્રહો કયા રોગમાં કારણભૂત છે અને તેનો શો ઊપાય કરી શકાય તેની જાણકારી
મેળવવા થોડા ગ્રહોનો અભ્યાસ કરીએ. સૂર્ય-બધા ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તે રાજા છે. બધા ગ્રહો તેની પરિક્રમા કરે
છે તે પિતા, આત્મા, અધ્યાત્મા, આરોગ્ય, પરાક્રમા, હસકકાર્ય, કરોડ,કાળજુ, વગેરેનો કારક છે. સૂર્ય દ્વારા આવતી પીડામાં રાજરોગ શરીરને લગતી પીડા, પિત્તજવર, માથાના રોગ, પેટના રોગ, આંખ સંબંધી પીડા, અસ્થિરોગ, સ્નાયુના રોગ મુખ્ય છે. સૂર્યનું માણેક પહેરવાથી તેમજ રવિવારનું વ્રત અને સૂર્યના મંત્ર કરવાથી સૂર્યને શાંત કરી શકાય છે. સૂર્યદેવની કાૃપાથી શારીરિક કષ્ટો દૂર થાય છે. તાંબાના વાસણમાં ભરેલુ રાત્રિનું પાણી પીવાથી
આંખમાં છાંટવાથી સ્નાન કરવાથી ફાયદો થાય છે. સૂર્યોપાસના દ્વારા બધા ગ્રહોની પીડામાંથી મુકિત મળે છે. સવારે સૂર્યવંદના કરવી જોઇએ. ચંદ્ર-ચંદ્ર પાૃથ્વીનો ઊપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમાં માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પાૃથ્વી, ધન, સફેદજસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે. વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રકતવિકાર, હ્યદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ મૂત્ર રોગ, વગેરે રોગ પણ આપે છે. ચંદ્રની ઊપાસના માટે સોમવારનું વ્રત અને ચંદ્રના મંત્રના જાપ કરવા જરૂરી છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પણ શુભ ફળ મળે છે. ચાંદીનું દાન પણ આપી શકાય. મંગળ-મંગળ પાૃથ્વી સાથે સામ્ય ધરાવે છે. તેથી તેને પાૃથ્વીનો પુત્ર કહેવામાં આવે છે. તે ગ્રહોમાં સેનાપતિનું કાર્ય કરે છે. તે તાકાત, સાહસ, ચારિત્ર્ય, અગ્નિ, શત્રુ વાઢકાપ, દુર્ઘટનાનો કારક ગ્રહ છે. મંગળની પીડામાં પિત્ત જન્ય રોગ સ્નાયુના રોગ, નાક, કપાળ, જનનેન્દ્રિયના બાહ્ય શારીરિક અશકિત, અકસ્માત વગેરે મુખ્ય છે. મંગળની ગ્રહની શાંતિ માટે મંગળવાનું વ્રત અને મંગળને મંત્ર કરવો જોઇએ. મંગળનું પરવાળું પહેરવું જોઇએ. બુધ-જયોતિષશાસ્ત્રમાં બુધનું સ્થાન અતિ મહત્વનું છ બુધ સૂર્ય મંડળમાં સૂર્યની નજીક રહેલ ગ્રહ છે. તેને ચંદ્રના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું એક નામ વિષ્ણુ પણ છે. બુધ રજોગુણવાળો, મિશ્રસ્વભાવવાળો નપુસક ગ્રહ કહેવાય છે. જન્મકુંડળીમાં જે ગ્રહની સાથે હોય તે પ્રમાણે ફળ આપે છે. બુધ વિદ્યા, વિવેક, મામા, મિત્ર, ગણિત, નાૃત્ય ડોકટરી, વૈદક, શિલ્પ, વ્યાપારવ્યવસાય, બકગ, લક્ષ્મી અને અૈશ્વર્યનો કારક છે. વાણી અને ચામડીના રોગનો વિશેષ કારક ગ્રહ છે. બુધ પિત્ત પ્રકોપ, ચર્મરોગ, સફેદ ડાઘ, તોતડાપણું, સ્નાયુની નબળાલ, માથાના રોગ, નપુંસકતા, ચક્કર બહેરાપણું, અસંવેદનશીલતા, મૂત્રવરોધ, વ્યાપારમાં હાનિથી થતી માનસિક વિકાૃતિ વગેરે રોગ આપનાર ગ્રહ છે. આ રોગમાંથી મુકિત મેળવવા બુધનું વ્રત, મંત્ર વિગેરે વિધિ-વિધાન કરવાં જરૂરી બને છે. બુધનું નંગ પાનું તેની તીવ્રતા અનુસાર ધારણ કરવું પડે છે. જાણકાર અને ઊત્તમ જયોતિષી યોગ્ય નિદાન દ્વારા બુધની પીડામાંથી અચૂક મુકિત અપાવી શકે છે.

ગુરુ-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે. શુક્ર પછી બીજા ગ્રહોની સરખામણીએ તેજસ્વી ગ્રહ છે. તેને લગભગ ચૌદ ઊપગ્રહ છે તેને બાદસ્પતિ પણ કહેવામાં આવે છે. તે સત્વગુણી અને પુરુષ ગ્રહ છે. ગુરુ ધર્મ, યજ્ઞ સુવર્ણ, પુત્ર, મિત્ર, વસ્ત્ર, શિક્ષણ, પંડિતાઇ, વાદ વિવાદ, વગેરેનો કારક છે. ગુરુ ગ્રહ, કમળો, યકાૃતના રોગ, પિત્તાશયના રોગ તાવ, કફજન્ય રોગ એનિમિયા, થાક, આળસ, લાંબા ગાળાના રોગ, ચરબીના રોગ, માથાના રોગ વગેરેનો
કારક ગ્રહ છે. ગુરુ મહારાજને પ્રસન્ન કરવાથી ઊપરના રોગમાંથી મુકિત મેળવી શકાય છે. ગુરુનું વિધાન મંત્ર,
યજ્ઞ કરવાથી તેમજ ગુરુનું નંગ પોખરાજ ધારણ કરવાથી આવનારા રોગમાંથી મુકત થઇ શકાય છે. ગુરુ
સત્વગુણી હોવાથી તેને પ્રસન્નતા મેળવી રોગમાંથી મુકત થઇ શકાય છે. રોગ-દુઃખ વગેરેમાંથી મુકિત તો મળે
છે. ઊપરાંત તેના દ્વારા શુભફળની પ્રાપ્તિ થાય છે. જયોતિષશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સમગ્ર જન્મકુંડળીમાં માત્ર ગુરુ બળવાન થઇને કેન્દ્રમાં હોય તો અન્ય ગ્રહોની અશુભતા પણ નાશ પામે છે. અને કુંડળીને બળવાન બનાવે છે. શુક્ર-ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે તેમ શુક્ર અસુરોના આચાર્ય છે. બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું બીજું નામ ભાગુ છે. તે સવારે અને સાંજે આકાશમાં દેખાય છે. જન્મકુંડળીમાં જો તે સૂર્યની આગલી રાશિમાં હોય તો સવારનો તેજસ્વી શુક્ર બને. પરંતુ બંને સ્થિતિમાં સૂર્યથી અસ્તનો બનતો નથી. શુક્ર રજોગુણી, સ્ત્રીગ્રહ છે. બારમા સ્થાનમાં વિશેષ બળવાન બને છે. શુક્ર પત્ની, પરસ્ત્રી, પ્રેમ, પ્રેમિકા, પુષ્પ, વાહન, વેશ્યા, કામ, ગીત, મધુપ્રમેહ, પ્રમેહ, વીર્ય સંબંધી રોગ, ગુપ્ત રોગ, જનનેન્દ્રિયના રોગ, અસ્થિરોગ, ચર્મરોગ, વાંઝીયાપણું, કીડની અને મૂત્રાશયને લગતા રોગ, અસંવેદનશીલતા , પથરી મુખ્ય છે. શુક્રની પીડામાંથી મુકત થવાના
ઊપાયોમાં મુખ્ય ઊપાય શુક્રવારનું વ્રત અને મંત્ર કરવા શુક્રનું નંગ હીરો ધારણ કરવો. જો કે હીરો પ્રયોગિક ધોરણે ધારણ કરવો જોઇએ. કયારેક હીરો ધારણ કરવાથી અન્ય બાબતોમાં વિપરીત પરિણામ મળતાં
જોવા મળે છે. સલામતી ખાતર હીરાને બદલે સ્ફટિક ધારણ કરવો ઇષ્ટ છે. શનિ-સૂર્ય મંડળમાં સૂર્યથી દૂર મંદ
પ્રકાશવાળો ગ્રહ છે. તેને દશ ઊપગ્રહ છે. હનિની આસપાસ વલય છે. તે તમોગુણી, નપુસક ગ્રહ છે.

જયોતિષવિજ્ઞાનના મત અનુસાર કળિયુગમાં શનિનું મહત્વ વિશેષ છે. તે કષ્ટ આપનાર ગ્રહ છે. તેની પનોતી
માનવને હેરાન-પરેશાન કરનાર હોય છે. પનોતી બે પ્રકારની હોય છે.
(૧) સાડા સાત વર્ષની મોટી
(૨) અઢી વર્ષની નાની પનોતી, પનોતી આવતાં માનવજીવન નિરાશાવાદી બની જાય છે. પનોતીનો સમય દુઃખદ બને છે.પરંતુ હંમેશા આવું બનતું નથી. શનિ મહારાજના જન્મકુંડળીના સ્થાન મુજબ કયારેક પનોતી દરમ્યાન ધનલાભ, ભાગ્યોદય, યશ, ઊન્નતિ પણ જોવા મળે છે. પનોતી દરમિયાન જન્મકુંડળીના અન્ય સારા ગ્રહો પણ શનિના પ્રભાવ હેઠળ આવી જતા જોવા મળે છે. તેથી પનોતીનો સમય જોતી વખતે અન્ય ગ્રહોની શુભાશુભ અસર શનિની સ્થિતિ દશા વગેરેનોંડો અભ્યાસ જરૂરી બની જાય છે. શનિ આયુષ્ય, જીવન,માત્યુનું કારણ, આપત્તિ, રોગ, દુર્ઘટના, છળકપટ, શોક, ભ્રષ્ટાચાર, નેતા, નોકર-ચાકર કુટનીતિ, ઋણ વગેરેનો કારક ગ્રહ
છે. શનિ દ્વારા માનહાનિ, દ્રવ્યહાનિ, ઊપાધિ, અકસ્માત, લાંબા ગાળાની બિમારી, લકવા, માનસિક વિકાતિ હાથીપગા વગેરેનો ભય રહે છે. શનિ મહારાજની કાૃપાદૃષ્ટિ મેળવવા શનિનું વ્રત, આરાધના કરવાં જરૂરી છે.
શનિવાર મંત્ર સાથે કરવા જોઇએ. શનિનું નંગ નીલમ ધારણ કરવું જોઇએ. તેમજ પનોતી દરમિયાન શ્રી
હનુમાનજીની ઊપાસના, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ.

Friday, April 15, 2011

Clothes Wearing Tips - નીચું કદ અને પહેરવેશ

બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઊંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ માર્કેટમાં મળે છે.

નીચા કદવાળી મહિલાઓએ પ્લેન કપડા જ પહેરવા પછી ભલે ને તે સલવાર સુટ હોય કે મીડી ટોપ કે પછી સાડી તમને પ્રટેડ કપડા પહેરવાનો શોખ હોય તો નાની પ્રટવાળા કપડા જ પહેરો.

ખાસ કરીને સીફોન અને જયોર્જટના કપડાની જ પસંદગી કરો. આનાથી શરીર સુડોળ અને લાંબુ દેખાય છે.

ભુલથી પણ ઓરગંડી જેવા વસ્ત્રોની પસંદગી ન કરશો, કેમ કે ફુલેલા કપડામાં કદ વધારે નાનું દેખાય છે. તેથી એવા કપડાની પસંદગી કરો, જે મુલાયમ અને શરીરને ચોટીને રહે, ફુલેલા કપડાની પસંદગી ન કરશો.

આખો પરિધાન એક જ રંગનો પહેરો. પછી ભલેને સલવાર-સુટ હોય કે સાડી, ધ્યાન રાખો કે બંનેના શેડ એક જ રંગના હોય. ચંપલ અને પર્સ પણ મેચગ હોય તો વધારે સારુ.

જો તમે સાડી ન પહેરતાં હોય તો ફીટગવાળા સુટ અને અન્ય ડ્રેસની પસંદગી કરો જેથી કરીને શરીર સુડોળ દેખાય.

સુટ અને બ્લાઊઝનું ગળુ અંડાકાર અને વી શેપમાં જ બનાવડાવો.

પહોળી બોર્ડરવાળી સાડી, કમીઝ અને કુર્તા ન પહેરશોપ પહોળી લાઇનગવાળુ કપડું પણ તમારા માટે સારુ રહેશે. પાતળી લાઇનવાળા પોશાક પણ પહેરી શકો છો.

સાડીને કમર કે નાભીની નીચે ન બાંધશો, આવુ કરવાથી ઊપરનો ભાગ લાંબો દેખાશે અને નીચેનોભાગ નાનો અને કુલ મળીને તમે ઓછી હાઇટના દેખાશો. તેથી સાડીને હંમેશા નાભિની થોડીક ઊપર જ બાંધો.
બહાર જતી વખતે હંમેશા થોડીક હીલવાળા ચપ્પલ પહેરો. આજકાલ ઉંચી એડીવાળા સુવિધાજનક અને આરામદાયક શુઝ પણ માર્કેટમાં મળે છે.

હેર સ્ટાઇલથી પણ કદ ઉંચુ દેખાય છે. નાના કદવાળી યુવતીઓએ બૈક કોમ્બગ કરીને વાળને થોડીક ઉંચાઇ આપીને બાંધવા જોઇએ. ગરદન પર ઢળેલો ઝુડો ન બનાવતાં ટોપ બાંધવાથી કદ લાંબુ દેખાય છે.

Make Up Beauty Tips Tricks Secrets - ફાઊન્ડેશનની મદદથી કઇ રીતે કરવો

કોઇપણ ચહેરો સૌંદર્યની દૃષ્ટિએ સંપૂર્ણ હોતો નથી પણ યોગ્ય મેકઅપ કરવનથી કળાથી ચહેરાની અમુક ઊણપને છુપાવી શકાય છે. જેમ કે, તમારું નાક વધારે પહોળું છે તો તમે તેને અણિયાળું બતાવવા માટે હળવા રંગનું ફાઊન્ડેશન વાપરીને નાકથી સીધી લાઇનમાં લાગવો.

ઘેરા રંગનું ફાઊન્ડેશન નાકની બંને બાજુ પર લગાવો. તમે જયારે ફાઊન્ડેશન વાપરશો ત્યારે એ બાબતમાં ચોક્કસ રહો કે ફાઊન્ડેશનની પસંદગી યોગ્ય હોવી જોઇએ તથા તે વ્યવસ્થિત રીતે ચહેરા પર લગાવેલું હોવું
જોઇએ. જો તમારો ચહેરો ગોળ છે તો ફાઊન્ડેશનનો સ્ટ્રાગ શેડ લો અને તેને ચીકબોનની નીચે થઇ બહારની બાજુએ નીચેની તરફ તેમજ ચીકબોનની નીચે દાઢીના છેડા સુધી લગાવો.

અને જો તમારો પીઅર શેઇપ ચહેરો છે તો ડાર્ક શેડના ફાઊન્ડેશનને જડબાથી લઇને દાઢી સુધી વ્યવસ્થિત રીતે લગાવો. ઓવલ તથા લાંબા આકારનો ચહેરો હોય તો ઘેરા રંગનું ફાઊન્ડેશન કપાળ પર લગાવો ત્યાર
બાદ ટ્રાન્સ્યુસેન્ટ પાઊડર લગાવો.

તાણ તથા હોર્મોનમાં થતા ફેરફારના કારણે ૪૦ વર્ષે પણ ૧૪ વર્ષે થાય તેવા ખીલ થવાની સમસ્યા થઇ શકે છે. ઉંમરલાયક થતાં ખીલ અટકી જતા નથી. તાણ તથા હોર્મોન્સામાં થતા બદલાવને કારણે ૬૧ વર્ષની ઉંમરે પણ ખીલ થઇ શકે. મેડિકલ સ્ટોરમાં મળતી દવાઓ ટીનએજમાં ખીલને નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

પરંતુ પાકટ વયે થતાં ખીલમાં તે અસરકારક નીવડતી નથી. માટે આ ખીલને થતા રોકવા તમે ડર્મેટોલોજિસ્ટની સલાહ લો. ડોઝની ઓરલ એન્ટિબાયોટિકસ, સ્કિન ક્રિમ , કે પછી બર્થ કંટ્રોલ પીલ લેવાનું રાખો.

તમે તમારા કોસ્મેટોલોજિસ્ટને મળીને જરૂરી વિગતો મેળવો. તાણરહિત રહેવાનો પ્રયત્ન કરવો એ પણ મદદરૂપ થશે. વાળને નુકસાન થતું અટકાવવા માટે વાળને નિયમિતપણે કન્ડીશનર કરવું જરૂરી છે. તે આપણા વાળના સ્તર પર એક પાતળુ પડ બનાવી દે છે.

ઊપરાંત તે વાળને મોઇશ્ચરાઇઝ પણ કરે છે જેના કારણે વાળનું રક્ષણ થાય છે. સૂર્યનાં નુકસાનકારક કિરણો પણ વાળને ડેમેજ થતા અટકાવે છે માટે એ સારુ રહેશે કે અઠવાડિયામાં એક વાર કન્ડીશનરનો ઊપયોગ કરીએ. પણ એવું કન્ડીશનર લગાવો જે તમને માફક આવતું હોય અને તમારા વાળ માટે સારૂ હોય.

Beauty Tips Tricks :- હાલની મિકસ સિઝનમાં હળવું તથા પાણીનો બેઝ ધરાવતું મોઇશ્ચરાઇઝર લગાવવુ ઊત્તમ છે તમને જયારે તમારો ચહેરો તૈલી લાગે ત્યારે ચહેરાને અવારનવાર ધોતા રહો.

તેનાથી ત્વચા ચોખ્ખી અને સમસ્યા રહિત રહેશે. તમે તમારો ચહેરો ધૂઓ ત્યારે તમને તમારી ચામડી તૈલી લાગતી હોય તો તેને ચોખ્ખી કરો અને પ્રોબ્લેમ ફ્રી બનાવો. ૧ ટી સ્પૂન ચોખાનો લોટ લઇ તેમાં થોડાં ટપા ગુલાબજળનાં નાખો. તેમાં થોડો છીણેલા બટાટો પણ મિકસ કરો. અને આ પેકને ઠંડો થયા બાદ ચહેરા પર ૪ થી પ મિનિટ માટે લગાવી રાખો અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ નાખો.

કોમળ ત્વચાની સંભાળ:-

સ્ત્રી હોય કે પુરુષ બાળક હોફ કે યુવાન-દરેકના માટે ગરમીના દિવસો અકળાવનારા હોય છે. તેમાંય શરીર અને મનના નાજુક લોકોને તો તોબા પોકારાવે તેવી આ ઋતુ છે. કોમળ ત્વચાની સુંદરીઓ માટે બળતરાની સીઝન, ત્વચા માટે દુશ્મન તથા આંખો માટે રોગની આ સીઝન છે. તેમાંય જેને ખરા સૂર્યના તાપમાં ઘરની બહાર જવું પડતું હોય તેવી વ્યવસાયી બહેનો, ગાૃહિણીઓ માટે તો આકરી સીઝન ગણી શકાય.

સીબમ:- વારંવાર ચહેરો સાદા પાણીથી ધૂઓ, પરંતુ વારંવાર સાબુ કે ફેસવોશનો ઊપયોગ ન કરવો. ચહેરો ધોયા બાદ પાણી લૂછવાને બદલે ચહેરા પર જ સુકાવા દેવું જોઇએ.

નહાવાના પાણીમાં ગુલાબની પાંદડી, નીમ પત્તી કે લબુનો રસ નાખી તે પાણીથી નહાવું જોઇએ.સાબુને બદલે નહાવાના આયુર્વેદિક પાઊડર વાપરવા જોઇએ.

લબુની છાલ, મસૂરદાળ, વરિયાળી, કપૂર કાચલીનો પાઊડર બનાવી પાણીમાં આની પેસ્ટ બનાવી નહાવુ જોઇએ. આનાથી સીબમ ઓછુ થાય છે. તથા ત્વચા નિખરે છે.  સંતરાનો કે ટામેટાંનો રસ દિવસમાં એકાદ-બે વાર લગાવી પાંચ મિનિટ બાદ સાદા પાણીથી ત્વચા સાફ કરવી.

દિવસમાં એકાદ વાર કાકડી કે કાચા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવવાથી સીબમમાં કન્ટ્રોલ થાય છે.
 દિવસમાં એક વાર રોજ ફેસપેક લગાવવો પણ ખૂબ જરૂરી છે. ત્વચા પર તાપ, ધૂળ, મેલની અસર ન થાય તે માટે ઓટમીલ જવના લોટમાં સ્ટ્રોબેરી અથવા સફરજનનો પલ્પ નિકસ કરી ૧પ મિનિટ પેક લગાવો.
 સીબમ ટ્રીટમેન્ટ માટે મુખ્ય તો તેને કન્ટ્રોલ કરે તેવા ઊપચારો કરવા. આયુર્વેદિક ટેલ્કમ પાઊડર દિવસમાં બે વાર લગાવો. રાત્રે આ જ પાઊડરથી ચહેરા પર પાઊડર મસાજ કરો. આનાથી સીબમ કાબૂમાં રહે છે, ખીલ થતાં નથી અને ત્વચા નિખરે છે.

 સનબર્ન :-    સેન્સિટિવ સ્કિનવાળા જેને સનટેનગ વધુ થાય, તેમણે તાપમાં જતાં પહેલાં આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલાં સનગાર્ડ કે સનટેનગ લોશન અથવા આયુર્વેદિક તેલ લગાવવા જોઇએ. જેથી તાપની મેલેનીન પર અસર ઓછી થાય છે.

તાપમાંથી અવાયા બાદ તરત જ ચહેરો ગુલાબજળ કે પાતળી ઠંડી છાશથી ધૂઓ. કાળી માટીનો ગુલાબજળ સાથે લેપ કરવાથી પણ સનબર્ન થતાં અટકે છે.  કાકડી છીણી પાતળા કપડામાં મૂકી પોટલી બનાવી, ચહેરા
પર હળવા હાથે ઘસવી અથવા કાકડીનો રસ લગાવવાથી પણ તાપની અસર ત્વચા પર ઓછી થાય છે.
 તરબૂચનો પલ્પ કે લીલી દ્રાક્ષનો પલ્પ પણ લગાવી શકાય.

સનબર્ન થયું હોય તેમણે ગુલાબપત્તી, ચંદન, આમળા, કાળી દ્રાક્ષ, ચારોળીનો પાઊડર બનાવી ગુલાબજળમાં ભેળવી રોજ લેપ કરવાથી ત્વચા સુંદર રહે છે.

પિગ્મેન્ટેશન-ફ્રેકલ્સ  આવી તકલીફવાળાએ નહાવા માટે આયુર્વેદિક સ્નાન પાઊડરનો ઊપયોગ કરવો વધુ હિતાવહ છે.  કપૂર કાચલી, મંજિષ્ઠા, લોધ્ર, મસૂરદાળ, ર્નિમળીના બી વગેરેના પાઊડરમાં ગુલાબજળ મિકસ કરી લેપ કરવો જોઇએ.

તુલસીના પાન, ફૂદીનાના પાન, ટામેટાંની પેસ્ટ બનાવી લેપ કરવાથી પણ પિગ્મેન્ટેશન ઓછું થઇ ડાઘ મટે છે.  તરબૂચનો રસ, તુલસીનો રસ કે તૂરિયાની છાલના રસથી માલિશ કરવું.

રાઇ, હળદર, મધ, તથા દૂધ મિકસ કરી લગાવો.  દહીમાં ચપટી હળદર નાખીને લેપ કરવાથી ફાયદો થાય છે.વર્ણકર લેપ ગુલાબજળ કે દૂધ સાથે લગાડવાથી પણ રંગ ખૂલે છે. રંગ ગોરો કરે અને લાવણ્ય વધારે તેવા તેલથી રોજ રાત્રે માલિશ કરવાથી પણ પિગ્મેન્ટેશનમાં ફાયદો થઇ કાળાશ ઘટે છે.

કોબીજ કે દ્રાક્ષના રસના માલિશથી પણ ફાયદો થાય છે. જો વધુ તકલીફ હોય તો નીમ ટેબ્લેટ, આરોગ્યર્વિધની વટી, ખદિરાદિષ્ટ જેવી આયુર્વેદિક દવાઓથી આ તકલીફ મટે છે.

Thursday, April 14, 2011

Pregnant Women Tips - વિશેષ ધ્યાન આપવા માટેની કેટલીક બાબતો

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ.

આજે મોટાભાગની સ્ત્રીઓ ઘરસંસારની સાથે ર્આિથક ક્ષેત્રે પણ પોતાનો ભરપૂર સહકાર આપી રહી છે. આજની સ્ત્રી દરેક રીતે મુશ્કેલીનો સામનો કરી શકે છે પરંતુ જયારે વાત આવે સગર્ભા મહિલાની અને એ પણ
નોકરી કરતી હોય તેવી મહિલાની,તો કેટલીક સાવચેતી રાખવી જરુરી બને છે.

આજે બધાની લાઈફ ફાસ્ટ બની ગઈ છે. અને એટલે જ ભીડ-ભાડવાળી જગ્યા બહાર આવતા-જતા સગર્ભા
મહિલાઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે આજે દરેક મહિલાને સુવિધાઓ મળે એવું હોતું નથી. કેટલીક એવી મહિલાઓ પણ છે જે પોતાના ઘરની ર્આિથક પરિસ્થિતિને લીધે નોકરી કરતી હોય છે. અને એમાં પણ બસમાં ટ્રાવેલગ કરતી
મહિલાઓએ તો વિશેષ કાળજી રાખવી પડે છે.

કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે નાની અમથી બેદરકારીને લીધે મોટા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

એવું ના થાય તે માટે બેસવા- ઉઠવાની સાથે ખાવાપીવાની તમામ બાબતો પર મહિલાઓએ ધ્યાન આપવું
જોઈએ. સામાન્ય રીતે સગર્ભા મહિલા ૬ મહિના સુધી કામ કરે તે યોગ્ય છે પણ તે પછીના મહિનામાં કામ કરવામાં ઘણી તકલીફો પડે છે.જેમાં શારીરિક તકલીફની સાથે સાથે માનસિક રીતે પણ મહિલાએ સ્વસ્થ રહેવું જોઈએ. અને બેવડી જવાબદારી સંભાળનાર મહિલાઓએ હિંમત રાખવી ખૂબ જરુરી હોય છે. કારણ કે નોકરીના સમયમાં તબિયત ના બગડે તે માટેની પણ વિશેષ કાળજી લેવી પડતી હોય છે.

સગર્ભા મહિલાઓએ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આ ઊપરાંત લોહીની તપાસ
હિમાગ્લોબિનના પ્રમાણ વિશે જાણવા માટે જરુરી છે. જો હિમોગ્લોબિનમાં ઉણપ જણાય તો લોહતત્વવાળો ખોરાક લેવો જોઈએ. આ ઊપરાંત મહિલાને એસીડીટી કે ગેસ થવાની તકલીફ હોય તો તેમણે તીખો, તળેલો કે ચરબીવાળો ખોરાક ટાળવો જોઈએ. અને બને ત્યાં સુધી પ્રવાહી વસ્તુઓ લેવી જોઈએ. સગર્ભા મહિલાઓએ શકય હોય ત્યાં સુધી ધક્કા-મુક્કી વાળા સ્થળોએ ના રહેવું જોઈએ. આજના સમયમાં ઘરની સંભાળવાની સાથે સાથે ર્આિથક રીતે પગભર પણ હોય તેવી સગર્ભા મહિલાઓએ આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

Singing Health Benefits - માનસિક ને શારીરિક ફાયદા


ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ
તરત દૂર થશ

અત્યાર સુધી જાણીતું બનેલું સૂત્ર હતું કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોકટર અવે...! પરંતુ હવે ડોકટર્સ તેનાથી આગળ વધીને કહેશે કે અ સોન્ગ અ ડે કીપ્સ ધ ડોકટર અવે. શું આપ જાણો છો કે ગીત ગાવાથી શારીરિક
ફાયદો પણ થઈ શકે છે.

સંશોધકો હવે ગીતના અઢળક ફાયદાઓ વિશે પુર્નિવચારણા કરી રહ્યા છે.ગાવાનો આનંદ જેટલો અદ્ભૂત છે
તેટલા જ તેના ફાયદા પણ અપાર છે. ગાવું એ સ્ટ્રેસ લેવલ ઘટાડવાથી લઈને ડિપ્રેશન દૂર કરી શકે છે.

ગીતોએ આખીને આખી સંસ્કાૃતિ, આનંદ, દુઃખને ઊંચકયા છે ને ઊંચકી રહ્યા છે. ગાવાથી તંદુરસ્તી વધે છે, શ્વસન ક્રિયા, રકત પરિભ્રમણ ને પાચનતંત્ર સુધરે છે. મનોચિકિત્સકોનુ માનવું છે કે ગાવાથી માનસિક-શારીરિક બંને ફાયદા થાય છે.

ગાવું એ એક પ્રકારની એરોબિક પ્રવાત્તિ હોવાથી રકતનલિકાઓમાં પ્રાણવાયુનો સંચાર કરે છે. શરીરના ઊપલા ભાગના સ્નાયુઓ ગતિશીલ બને છે,ગાવાની પ્રવાૃત્તિથી એક પ્રકારનો વ્યાયામ થાય છે. મનનો
લાગણીશીલ હિસ્સો ગતિશીલ થવાથી વ્યકિતને માનસિક લાભ તો થાય જ છે.

અવાજના મોજાઓની આપણી નર્વસ સિસ્ટમ પર હકારાત્મક અસર પડે છે. ક્રોધ, બેચેની, વ્યગ્રતા, માનસિક
સમસ્યાઓમાં તો એ ખૂબ કારગત નીવડે છે. મ્યુઝિક થેરાપીથી ત્રણ ‘એચ’ સિધ્ધ થાય છે. હેલ્થ,હેપ્પીનેસ ને હાર્મની.

માણસની પાંચ ઈન્દ્રિયના મૂળ પણ સાઊન્ડ અટલે કે અવાજમાં સમાયેલાં છે. સ્પર્શ, શ્રવણ, દ્રષ્ટિ, સ્વાદને ઘ્રાણેન્દ્રિયના મૂળમાં પણ અવાજના કોમ્પોનન્ટસ રહેલાં છે. આપણી અંદરના ને બહારના અવાજનો લય સમતોલ હોય તો આપણું આરોગ્ય સલામત રહે.

જે સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમ્યાન સંગીતમય વાતાવરણમાં રહે અથવા મ્યુઝીક થેરાપી અપનાવે તેના બાળકનો વિકાસ નોર્મલ ને વ્યવસ્થિત થાય છે. એટલું જ નહ, બાળકનો બુધ્ધિઆંક પણ ઊંચો હોય છે. ગીત ગાવાથી તમારું પ્રાણતત્વ, તેજસ (ચમક) ને ઓજસ (બુધ્ધિમત્તા) સક્રિય થાય છે. અને તમે આનંદપૂર્ણ જીવન જીવી શકો છો.

સંગીતના સૂર મનુષ્યને અદ્ભૂત શાતા આપે છે. ભલભલી તાણ કે દુઃખમાંથી મુકત થવું હોય તો શાંત વાતાવરણમાં બેસીને ગીત ગાવા માંડજો. તાણ તરત દૂર થઈ જશે. તો રાહ શેની જુઓ છો? આજથી જ શરુ કરી દો, રોજ એક ગીત ગાવાનું ને પછી જુઓ તમારી તંદુરસ્તી!

Buttermilk Health Benefits - સસ્તી-ગુણકારી

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે.

છાશ શરીરનો વર્ણ અને કાંતિ સુધારે છે.

છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તછ વધારવામાં મહત્વનો ફાળો આપે છે. છાશનો મધુર રી પિત્તને શાંત કરી પોષણ આપે છે. ખાટો રસ વાયુને હરી બળ આપે છે. અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે.

ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે.

ઊત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને મટાડે. લસ્સી ગરમીની ઋતુમાં શરબતની ગરજ સારે છે.

છાશમાં ખટાશ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાકની રૂચિ પેદા કરે છે અને ખોરાક પાચન કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન થતું ન હોય, ખોટા ઓડકાર આવતા હોય અને પેટ ચઢી-આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય તેમને માટે છાશ અમાૃત સમાન છે. છાશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે. તેથી ભોજન પછી છાશ પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

કમળો અને પાંડુ જેવા દરદોમાં પણ છાશ ખૂબ ઊપયોગી છે. છાશ મેદ ઓછો કરી હ્ય્દયની નબળાઇ અને બ્લડપ્રેશર જેવા દરદોમાં પથ્ય બને છે. છાશ શરીરનો વર્ણ (વાન) અને કાંતિ સુધારે છે. છાશ પીનારને વાૃદ્ધાવસ્થા મોડસ આવે છે,

ચહેરા પર કરચલીઓ પડતી નથી અને પડી હોય તો દૂર થાય છે. છાશનો મહત્વનો ગુણ આમજ દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે ખોરાકમાંથી પોષણ માટેનો રસ છૂટો પડી પચ્યા સિવાય પડ્યો રહે છે. તેને ‘આમ’ કહે છે. આમ અનેક પ્રકારનાં દરદો પેદા કરે છે. એ અમાજ દોષો દૂર કરવામાં છાશ ઘણી ઊપયોગી બને છે. આમની ચીકાશાને તોડવા માટે ખટાશ (એસિડ) જોઇએ. તે ખટાશ છાશ પૂરી પાડે છે. અને છાશ ધીમેધીમે એ ચીકાશને આંતરડામાંથી છૂટી પાડી, પકવીને બહાર ધકેલી દે છે, માટે જ મરડામાં ઇંદ્રજવના ચૂર્ણ સાથે અને અર્શમાં હરડેના ચૂર્ણ સાથે છાશ લેવાથી ફાયદો થાય છે.

દહીમાં બિલકુલ પાણી નાખ્યા સિવાય વલોવાય તેને ધોળવું કહે છે

ધોળવું વાયુને મટાડે છે, પણ કફને વધારે છે. હગ, જીરું અને સધવ મેળવેલું ધોળવું વાયુનો સંપૂર્ણ નાશ કરનાર, રુચિ વધારનાર, બળ વધારનાર છે. સાકર મેળવેલા ધોળવાના ગુણો આંબાની કેરસના રસના જેવા છે.

દહ ઊપરનો ચીકાશવાળો ભાગ (મલાઇ-તર) કાઢી લઇને વલોવાય તેને ‘મથિત’ (મઠો) કહે છે.

મઠો વાયુ તથા પિત્તને હરનાર, આનંદ (ઊલ્લાસ) ઊપજાવનાર અને કફ તથા પિત્તને તોડનાર છે. દહીમાં ચોથા ભાગનું પાણી મેળવીવલોવાય તેને ‘તક્ર’ કહે છે.

તક્ર ઝાડાને રોકનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, તાૃપ્તિ આપનાર, વાયોનો નાશ કરનાર છે.

દહીમાં અર્ધા ભાગે પાણી વલોવાય તેને ‘ઊદશ્ચિત’ કહે છે.

ઊદશ્ચિત કફ કરનાર, બળને વધારનાર અને આમનો નાશ કરનાર છે. દહીમાં વધારે પાણી મેળવી વલોવાય અને ઊપરથી માખણ ઊતારી લઇ, પછી પાણી મેળવી ખૂબ આછી  (પાતળી) કરવામાં આવે છે. તેને છાશ કહે છે. ટૂંકમાં જેમાંથી સધળું માખણ ઊતારી લીધું હોય તેવી છાશ પથ્ય અને હલકી છે.

How to be Tension Free in Life

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે. એ
આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે.

આજના સમયમાં દરેક વ્યકિત અસંખ્ય સમસ્યાઓ અને ચતાઓથી ઘેરાયેલી છે. આ ચતાઓથી મુકત થવું ખૂબ જરૂરી છે નહતર તેની સીધી અસર સ્વાસ્થ્ય ઊપર પડે છે અને માનસિક રોગો થવાની શકયતાઓ પણ એટલી જ વધી જાય છે.

મનમાં આવતા નકારાત્મક વિચારોથી ચતા ઊત્પન્ન થતી હોય છે. જેની અસર જ્ઞાનતંતુઓ પર પડે છે.એ આપણાં જ્ઞાનતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને નબળું પાડે છે. જેના લીધે મૂડમાં ફેરફાર થતા રહે છે. મૂડ પ્રમાણે શરીરના અવયવો પર અસર થતી હોય છે. અને શારીરિક તકલીફોથી પાછો મૂડ પણ બગડે છે.

આમ, ચિંતાનું ચક્ર ચાલ્યા જ કરે છે! પછી લોકો ફરિયાદ કરે-ઊંઘ નથી આવતી, ડિપ્રેશન, કંટાળો, પેટની ગરબડો, અપચો, ચક્કર, ઉલટી,ધબકારા વધવા, શ્વાસની તકલીફ થવી વગેરે વગેરે, આપણને ખ્યાલ પણ ના હોય કે મોટાભાગના આ પ્રકારના ચિહ્નો થવાનું કારણ ભય,ચિંતા ને ટેન્શન હોય છે.

આ માટે કેટલાંક ઊપોયો અજમાવી શકાય...

કોઈ આરામદાયક સ્થિતિમાં બેસી, શાંતિથી, ધીમેથી ઊંડા શ્વાસ લો અને છોડો. એકદમ રીલેકસ થઈને તમારી લાગણી અને મૂડને સમજવાનો પ્રયત્ન કરો.

જે પણ અનુભવ થાય જેમ કે પેટમાં ગરબડ થવી એને જોઈ, જાણીને સ્વીકાર કરવો, ભલે થાય, છતાં ધ્યાન શ્વાસ ઊપર આપવું.

આ બધા શારીરિક ચિહ્નોથી ભયભીત ના થવું, શાંતિ રાખવી.એનો પ્રતિકાર કે વિરોધ ના કરવો... આ પણ ચાલ્યું જશે એમ વિચારવું.

ખોટા ખોટા, જો અને તો ના વિચારો ના કરવા. આમ થશે તો,તેમ થયું હોત તો ભવિષ્યમાં તો ના જ જવું.

અત્યારે દુઃખ છે પણ થોડા સમયમાં શમી જશે, આરામ થશે જ સ્થિતિ બદલાશે જ. એવો અભિગમ રાખવો.

પથારીમાં સૂતા રહીને ખોટા વિચારો કરવા કરતાં હળવું કામ કરવું વધારે યોગ્ય રહેતું હોય છે.

હમત ને આત્મવિશ્વાસ અમૂલ્ય મૂડી છે. એને વધારવાથી ચમત્કારિક ફેરફારો સર્જાશે.

આવી ચતા કે તાણ વખતે બીજાની મદદની જરૂર પડી શકે છે તેથી કોઈ સંકોચ વગર મદદ લેવી.

કયારેક આવા સમયે આપણે નિર્ણય ના પણ લઈ શકીએ તો હમત ના હારવી.

ચતાનો સામનો કરો, સ્વીકાર કરો, યોગ્ય પગલાં લો અને આ સમય પણ વીતી જશે, સૂરજ ઉગશે ને સવાર પડશે જ... તેવો અભિગમ અપનાવવાનો પ્રયત્ન કરો!

Monday, April 11, 2011

ખાનગી કંપનીઓના ૫૨ ટકાથીવધુ કર્મચારીઓને ગંભીર બીમારીઓ




આધુનિક જીવનશૈલી, જંક ફૂડ ખાવાની આદતથી થતી બીમારીની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ અને દિલ્હી શહેર ટોપમાં.

પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા અડધાથી વધુ કર્મચારીઓ તેમની જીવનશૈલીના કારણે મેદસ્વીતા, ડિપ્રેશન, હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ જેવી બીમારીઓથી પીડાય છે. એસોસિયેટેડ ચેમ્બર્સ આૅફ કોમર્સ અૅન્ડ ઈન્ડસ્ટ્રી આફ ઈન્ડિયા (એસોચેમ) દ્વારા અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ, હૈદરાબાદ, પૂણે, ચંડીગઢ જેવા મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માહિતી મળી છે.

લાઇફ સ્ટાઇલ સાથે સંકળાયેલી બીમારીઓની યાદીમાં અમદાવાદ, મુંબઇ, હૈદરાબાદ, પૂણે અને ચેન્નાઇ છે. જેમાં દિલ્હીનું નામ પ્રથમ ક્રમે છે. રોગને અટકાવે તેવી આરોગ્ય સંભાળ યોજનાઓના અભાવને કારણે કંપનીઓના કામ કરતા ૫૨ ટકા કર્મચારીઓ આધુનિક જીવનશૈલી ખાસ કરીને ખાવાની આદત સાથે સંકળાયેલી બીમારીથી પીડાય છે.

૨૪ ટકા કર્મચારીઓ જૂની બીમારીઓથી અને ૧૮ ટકા કર્મચારીઓ ગંભીર બીમારીથી પીડાય છે. આ અભ્યાસ માટે દરેક શહેરમાંથી ૧૫૦ કર્મચારીઓની પસંદગી કરાઇ હતી. આરોગ્ય સંદર્ભે અભ્યાસ કરતા સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૬ ટકા કર્મચારીઓ મેદસ્વીતાથી પીડાય છે.

જે જીવનશૈલી સંબંધિત બીમારીનો એક ભાગ છે. બીજાક્રમે ડિપ્રેશન છે. ૧૮ ટકા કર્મચારીઓ ડિપ્રેશનથી પીડાય છે. હાઇબ્લડપ્રેશર અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) અનુક્રમે ૧૨ ટકા અને ૧૦ ટકા સાથે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે.

ઓન્ડિલાઇટિસ ૮ ટકા,હૃદયરોગ ૬ ટકા, ર્સિવકલ ૫ ટકા, દમ ૪ ટકા, સ્લિપ ડિસ્ક ૩ ટકા અને સંધિવા ૨.૫ ટકા એવી બીમારીઓ છે કે જેનાથી કામ કરતા કર્મચારીઓ પીડાય છે.

શારીરિક સુસ્તી બાબતે અહેવાલમાં જણાવાયું છે કે ૩૮ ટકા જેટલા કર્મચારીઓ વ્યાયામ કરતા નથી. જયારે
૧૮ ટકાથી ઓછા કર્મચારીઓ સપ્તાહમાં એક કલાક કરતાં પણ ઓછો સમય શારીરિક શ્રમ કરે છે. તેવી જ રીતે ૪ ટકા કર્મચારીઓસપ્તાહમાં ૧ થી ૩ કલાક વ્યાયામ કરે છે અને ૨.૫ ટકા કર્મચારીઓ કેલરી બાળવા
માટે સપ્તાહમાં ૩ થી ૬ કલાક કસરત કરે છે. આરોગ્ય સંભાળ માટે નાણાકીય વર્ષમાં ૩૮ ટકા કર્મચારીઓ રૂા. ૫૦૦ થી ૫૦૦૦નો ખર્ચ કરે છે.

જયારે ૪૩ ટકા કર્મચારીઓનું કહેવું હતું કે તેઓ આરોગ્ય સંભાળ પાછળ એક વર્ષમાં રૂા. ૫૦૦થી પણ ઓછો ખર્ચ કરે છે. જયારે ૧૮ ટકા કર્મચારીઓ વર્ષે ૫૦૦થી ૫૦ હજાર જેટલો ખર્ચ કરતા હતા કારણ કે તેઓ મધુપ્રમેહ, યકાૃતની બીમારીઓ, મૂત્રપડની બીમારી, હાઇબ્લડ પ્રેશર અને સ્ટ્રોકથી પીડાઇ રહ્યા છે.

Friday, April 8, 2011

૫૩ ટકા ભારતીયો સલાહ વગર એન્ટીબાયોટીક લે છે

ભારતમાં દવાના ઊપયોગના સંબંધમાં સામાન્ય લોકોમાં ભારે બેદરકારી પ્રવર્તે છે. જેના પરિણામ સ્વરૂપે
મોટી સંખ્યામાં લોકોના રિએકશનના કારણે મોત પણ થવાના બનાવ સપાટી પર આવી ચુકયા છે.

વારંવાર એવા અહેવાલ પ્રકાશિત થતા રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો કોઇના પણ
સલાહ સુચન વગર લોકોના કહેવા મુજબ દુખાવાને દૂર કરવા દવાનો ઊપયોગ કરે છે.

હવે વર્લ્ડહેલ્થ ઓર્ગોનાઈઝેશનને હવે આ બાબતને સમર્થન આપી દીધુ છે. વર્લ્ડહેલ્થ (ડબલ્યુએચઓ) દ્વારા
કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં ૫૩ ટકાથી વધુ ભારતીય લોકો તબીબોની
સુચના વગર એન્ટી બાયોરટીકસ દવાનો ઊપયોગ કરે છે આ બાબત તમામને ચાકાવી દે તેવી છે.

દવાઓના ઊપયોગના સંબંધમાં આ અહેવાલ ચતા ઊપજાવે છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે સામાન્ય ગણાતી શરદીની તકલીફ માટે પણ જો તબીબની દવા કામ ન કરે તો તેઓ તબીબને બદલી કાઢે છે.

કોડ જેવી દવા નહ લખી આપવા બદલ પણ ૪૮ ટકા જેટલા ભારતીયો તબીબને બદલી કાઢે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ઘણા પરિવારમાં જુદીજુદી તકલીફ અથવા તો પીડા માટે એન્ટી બાયોરટીકસ દવા ઘરમાં
રાખવામાં આવે છે.

Thursday, April 7, 2011

Vitamin D - કમી ખતરનાક સાબિત થઈ શકે

વિટામિન ડી શરીર માટે ખુબ ઊપયોગી છે. તેની કમી ખતરનાક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોના શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઘટી જવાથી શરીરમાં રહેલી ધમનીઓ વધારે કઠોર બની જાય છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ર્જોિજયા ટેક પ્રીડિકટીવ હેલ્થ ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકો હાલમાં આ સંબંધમાં વધુ સંશોધન કરી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસના પરિણામ દર્શાવે છે કે વિટામિન ડીની અછતથી રકતવાહિનીઓના સ્વાસ્થ પર અસર થાય છે.

જેથી બ્લડપ્રેશર વધી શકે છે. ઊપરાંત હાર્ટ સાથે સંબંધિત બિમારી પણ વધી જાય છે. અભ્યાસમાં સામેલ થયેલા જે લોકોએ વિટામિન ડીનું પ્રમાણ વધારે લીધુ તેમની રકતવાહિનીના સ્વાસ્થમાં સુધારો જોવા મળ્યો.

તેમનામાં બ્લડપ્રેશર પણ ઘટી ગયું હતું. અભ્યાસમાં આશરે સંસ્થાના ૫૫૦ કર્મચારીઓ સામેલ થયા હતા.

Green Coconut Health Benefits - ગરમીમાંમાંગમાં વધારો

વહેપારીઓના મત અનુસાર ગોવા કરતાં સૌરાષ્ટ્રના નારિયેળ વધુ પીવાય છે.

હાલમાં કોપરા વાળા કરતાં પાણી વાળા નારિયેળ વધુ વેચાય છે.લીલા નારિયેળમાં પાણીવાળુ અને કોપરાવાળુ બે નારિયેળ આવે છે. સામાન્ય દિવસોમાં કોપરાવાળા નારિયેળની માંગ વધુ રહે છે. જયારે ઊનાળામાં લોકો પાણીવાળા નારિયેળ વધુ માંગે છે. જેથી હાલમાં પાણીવાળા નારિયેળ વધુ વેચાય છે. જેના કારણે તેની માંગ પણ વધુ રહે છે. અને જેના કારણે પાણીવાળા નારિયેળ વધુ મંગાવવાય છે. જેનો ભાવ ૨૦ રૂપિયા સુધીનો હોય છે.

નાના નારિયેળના ૧૦ થી ૧૨ મોટાના ૧૮ થી ૨૦ ઠંડા કરીને વેચાતા નારિયેળની વધુ માંગ છે.

રાજયમાં ઊનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સાથે જ ગરમીથી બચવાના પણ નિતનવા કિમિયાઓ લોકો અપનાવે છે. તેમાં પણ બપોરના સમયે ગરમીથી બચવા હવે લોકો લીલા નારિયેળ તરફ વળ્યા છે. અને તે પણ ઠંડા પહેલા એમ જ વેચાતા લીલા નારિયેળ હવે ઠંડા કરીને વેચવામાં આવે છે.

જેના કારણે લીલા નારિયેળનો ભાવ વધીને ૨૦ થઇ ગયો છે. સામાન્ય રીતે લીલા નારિયેળ સ્વાસ્થ્ય માટે પણ સારા ગણવામાં આવે છે. જેથી તેનો ઊપયોગ બારેમાસ થતો હોય છે. પરંતુ હાલમાં ઊનાળાની ગરમી સાથે લીલાનારિયેળને ઠંડા કરીને વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે.

જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. ૮થી૧૦ રૂપિયામાં વેચાતું નારિયેળ હવે ૧૮ થી ૨૦ રૂપિયામાં વેચાય છે. અને તેમાં પણ સાઇઝ પ્રમાણે ભાવ વધતા ઘટતા રહે છે. ઊનાળામાં ગરમીથી રાહત મળે તે માટે થઇને પહેલા લોકો ઠંડા પીણા પીતા હતા પરંતુ હવે દેશી નારિયેળને ગરમીથી ઠંડક મેળવે છે.

સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ઊત્તમ ગણાય છે. આ સંદર્ભે વાત કરતા પાલડી વિસ્તારમાં લીલા નારિયેળની દુકાન ધરાવતા ગનાભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે લીલુંનારિયેળ તો બારે માસ વેચાય છે. પરંતુ સમય
પ્રમાણે તેના ભાવ વધ ઘટ થયા કરે છે.

તેમાં પણ સૌરાષ્ટ્રના નારિયેળની માંગ વધુ હોય છે કારણ કે ત્યાનાં નારિયેળ મોટા અને વધારે પાણી વાળા હોય છે.

જયારે ગોવાના અને મહારાષ્ટ્રના નારિયેળની સાઇઝ નાની હોય છે. છેલ્લાં બે વર્ષથી ઠંડા નારિયેળનો ક્રેઝ વધ્યો છે.

સાથે જ નારિયેળને ઠંડા રાખવાની મથામણના કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે. જેથી હાલમાં મારાત્યાં જે નારિયેળ ૮ થી ૧૦ રૂપિયામાં મળતું હતું તે મોટું નારિયેળ ૧૮ થી ૨૦ રૂપિયામાં અને નાનુ નારિયેળ ૧૨ થી ૧૫ રૂપિયાનું વેચાય છે. સવારે ૧૧ વાગ્યાથી મોડી સાંજ સુધી નારિયેળનું વેચાણ થાય છે.

આમ ઊનાળાની શરૂઆતમાં જ લીલાનારિયેળના ભાવમાં વધારો થયો છે.

Wednesday, April 6, 2011

Lemon Health Benefits - પૂરા સોળ ગુણ

 લબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમ લબુનો રોજદો ઊપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીનો જેમ લબુની ખટાશ નુકસાનકારક નથી.

નિર્ભયતાથી તેનો દરરોજ ઊપયોગ કરી શકાય છે. આમલી લબુની તુલના આ રીતે કરવામાં આવી છે. આમલીનાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ.

આવા ગુણકારી લીંબુને જીવભર ખાનપાનમાં મહત્વનું સ્થાન આપવું જરૂરી છે. મોસંબી, સંતરા, ચકોતરાં,
પપનસ, બિજોરાં વગેરે લબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.

ગુણધર્મો :- લબુ ખાટું, ઊષ્ણ, પાચનપ દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકરપ તીખું અને તૂરુ છે. એ કફ, ઊધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજીયાત, કોલેરા, ગુલ્મ અને આમવાતને દૂર
કરનાર, કાૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ધ રહેવાથી તંદુરસ્તી જળવાય છે.

લબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.  લબુના રસમાં સધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.  એક ગ્લાસ નવશેકા પાણીમાં અર્ધું લબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકાૃત (લીવર)ની તકલીફ મટે છે.

લબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.  એક ચમચી લબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.

એક લબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.

એક લબુનો રસ કાઢી તેમાં સધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.

લબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે. લબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.

એક ચમચી લબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો
હુમલો બેસી જાય છે.  એક ગ્લાસ ઠંડા પાણીમાં એક લબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.

દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લબુવાળુ પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.

લબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ભટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે. અને દુખાવો મટે
છે.

લબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.  લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે.

તેમજ તે સુંવાળા  તથા ચમકદાર બને છે, તે ઊપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.  ચહેરાની કાંતિ વધારવા માટે:-

લીંબુ નીચોવી લીધા પછી છાલ ફકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.

મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કાંઠે એક ગ્લાસ સામાન્ય ઠંડા પાણીમાં લબુનો રસ નાખી પીઓ.

મોટું લબુ હોય તો અર્ધી લબુનો રસ પૂરતો છે. નાનું લીંબુ હોય તો આખા લબુનો રસ નાખવો.

Mouth Cancer - ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર

 ગુટખામાં આવતો મેગ્નેશિયમ કાર્બોનેટ પાવડર વધારે સમય જો મોંમાં રહે તો મોં નું કેન્સર થવાની શકયતા વર્ષે ૧૨ લાખથી વધુ લોકોના ગુટખા ખાવાથી મોત થાય છે.

આજની ભાગદોડભરી આધુનિક જીવનશૈલીમાં માણસ પણ આધુનિક વિચારો ધરાવતો થયો છે, પરંતુ આપણે અહિંયા આધુનિક એટલે એ કે આજના ટીનેજર હોય કે પુખ્ત વયના યુવાનો તેમને કોઈને કોઈ વ્યસન હોય જ છે.

એમાના કેટલાક અપવાદ હોઈ શકે પરંતુ આજે મોટાભાગે લારીગલ્લા પર જોઈએ તો નાના મોટા કાં તો સિગારેટના ધૂમાડા ફુંકતા હશે કાં તો ચૂનો મસળીને તમાકુ ખાતા હશે.

આજે તમાકુ, ગુટખા, સિગારેટની આદત ધરાવતા લોકોમાં દિન-પ્રતિદીન વધારો થતો જાય છે, તેમા સૈથી ગંભીર પ્રશ્ન એ છે કે આજના ટીનેજરોમાં સિગારેટ અને ગુટખાની આદત વધતી જણાય છે એત અંદાજ મુજબ દેશમાં આશરે દરવર્ષે ૧૨લાખથી વધુ લોકો ગુટખા કે તમાકુની ખરાબ લતને કારણે માૃત્યુ પામે છે.

આ અંગે વિગતે જણાવતા ડો. પ્રશાંત પીઠવા કહે છે, આજે લોકો કોઈને કારણોસર વ્યસની બન્યા છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમા આજનો સૈથી ગંભીર પ્રશ્ન એ કે કોલેજીયન યુવકોની સાથે યુવતીઓ પણ બેફામ સિગારેટની મજા માણે છે.

Heart Beats - મોબાઈલ ચાર્જ થશે

 મોબાઈલ ને હવે દિલના ધબકારાથી ચાર્જ કરવામાં આવશે. હાલમાં સામાન્ય લોકોને આ વાતમાં વિશ્વાસ નહી થાય પરંતુ આ વાતને વાસ્તવિકતામાં ફેરવી નાંખવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આગામી દિવસોમાં આ બાબત સાચી સાબિત થશે. વૈજ્ઞાનિકોની એક ટીમે હવે એક એવી ચીપ બનાવી છે જે શરીરના ધબકારાને એનર્જીમાં બદલી નાંખશે. આ ટેકનિકનો ઊપયોગ ટુંક સમયમાં જ મોબાઈલને ચાર્જ કરવા માટે કરવામાં આવશે.

આ ટેકનિક મારફતે મોબાઈલને ચાર્જ કરવામાં આવશે.

Tuesday, April 5, 2011

Benefits of Drinking Tea Without Milk - વજન ઘટાડવા માટેખૂબ જ ઊપયોગી

 ચામાં દૂધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતાની સામે લડવાના તત્વોમાં વધારે અસરકારક રહેતા નથી.

ચામાં એન્ટી-ઓકિસડેન્ટ હોય છે તે બાબતથી દરેક વ્યકિત સારી રીતે વાકેફ છે. આ તત્વો વજનને ઘટાડવામાં ખુબ ઊપયોગી હોય છે. પરંતુ તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જો ચામાં દુધ મિકસ કરી દેવામાં આવે તો સ્થૂળતા સામે લડવા માટેના તત્વો વધારે અસરકારક
રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં જ આ રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ઘણા તારણો આપ્યા છે.
રિસર્ચ મુજબ ચામાં વજન ઘટાડે તેવા તત્વો હોય છે. પરંતુ ગાયના દુઘમાં રહેલુ પ્રોટીનનું પ્રમાણ વજનને
ઘટાડવાની ક્ષમત પર માઠી અસર કરી શકે છે.

ચામાં રહેલા થીફલેવિન્સ અને થિરોબિગિન્સ શરીરમાં ચરબીના પ્રમાણને ઘટાડવા અને કેલોસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ ઊપયોગી છે.

આસામના ટી રીસર્ચ એસોશિએશનના સંશોધકોએ ઉંદરો પર તાજેતરમાં શોધ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે દુધ વગરની ચાર વજન ઘટાડવામાં ઊપયોગી છે.

Thursday, March 31, 2011

Ayurvedic Diets - માનસિક રોગોમાં ઊપયોગી

 બદામ :- બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે.

કડવી બદામ ન ખાવી. મીઠી ચાખી લેવી. બદામનો આકાર આંખ જેવો છે તેથી તે આંખ માટે સારી ગણાય છે. બદામ સ્વાદે મીઠી તાસીરે ગરમ, પચવામાં ભારે, ગુણમાં ચીકાશવાળી, વીર્યવર્ધક અને જાતિય શકિત વધારનાર છે.

તેને ખૂબ ચાવવી જોઇએ જેથી તે સારી રીતે પચી શકે. અને તેનો ફાયદો થાય. બદામ બુદ્ધિ, આંખનું તેજ, આંખની શકિત, યાદશકિત વગેરેનો વિકાસ કરે છે.

દાડમ :- દાડમના સફેદ, રસાળ ચમકતાં અને એકબીજાને અડી ગોઠવાયેલા ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. તે સહેજ ચીકણું, હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે તે કંઠના રોગો, ઉલ્ટી, મંદબુદ્ધિ, તાવ, તરસ, માની દુર્ગંધતા, હૃદયરોગ વગેરેમાં દાડમ ગુણકારી છે.

માખણ :- માખણને ‘નવનીત’ કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે. તેને માખણ કહેવાય છે.

ભગવાન શ્રી કાષ્ણનો મનભાવતો આહાર છે. માખણ સ્વાદે મીઠું, ચીકણું, બારે મળને બાંધનાર, વાત્તપિત્તનાશક, કફકર છે. પરમ પૌષ્ટિક, આંખો માટે અત્યંત હિતકારી, હૃદયને બળ આપનાર, સ્મરણશકિત વધારનાર છે. ઊધરસ, છાતીમાં ક્ષત, ક્ષય, મૂર્છા, ચક્કર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતિય ક્ષતિ, ફશતા વગેરે દૂર કરે છે. મંદબુદ્ધિવાળા માટે ખૂબ જ લાભપ્રદ છે. બુદ્ધિજીવી, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઇએ.

માલકાંકડી :- ચોમાસામાં માલકાંકડીના વેલા થાય છે, તેને પીળાશ પડતાં લીલા મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. ફળમાં રાતા રંગ ૩-૩ બી હોય છે. માલકાંકડી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઊત્તમ બુદ્ધિવર્ધક, વાર્ધશામક, મેધ્ય અને અગ્નિવર્ધક છે. માલ-કાંકડીનું તેલ લાલ રંગનું અને તીવ્રવાસવાળું હોય છે. તેના ૨-૨ ટીપાં દૂધમાં લેવાથી યાદશકિત, ધારણાશકિત અને બુદ્ધિબળ વધે છે. રીટાર્ડેટ ચાઇલ્ડ માટે આશીર્વાદ સમાન છે.

Head Massage Benefits - મસાજની જરૂર

ભારતીય મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે વાળનું ખરવું. આવા સમયે તેમને સમજણ નથી પડતી કે આને માટે શું ઇલાજ કરવો. અને તેની દેખભાળ કેવી રીતે કરવી.



દરેક મહિને પોતાના ચહેરા પર ફેશીયલ કરાવતાં હશો જેથી કરીને તમારા ચહેરાની ત્વચા ચમકતી રહે અને તેમાં કોઇ પણ પ્રકારની રૂખાવટ જણાય નહિ. જેવી રીતે ચહેરા પર ફેશીયલ કરાવવાની જરૂરત છે તેવી રીતે માથાની ત્વચાની મસાજ કરવાની પણ જરૂરત છે.

કેમ કે માથાની ત્વચા પર મસાજ કરવાથી લોહીનો સંચાર સારો થાય છે.ભારતીય મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે. વાળનું ખરવું. આવા સમયે તેમને સમજણ નથી પડતી કે આને માટે શું ઇલાજ કરવો. અને તેની દેખભાળ કેવી રીતે કરવી. આવી સ્થિતિમાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. તે ફકત તમારા વાળની સમસ્યાને જ દૂર નહિ કરે. પરંતુ સાથે સાથે તમને આગળ કઇ કઇ સાવધાનીઓ રાખવાની છે તે પણ સારી રીતે સમજાવી દેશે. જો તમે પણ વાળની આ બધી સમસ્યાઓથી હેરાન હોય તો વાળના એકસપર્ટને તુરંત મળો.

તેના અમુક લક્ષણો નીચે મુજબ છે.

(1) માથામાં જો ખુજલી થતી હોય ભલેને પછી વાળની અંદર તુરંત જ શેમ્પુ કર્યું હોય.

(2) વાળની અંદર કોઇ ચમક ન જણાતી હોય અને વાળ નિસ્તેજ થઇ ગયાં હોય.

Eye Care Tips 2011 - આંખોને વધારેસુંદર બનાવીએ

 આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે. તેથી કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઇએ.

સ્વાસ્થ્ય તેમજ સૌંદર્યને જાળવી રાખવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે. આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખુબ જ નાજુક હોય છે. તેની કોસ્મેટિકસનો પ્રયોગ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઇએ. આંખોની આસપાસ હળવી પ્રકાતિનસ આઇક્રીમ જલગાડવી જોઇએ.

લેનોલીન અને બદામથી યુકત આઇક્રીમ હોય તો વધારે સારુ રહેશે.

બદામ આંખોની આસપાસ ડાર્ક સર્કલને ઓછા કરે છે. આ એક પ્રાકાૃતિક બ્લીચ છે. સાથે જ ત્વચા માટે પણ શ્રેષ્ઠ પોષક પણ છે. કોઇ પણ ક્રીમને આંખોની આજુબાજુ ત્વચા પર વધારે સમય માટે રહેવા દેવી તે આંખોને નુકશાન પહોચાડી શકે છે.

જો તમે ફેસ માસ્ક લગાડી રહ્યાં હોવ તો આંખોની આજુબાજુની જગ્યા પર કયરેય ન લગાડશો. તમે તે ફેસ માસ્કને આંખોની આસપાસ જે કાળા કુંડાળા પર લગાવી શકો છો જે ખાસ કરીને તેને માટે બનેલ હોય જેમ કે લિકિવડ સીબીડ માસ્ક. માસ્કની પાતળી ફિલ્મ આખા ચહેરા પર લગાવી શકાય છે.

અને આને પાણી વડે સાફ કરવું પણ સરળ છે. આ એક સારૂ મોઇશ્ચરાઇઝર છે અને સાથે જ આ ત્વચાને નવજીવન પણઆપે છે.

કાકડીનો રસ પ્રાકૃતિક બ્લીચ છે આનો પ્રયોગ પણ આંખોની આસપાસના ડાર્ક સર્કલને ઓછા કરે છે.

Wednesday, March 30, 2011

Acne Treatments - ખીલથી મેળવો છુટકારો

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે
આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

ખીલ ! આ એક જ શબ્દ માનુનીના ચહેરાનું નૂર હણી લે.યુવાવસ્થા આવે ત્યારે તે ખીલેલી ફૂલની બહાર
સાથે થોડા કાંટા પણ લાવે છે. યુવાવસ્થામાં મોટાભાગના યુવક યુવતીઓમાં જે સમસ્યા સતાવે છે તે છે ખીલ.

જેમને અનેક ક્રીમો લગાવ્યા છતાં મટતાં ના હોય અને તે ખીલ જયારે ચહેરા પર ડાઘ છોડી જતા હોય ત્યારે માનસિકરુપે ત્રાસદાયક બને છે. ઘણી યુવતીઓ ખીલને કારણે એટલી બધી માનસિક તાણ અનુભવે છે કે એમના શબ્દોમાં કહેવાય કે મરી જવાની ઈચ્છા થાય, ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ લાગે, હિણપણા ની લાગણી ઘેરી વળે છે.

ખીલ એટલે યુવાનીમાં ચહેરા પર કફ, વાયુ તથા લોહીના વિકારને કારણે નાનકડી ફોડકી થાય છે. આપણે આરોગેલા ખોરાકનું પાચન અવયવોમાં પચીને રસ બને છે.

તે રસમાંથી લોહી, લોહીમાંથી બીજી ધાતુઓ જેમ કે માંસ, મેદ, હાડકા વગેરે બને છે. આ ધાતુઓમાં જયારે સમતોલાપણું ના હોય,વધુ પડતી ગરમી હોય ત્યારે તે મોઢા પર અથવા શરીરના બીજા ભાગોમાં લક્ષણરુપે બહાર આવે છે

પેટ ખરાબ હોય તો જીભ પર સફેદ છારી બાઝે છે એવી જ રીતે ધાતુઓમાં ગરમી હોય ત્યારે મોઢા ઊપર ખીલ,શરીરમાં દાહ ને હાથપગનાં તળિયા બળતાં જોવા મળે છે. ખીલના ઘણા પ્રકાર છે.ખીલ શરુઆતમાં કઠણ, પછી તે પાકે,ફૂટે છે ને તેના કાળા ડાઘા છોડી જાય છે.કારણો ઘણાં છે.

તૈલી ત્વચા, કબજિયાત, બેઠાડું જીવન, સ્વચ્છ હવા ને કસરતનો અભાવ, માનસિક તાણ, સ્ત્રી પુરુષમાં યૌવનકાળે શરીરની ત્વચાગ્રંથિઓ જાગ્રત થાય ત્યારે ખીલની શરુઆત થાય છે. તે માટે રામબાણ ઊપાય છે- સ્વચ્છ હવા, કસરત કરવી,ખાવામાં ચોકલેટ,બિસ્કિટ ,માખણ, ઘી, ખાંડ વગેરે ના લેવા.

નખથી ખીલ ના કોતરવા. કબજિયાત દૂર કરવી. મરચાં, મસાલા ને અતિશય મીઠું ના ખાવું. ખીલ ઊપર લગાડવા આધુનિક વિજ્ઞાનમાં ઠંડક ને રાહત માટે જે કેલેમાઈન લોશન વપરાય છે તે ઠંડક તો જરુર આપે છે પણ તેથી પણ સુંદર અસર માટે ગુલાબજળમાં ગેરુ મેળવીને લગાડવાથી સારી ઠંડક થાય છે.

સરસવ, આંબળા ને ટગર વાટીને લગાડવું. આ બધામાં સૌથી શ્રેષ્ઠ છે દશાંગ લેપ. એ લેપ લગાડ્યા પછઇ સુકાય નહ ત્યાં સુધી રહેવા દેવું.

Beauty Tips to be Beautiful - સેલ્ફ બ્યૂટીફિકેશન

૩૦ વર્ષની ઉંમર પછી ચહેરા પર નિયમિત ફેસિયલ કરવું જરુરી છે.તે પછી માસ્ક લગાવવાથી છિદ્રો સંકોચાઈ ત્વચા ટાઈટ થાય છે.

સાદર્યની ઝંખના પ્રત્યેક વ્યકિતને થતી હોય છે. પરંતુ તે જયારે જન્મજાત ના હોય ત્યારે મેળવવા માટે પ્રયત્ન કરવો પડે!

બ્યુટી પાર્લર સાદર્ય મંદિરો ગણાય છે. પરંતુ જે લોકો માટે પાર્લરના પગથિયા ચડવાનું મુશ્કેલ હોય તેમણે સુંદરતાનો આનંદ ના લેવો એવું નથી.

જાતે સુંદર થવાની પ્રક્રિયા જરાક લાંબી લાગે છતાં તેના પરિણામો નિશ્ચિત છે. લાંબો સમય ચાલનારા છે. કુદરતના દરબારમાં અખૂટ પ્રસાધનો રહેલા છે.

માત્ર તેની માહિતીના અભાવે આપણે તેથી અળગા છીએ.

વાળ :- વાળની સંભાળ માટે વાળમાં મસાજ જરુરી છે. આંગળીના ટેરવાથી ગરમ તેલના મસાજથી બ્લડ સરકયુલેશન સારી રીતે વાળના મૂળ સુધી પહોંચે છે.

મેથીને રાત્રે પલાળી બીજા દિવસે વાટીને પેસ્ટ કરો તેમાં સહેજ પાણી નાખો. ચણાનો લોટ નાખી તેનાથી વાળ ધોવાથી વાળને સાબુની જરુર નથી પડતી.

જો વાળમાં ખોડો થયો હોય તો ચોખાનું ઓસામણ નાખવાથી ખોડામાં રાહત જોવા મળે છે. જો અકાળે વાળ સફેદ થતાં હોય તો આંબળાને છ કલાક પલાળી, વાટી નાખો, તેમાં મહદીના પાન પણ વાટો.

વાળના મૂળમાં આ પેસ્ટ લગાવો. અડધા કલાક પછી ધૂઓ.વાળ ખરતા પણ અટકશે.

ત્વચા : સ્વચ્છતા ત્વચાની પ્રાણ છે.જે ત્વચા અંદરથી કે બહારથી સ્વચ્છ નથી તે સુંદર પણ નથી. જે લોકો માનસિક પરિતાપ કરે છે.તેમની ત્વચા અંદરથી ખરાબ થાય છે.

ટામેટાનો માવો માસ્ક તરીકે લગાવવાથી ચહેરા પર ક્રાંતિ જણાય છે.રાત્રે સૂતી વખતે મસાજ જરુરી છે. ખીલ થતા હોય તો દહ ને હળદર ભેગા કરી ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ધોઈ નાખો. ફુદીનાની પેસ્ટ પણ ખીલ પર ફાયદો કરે છે.

જો ડ્રાય સ્કીન હોય તો ચણાનો લોટ, મધ, ગાજરનો રસ, સુખડનો પાવડરનો માસ્ક લગાવવાથી ફાયદો થાય છે. ત્વચાને ડાઘરહિત કરવા માટે દહમાં ચણાનો લોટ, હળદર, લબુનો રસ ભેગા કરી લગાવવાથી ડાઘ નીકળી જાય છે.

આંખ : આંખની સ્વચ્છતા, નિરોગી અને દેખાવમાં પણ આકર્ષક લાગવી જોઈએ. આંખની પાંપણ,આઈબ્રોઝને સરખી કરવાથી વ્યકિતત્વ બદલી શકાય છે. પણ આંખોને પ્રસાધન કરતાં માવજતની જરુર વધુ હોય છે. આંખ નીચે કુંડાળા હોય તો ખૂબ શાક, ફળ, ગાજર, ગાજર રસ લેવાથી ફાયદો થાય છે.

આંખોને રિલેકસ રાખવી જરુરી છે. આંખો થાકેલી હોય તો ટીબેગ્સને ઓઈલના પાણીમાં બોળી આંખ પર મૂકો.

હોઠ : લિપસ્ટિક હોઠના કુદરતી રંગને નુકશાન કરે છે.જરુર ના હોય ત્યારે લિપસ્ટિક ના લગાવો. તેના રંગો મુડ, વસ્ત્રો ને બીજા રંગો સાથે મેચ કરી લો.

દાંત : દાંતની સફાઈ જરુરી છે. જે આપણે બહુ ધ્યાનથી કરતા ન.અમુક ખાટા ફળો પણ દાંત માટે જરુરી છે.પોશ્ચર સારી દેહછટા સુંદર વ્યકિતત્વની પ્રથમ શરત છે. પ્રયત્નથી ને સભાન રહેવાથી સારું પોશ્ચર બનાવી શકાય છે. બેસતા ઉઠતા ચાલતા ટટ્ટાર પોશ્ચર હિતાવહ છે.

ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થાય છે. ઉભા રહેતી વખતે બંને પગ પર સરખું વજન આપો. ખુરશીમાં બેસતી વખતે ધ્યાન રાખો કે તમારી પીઠ ખુરશીની પીઠ સાથે બરાબર એડજસ્ટ થાય. ખુરશીની ને તમારી પીઠ વચ્ચે જગ્યા ના રહે. તેનાથી કમરનો દુઃખાવો થવાની શકયતા વધી જાય છે. આ રીતે ઊપર મુજબની બાબતો ધ્યાનમાં રાખવાથી તમારા વ્યકિતત્વમાં નવો નિખાર આવી શકે છે!

Tuesday, March 29, 2011

Coconut Water Health Benefits

વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે.

નારિયેળ તેમજ તેનું પાણી બંને ખૂબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઊપયોગમાં લઇ શકાય છે.

નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી,સી, વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે.

આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખૂબ જ લાભકારક છે. જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઊપયોગ કરવામાં આવે તો ઘણા પ્રકારની નાની નાની તકલીફો પર કાબુ મેળવી શકાય છે.

એટકીઃ કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઇ જાશે, સાથ સાથે ઉલટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઇ જશે.

દમઃ નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો
થાય છે.

યાદશકિતઃ નારીયેળના મિશ્રણમાં બ્ દામ ,અખરોટ તેમજ સાકરને મિકસ કરસને સેવન કરવાથી યાદ શકિતમા વધારો થાય છે.

નસકોરી : જેને નસકોરી ફૂટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઇએ સાથે સાથે ખાલી પેટે
નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઇ જશે.

ખીલઃ નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના
ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેમજ ચહેરો સુંદર અને ચમકદાર થાય છે.

નારિયેળના તેલમાં લબુનો રસ અથવા ગ્લિસરીન ભેળવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.

અનદ્રાઃ રાતનું  ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.માથાનો દુઃખાવો.

નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુઃખાવોમાં રાહત થાય છે.

ખોડોઃ નારિયેળના તેલમાં લબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.

ગર્ભાવસ્થાઃ સવારે રોજ નિયમીત રૂપે પ૦ ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક હુષ્ટ પુષ્ટ તેમજ ઊજળા વર્ણનું થાય છે.

પેટના કામી : પેટમાં કામિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી
પેટના કામિ તુરંત જ માત્યુ પામે છે.

Gujarat Summer Weather - ગરમીને લીધેચકકરઅને લો બીપીની શકયતા

શહેરના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીને કારણે કમળાના કેસો વધ્યા અને તંત્રએ આંખ આડા કાન કર્યા ગરમીનો પારો સતત વધતો રહ્યો છે ત્યારે આ શરીર દઝાડતી ગરમીને કારણે લોકો ગરમીથી બચવાના અનેક ઊપાયો કરે છે.

પરંતુ ગરમીની આ સિઝનમાં લોકાને બીમારીનો ભોગ બનતા વાર લાગતી નથી અને તેથી જ આજે શહેરના જુદાજુદા વિસ્તારોમાં અલગ અલગ કારણોસર બીમારીના કેસો દવાખામાં આવતા જોવા મળે છે.

ઊનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા અને તેના કારણે ફેલાતા રોગચાળાએ ઘર કર્યુ છે.

અમદાવાદીઓ આમતો ખાણીપીણીના શોખીન છે જ પણ ગરમીની આ સિઝનમાં બહારની ખાણીપીણી નુકસાન કરે છે વિગતે જણાવતા ડો. સૌમિલભાઈ કહે છે, હાલના સમયમાં મોટાભાગે કમળો, ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ અને તાવ ના કેસો વધી રહ્યા છે.

ત્યારે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો શહેરમાં ૧૭૦ કેસો નાધાયા છે, અને અઢી માસમાં ૬૬૫ કેસ નાધાયા છે. ઝાડા-ઊલ્ટીના ૧૮ કેસ, ટાઈફોઈડના ૮૦ કેસ, તો કમળાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ બીમારી થવાના અનેક કારણો છે કેમકે હાલ બે ઋતુ ચાલી રહી છે વહેલીસવારે ઠંડીનો માહોલ તો બપોર થતા જ દઝાડતી ગરમી. આવા સમયે માથું ભારે થવુ, ચકકર આવવા તેમજ લો બીપી થવાની શકયતા વધી જાય છે, અને એમાંય બિઝનેસ કરતા વ્યકિતઓને તો આખો દિવસ બહાર રહેવાનું હોવાથી પોતાની હેલ્થ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ.

સામાન્ય રીતે બીમારી થવા માટે વાતાવરણની સાથે સાથે ખાણીપીણી પણ મહત્વનો ભાગ ભજવે છે કેમકે ગરમીની સિઝનમાં બહરાનો નાસ્તો કરતા લોકો એ નથી જોતા કે ગરમ વાતાવરણમાંરહેતા શાકભાજી કે ગરમ વસ્તુઓનો મસાલો ગરમીના વાતાવરણમાં આવતા વધારે ગરમ થઈ જાય છે.

જે લોકો આવો બહારનો નાસ્તો ખાય છે તેમને ટાઈફોઈડ કે ઝાડા-ઊલ્ટી થવાની પુરી સંભાવના રહેલી છે.

Saturday, March 26, 2011

Gujarati Women Dresses - નિતનવા આકર્ષક દુપટ્ટા

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે.વર્તમાન ફેશનના યુગમાં જયારે દરેક બાબતે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

ત્યારે ડ્રેસ પરના દુપટ્ટા અને ઓઢણીમાં પણ નવી ડિઝાઇન અને તેના વિવિધ ઊપયોગ જોવા મળે છે. હવે ડ્રેસની ઊપર હેવી દુપટ્ટા પહેરવાની ફેશને માઝા મૂકી છે.

બજારમાં પણ અનેક ડિઝાઇનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે. થોડા સમય પહેલાં જયોર્જટ, પોલીએસ્ટર, સુતરાઊ જેવા મટિરિયલના દુપટ્ટાઓનો ઊપયોગ વધારે થતો હતો, પણ આજના બદલાતા વાતાવરણમાં દુપટ્ટાના કારણે યુવતીઓના પહેરવેશનું રૂપ બદલાયું છે.

બદલાતી ફેશનની સાથે ફકત ડ્રેસની ઊપર જ નહી, પણ જીન્સની ઊપર કુર્તીની સાથે પણ હવે દુપટ્ટા પહેરવામાં આવે છે. દુપટ્ટામાં તેના કારણે જ વિવિધતા આવી છે.

ડ્રેસના દુપટ્ટા હવે જીન્સ ઊપર પહેરવામાં આવતા દુપટ્ટામાં પણ ઘણો તફાવત છે. જેમાં અનોખા પ્રકારના અલગ અલગ વેરાયટીના દુપટ્ટા જોવા મળે છે.ફિલ્મોમાં જે રીતે દુપટ્ટાનો ઊપયોગ કરવામાં આવે તે પ્રકારે જ યુવતીઓ પણ રોજીંદા જીવનમાં તેનો ઊપયોગ કરતી જોવા મળે છે.

જીન્સ, ટોપ અને ફેશનેબલ વસ્ત્રોની દુનિયામાં દુપટ્ટાએ આજે પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. અને પોતાની એક અલગ ઓળખ જાળવી રાખી છે.

તેનું આકર્ષણ જ અલગ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. ફલોરલ પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, વેજીટેબલ પ્રિન્ટ, પેચ વર્કના અને બ્રાસોના દુપટ્ટાઓ ખૂબ જ આકર્ષક લાગે છે.

વળી તેમાં જો દુપટ્ટાની બોર્ડર પર હેવી લેસ અથવા વર્કવાળી લેસ હોય તો પછી પૂછવાનું જ શું? હાલમાં બજારમાં ઘણાબધા પ્રકારના દુપટ્ટાઓ મળે છે.

જેમાં કરાંચી દુપટ્ટા, કોટન ક્રોશિયો દુપટ્ટા, હેવી કોટન બ્રોકેટ દુપટ્ટા અને જગિજેગ દુપટ્ટાની ઘણી માગ વે. તેમાં પણ બંધેજ દુપટ્ટા તો યુવતીઓને પસંદગીમાં હરહંમેશ પ્રથમ સ્થાને રહેલા છે.

આ પ્રકારમાં જ રંગબેરંગી રંગોના અને હેવી વર્ક વાળા ફુલકારી વર્કના દુપટ્ટા પણ પસંદગીના સ્થાનમાં છે. બનજારા, જામા અને બાંધણીના દુપટ્ટા યુવતીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે.

એટલા બધા રંગબેરંગી સુંદર દુપટ્ટાઓ બજારમાં મળે છે કે જો તેને ઓઢી લેવામાં આવે તો જાણે ઇન્દ્રધનાષ્ય ઓઢી લીધું હોય છે.