Monday, May 14, 2012

કેન્સરના રોગની સારવાર માટે ક્રાંતિકારીદવાઆવશે

કેન્સર સારવારની પદ્ધતિને બદલી નાંખશ

નવી દવાની આડઅસર પણ ખૂબ ઓછી રહેશે

કેન્સરના રોગની સારવાર માટે આગામી પાંચ વર્ષમાં એક ક્રાંતિકારી દવા બજારમાં આવી શકે છે. આ દવા તૈયાર કરી રહેલા વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ દવા પેનક્રિયાટિક, બિ્રસ્ટ અને કિડની કેન્સરમાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ આ તમામ પ્રકારના ટ્યુમરની સારવારમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ દવા કેન્સરની સારવારની તમામ પદ્ધતિ બદલી નાંખે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેલિર્ફોિનયા યુનિર્વિસટીની ટીમે આ ભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ શોધ અંગે નેચર મેડીસીનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેજી-૫ નામની આ દવા કેન્સર કોસિકાઓની રચનામાં ફેરફાર કરીને તેમની સંખ્યા વધારવા પર
બ્રેક મૂકી શકે છે. આવી સ્થિતિમાં આ દવા વધુ ઉપયોગી સાબિત થશે. ધીમે ધીમે દરેક કેન્સરની કોશિકા ખતમ થઈ જશે. આ દવા બ્લડને ટ્યુમર સુધી પહોંચાડવામાં રોકવામાં પણ ઉપયોગી છે. સંશોધન ટીમના લીડર અને  જ્ઞાનિક ડેવિડ ચેરેસે કહ્યું છે કે કેજી-૫ની સારવારની રીત પણ પરંપરાગત કેન્સરની સારવાર કરતા અલગ પ્રકારની છે.

Healthy Wedding Tips 2012

દરેક કુંવારી કન્યા સપનું હોય છે તે સુંદર દેખાય. અને જો તેમાં પણ તેના મેરેજ હોય તો વાત જ શી કરવી. દરેક છોકરી નવવધુ બનતાં પહેલા પોતાને વધુમાં વધુ સંુદરક બનાવવા માંગે છે જેથી કરીને તેનો રાજકુમાર તેને નિહાળતો જ રહે.

અને વાત પણ સાચી જ છે. ફક્ત વરરાજાનુંજ નહી, બધાનુ ધ્યાન લગ્નના દિવસે નવવધુ પર જ કેન્દ્રિત હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસે નવવધુએ સોળે શણગાર સજીને સુંદર દેખાવું જોઇએ. લગ્ન માટે ફક્ત મેકઅપ કરવાથી કે બ્યુટિપાર્લરમાં જવાથી રૂપ નીખરતું નથી.

તમારા લગ્ન તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે. તે દિવસે તમારા જીવનમાં કેટલાય નવા સંબંધો આવે છે. તમારુ અસ્તિત્વ બદલાઇ જાય છે. કોઇના જિંદગીમાં તમે નવા નવા સપના લઇને આવો છો. અને આ પ્રસંગ જીવનમાં એક જ વાર આવે છે. માટે આ તમે દિવસે સુંદર દેખાવવા શું કરવું તે વિશે થોડું જાણીએ.

આ ઋતુમાં(ગરમીમાં)લગ્ન હોય તો સૌથી ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તમે બને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળો. જવુ ખુબ જરૂરી હોય તો મોઢા પર સનસ્ક્રિન લાૅશન લગાવી મૂકો અને આંખો પર ચશ્મા અને મોઢા પર દુપટ્ટો બાંધવો તથા હાથમાં લાૅંગ ગ્લોવ્ઝ પહેરવા જોઇએ.

ગરમીમાં પરસેવો ખૂબ નીકળે છે. તેથી શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસમાં બને તેટલું વધુમાં વધુ પાણી પીવું જોઇએ. સામાન્ય રીતે રોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીમાં ગ્લુકોઝનાખીને પીવામાં આવે તો વધુ સારું. ઋતુ પ્રમાણેના ફળો જેવાકે સંતરા, મૌસંબી, તરબૂચના રસને નો ઉપયોગ વધુ કરવો જોઇએ. ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

ગરમીમાં ફૂડ પોઝઇન થવાનો વધુ ડર હોય છે. તમારા દોસ્તો તમને છેલ્લીવાર છેલ્લીવાર કરીને ખુબ પાર્ટીઓ માં ખૂબ ખવડાવશે. માટે તમારે આ બધાથી બચવું જોઇએ. વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી તબિયત બગડી શકે છે. બને ત્યાં સુધી સાદો ખોરાક અને તાજાં ફળ, સલાડ વધુ ખાવા જોઇએ.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંકો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ પાણીથી ધોઇ લેવો જોઇએ. ચણાનો લોટ, હળદર, લીંબુના રસના બે-ત્રણ ટીપાં અને બે ચમચી દૂધનો લેપ બનાવી રોજ દિવસમાં એક વખત લગાવવાથી તમારા ચહેરા પર ચમક આવશે. માથામાં મહેંદી લગાવવી હોય તો બને ત્યાં સુધી બીજા પાસે થી લગાવાવવી જોઇએ. જેથી જયારે તમારા હાથ પર મહેંદીનો રંગ ન લાગે અને તમારા હાથ  બિલકુલ સાફ રહે. વધુ ઉજાગરા કરવાથી તમારી આંખ લગ્નનાં દિવસે થાકેલી દેખાશે. માટે પૂરતા પ્રમાણમાં ઉંધ લો.

દિવસમાં બે વાર સ્નાન કરવું જોઇએ, બને તેટલી વાર આંખોને ઠઁડા પાણીથી ધોવી જોઇએ. આંખો પર કાકડીના પતીકા મુકવાથી અને રોજ રાત્રે સૂતા પહેલાં આંખોમાં ગુલાબજળ નાખવાથી આંખોને ઠંડક મળે છે. રોજ ચહેરાની બદામ ના તેલથી હલકા હાથે માલિશ કરવી જોઇએ. ત્યાર બાદ ચહેરાને સાધારણ ગરમ 

પાણીથી ધોઇ લેવો જોઇએ.

દરેકની ઈચ્છા સ્લીમ બોડીની ઇચ્છા દરેકને હોય છે. આપણે બધા પાતળી કમર અને સપાટ પેટ જળવાઇ  રહે તે માટે શું શું નથી કરતાં ? આ હોડ ફક્ત યુવાઓમાં જ નહિ પરંતુ દરેક વયની ઉંમરના લોકો માં પણ હોય છે. ર્ઉિમલા જેવી પાતળી કમર, શાહરૂખ જેવા સિક્સ પૈક એબ્સ, કરીના જેવી ફિગર આપણામાંથી કોણ મેળવવા નથી ઇચ્છતું ? જલ્દીથી જલ્દી પાતળા થવાની હોડને લીધે ક્યારે આપણા ખીસ્સા ખાલી થઇ જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી. આવામાં આપણી મજબુરીનો ફાયદો ઉઠાવીને ઝીમ્નેશીયમ અને યોગા ક્લાસીસવાળા ખુબ જ સારી નોટો પડાવી લે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હંમેશા ચટપટી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. કેમકે તેના સ્વાદની લાલચ તમને મૃત્યુના મોઢા સુધી ન લઇ જાય, મોઢાની સ્વાદિષ્ટ લાગતું ભોજન ક્યાંક આપણી મોતનો સામાન ન બની જાય. એટલા માટે સમય છે સુધરી જાવ અને પોતાની સુસ્વાદુ જીભ પર લગામ મેળવી લો. ઘણાં લોકો તો એવું માને છે કે તેઓ આ દુનિયાની અંદર ફક્ત ખાવા માટે જ જન્મ્યા છે. એટલા માટે ખાવા લોકો જયારે પણ ક્યાંય ભોજ પર જાય છે એટલે થાળી પર તૂટી પડતાં હોયછે અને ક્યારેય પણ ખાવાનો જરા પણ અવસર નથી છોડતાં. સ્લીમ બોડી.

Stone Therapy Health Benefits

સ્પા કે હર્બલ બોડી ટ્રીટમેંટ આપતાં આપતી સંસ્થા હવે નવે નવી થેરાપી લઇને આવી રહ્યાં છીએ. વધતી  જતી આવક અને સાથે સાથે જિંદગીની વચ્ચે શાંતિ મેળવવા માટે હવે મધ્યમ વર્ગ પણ આનો ઉપયોગ  કરતો થઇ ગયો છે.

ભારતના દરેક નાના-મોટા શહેરોમાં હવે આના સેંટરો થઇ ગયા છે. મસાજ અને અરોમા થેરપી જેવી ઘણી બધી વસ્તુઓ દ્વારા તન અને મનને શાંતિ આપનાર ટ્રીટમેંટ આનાં મુખ્ય ભાગ હોય છે. આ જ કડીની અંદર  હવે નવો

અલગ અલગ આકારના લગભગ અડધાથી ત્રણ ઇંચ સુધીના આ પત્થરો જુદા જુદા દેશોમાં પણ હોઇ શકે છે. આની અંદર ગુરૂત્વાકર્ષણની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બધા જ ટિસ્યુને ફાયદો આપીને શરીર ને આરામ પહોંચાડે છે.

સ્ટોન થૈરાપી. સ્ટેન થૈરપીનો સિદ્ધાંત સ્પર્શના ગુણોની સાથે જોડાયેલ છે. આના દ્વારા પીઠને જુદા જુદા ગુણોવાળા પત્થરોનાં સંપર્કમાં લાવવામાં આવે છે તેથી ત્વચાના રોમછિંદ્રોનો સહારે પત્થરના તે ગુણોને
 પત્થરના ગુણોને બહારલાવવા માટે તેનેપાણીની અંદરગરમ કરવામાંઆવે છે.ત્યાર બાદતેને શરીરનાબધા જ ભાગો પર ધીમે ધીમે શરીરના અલગ અલગ ભાગો, પ્રવેશદ્ધારોને તેમજ પોઇંટ પર મુકી દેવામાં આવે છે. પત્થરોને મુકવાની આ પ્રક્રિયા પણ શરીરના અરોમા તેલ કે ક્રીમ દ્ધારા મસાજ કર્યા બાદ પત્થરોને
મુકવામાં આવે છે. આ પત્થરો પણ ખાસ પ્રકારના હોય છે જેમકે જવાળામુખીના લાવા દ્વારા બનેલાં, નદીનાં કિનારોની ચટ્ટાનો દ્વારા બનેલાં જેની અંદર આયરનની ભરપુર માત્રા હોય કે પછી ખાડીઓમાંથી નીકળેલાં
ખનિજથી બનેલાં હોય. તેથી અંદર જુદા જુદા ખનીજોનાં ગુણો હોય છે. અલગ અલગ આકાર લગભગ અડધાથી ત્રણ ઇંચ સુધીના આ પત્થરો જુદા જુદા દેશોમાં પણ હોઇ શકે છે. આની અંદર ગુરુત્વાકર્ષની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બધા જ ટિસ્યુને ફાયદો આપીને શરીર ને આરામ પહોંચાડે છે. પત્થરોને શરીર પર કેટલી વાર સુધી મુકી રાખવાના છે તેમાંથી નીકળતી ઉર્જા અને ગરમી પર નિર્ભર કરે છે. જેટલી વાર સુધી પત્થર શરીર પર ઉર્જા અને ગરમી આપી શકે છે તેને તેટલી વાર સુધી રાખવામાં આવે છે. આનાથી શરીરનું બ્લડ સક્યૅુલેશન વધવાની સાથે સાથે શરીરને આરામ મળે છે. શરીરની આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમને આરામનો શ્વાસ લેવાની તક છે. સાથે સાથે મજગને તરોતાજા બનાવતાં મગજને તણાવ રહિત રાખે છે. એક કલાકની સ્ટોન થેરાપી માટે દોઢ હજારથી સાડા પાંચ હજાર સુધી રૂપિયા લઇ શકે છે અને તે તે વાત પર નિર્બર છે કે તમે ક્યુ સ્પા પસંદ કરો છો.

Sunday, May 13, 2012

આધુનિક મહિલાને હાઉસવાઇફ શબ્દથી જ ચીડ

આધુનિક સમયમાં દરેક વ્યક્તિની વિચારધારા બદલાઇ રહી છે. આજના યુગની આધુનિક મહિલાઓને હાઉસ વાઇવ્સ શબ્દથી ભારે અણગમો છે એક સર્વેમાં આધુનિક મહિલાઓ હાઉસ વાઇવ્સને બદલે પોતાને સ્ટે એટ હોમ મમ્સ (ઘરે રહેતી મમ્મી) તરીકે લોકો બોલાવે તેમ ઇચ્છતી હોવાનું તારણ બહાર આવ્યું છે. સર્વેમાં સમાવિષ્ટ ત્રીજા ભાગની મહિલાઓએ હાઉસ વાઇવ્સ શબ્દને પોતાના અપમાન સમાન ગણાવ્યો હતો. જયારે અન્ય ત્રીજા ભાગની મહિલાઓએ આ શબ્દ નકારાત્મક પાસુ રજુ કરતો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સર્વેમાં અંદાજા બે હજાર માતાઓને આવરી લેવાઇ હતી. ઘરમા પોતાની ભુમિકા અંગે હાલના બદલાયેલા જમાનામાં મહિલાઓનો અનુભવ જાણવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ઘણી બધી માતાઓએ પોતાને સ્ટે એટ હોમ મમ્સ તરીકે સંબોધવાનું સુચન કર્યુ હતું. પોતાનો મત રજુ કરતા માતાઓએ કહ્યું હતું કે બાળકોની ઘરે દેખભાળ અને કાળજી
રાખવી તે તેમની પ્રાથમિક ભુમિકા છે. આ ઉપરાંત તેઓ પતિની જવાબદારીમાં પણ સરખેસરખી ઉપાડી લેશે. માતાની કાળજી પર કામ કરતી સામાજિક સંગઠન લીઝડેએ આ સર્વે હાથ ધર્યો હતો. અહેવાલમાં ઉલ્લેખ
કરવામાં આવે છે કે સમય હવે બદલાઇ ગયો છે. માતાઓ પોતાને વધુ આધુનિક માતા સમજે છે. હવે બદલાતા યુગમાં માતાઓની ભુમિકા પણ સતત બદલાઇ રહી છે. જેથી તેઓ પણ જુના પુરાણા સંબોધનને બદલે પોતાની નવી ભુમિકા અનુસાર લોકો સંબંધોન કરે તેમ ઇચ્છે છે. હાલ મોટા ભાગની માતા કામ કરવાને બદલે ઘરે રેહવાને પણ વધુ પ્રાથમિકતા આપી રહી છે.

Saturday, May 12, 2012

લાંબા સમય સુધી બેસવાથી લોહીનો જથ્થો જામી જાય છે

લંડન ઃ બિ્રટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ લાંબાગાળા સુધી બેસી રહેનાર મહિલાઓમાં બ્લડક્લોટનો ખતરો વધારે રહે છે. વધુ સક્રિય રહેલી મહિલાઓની
સરખામણીમાં તેમના ફેંફસામાં જીવન માટે ખતરનાક લોહીનો જથ્થો જામી જવાનો ખતરો લાંબા સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં બેથી ત્રણ ગણો વધારે રહે છે. આનો મતલબ એ થયો કે લાંબા સમય સુધી દરરોજ બેસી રહેનાર મહિલાઓ માટે સ્થિતિ સાનુકૂળ નથી. સક્રિય રહેનાર મહિલાઓમાં આ સમસ્યા પ્રમાણમાં ઓછી રહે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉદાસીન લાઈફ સ્ટાઈલ હાર્ટ એટેક અથવા તો હાર્ટના અન્ય રોગમાં ફેલાવામાં પણ ભૂમિકા ભજવ છે. અભ્યાસની સાથે એક એડીટોરિયલ પણ પ્રકાશિત કરીને જણાવવામાં આવ્યું છે કે સ્થિતિ ખરાબ ન થાય તે માટે દરરોજ લાંબા સમય સુધી મહિલાઓએ એક જગ્યાએ બેસી રહેવું જોઈએ નહીં. આ તારણો આરોગ્ય માટે લાલ બત્તી સમાન છે. આના લક્ષણો પણ ખતરનાક છે.

લક્ષણોના ભાગરૂપે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છાતીમાં દુઃખાવો થાય છે અને કફની તકલીફ રહે છે. સપ્તાહમાં ૪૧ કલાકથી વધુ સમય સુધી બેસી રહેનાર મહિલાઓમાં આ ખતરો વધારે રહે છે.

Friday, May 11, 2012

સ્ટ્રોકનાં હુમલાને ઘટાડવામાં ચોકલેટ ઉપયોગી

દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓ માટે ખૂબ સારા સમાચાર છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં એક
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર સપ્તાહમાં ચોકલેટ ખાનાર મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો ૨૦ ટકા સુધી ઘટી જાય છે. ૩૩,૦૦૦ સ્વીડીશ મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલાં અભ્યાસનાં આધાર ઉપર આ તારણો
આપવામાં આવ્યા છે.

આ સ્વીડીશ મહિલાઓ મોટા પ્રમાણમાં ચોકલેટ ખાઈ રહી હતી પરંતુ નવા અભ્યાસનાં તારણો સપાટી પર આવ્યા બાદ ચોકલેટને લઈને યુવતીઓ અને મહિલાઓનો ક્રેઝ વધે તેવી શક્યતા છે.
અમેરિકન કોલેજ ઓફ ર્કાિડયોલોજીના જનરલમાં પ્રકાશિત થયેલાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દર સપ્તાહમાં ૬૬ ગ્રામની આસપાસ ચોકલેટ ખાઈ જનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો આશરે ૨૦ ટકા સુધી ઘટી જાય છે જયારે સપ્તાહમાં ૮ ગ્રામ અથવા તો તેનાથી ઓછા પ્રમાણમાં ચોકલેટ ખાનાર લોકોમાં સ્ટ્રોકનો હુમલો થવાનો ખતરો વધી જાય છે.

આ અભ્યાસનાં તારણો અગાઉનાં એવા તારણોને પ્રોત્સાહન આપે છે જે તારણમાં જણાવવામાં આવ્યું હતું કે, ચોકલેટ અને કોકા ખાવાથી ફાયદો થાયછે.

ડેન્ગ્યુ પછી જલ્દીથી સાજા થવા આટલું કરવું જરૂરી છે

ડેન્ગ્યુના નામથી જ લોકોમાં ભય જોવા મળે છે.એકવાર આ રોગ ફેલાયા પછી તેને નિવારવો અઘરો થઇ જાય છે.રોગમાંથી બહાર આવ્યા પછી પણ પહેલાં જેવું સામાન્ય જીવન જીવતા થોડો સમય લાગે છે.પરંતુ જો આહારની બાબતોમાં વિશેષ કાળજી લેવામાં આવે તો જલ્દીથી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય છે અને પહેલાં જેવું જ જીવન જીવી શકાય છે.

ડેન્ગ્યુ થવાનું મુખ્ય કારણ મચ્છરો છે.મચ્છરો બે પ્રકારના જોવા મળે છે.એક પ્રકારના મચ્છરો દિવસે જોવા મળે છે જયારે બીજા પ્રકારના રાત્રે જોવા મળે છે.આ બે પ્રકારમાંથી દિવસે કરડનારા મચ્છરો ડેન્ગ્યુનો ચેપ ફેલાવી શકે છે.

ખાવાપીવાની બાબતમાં રાખેલી કોઇપણ પ્રકારની કાળજી પણ ડેન્ગ્યુને અટકાવી શક્તી નથી. ડેન્ગ્યુ ના થાય તે માટે તમારે સૌપ્રથમ તો મચ્છરોનો ઉપદ્રવ રોકવો પડે અને તે માટે ઘર ને ઘરની આસપાસનો વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રાખવો પડે.હવાની અવરજવર થતી રહે અને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખવાં.

જો ઘરમાં આખો દિવસ અંધકાર રહેતો હશે અને પૂરતી હવાની અવરજવર નહીં રહેતી હોય તો મચ્છરોનો ઉપદ્રવ
થશે.આમ છતાં પણ જો મચ્છરોનું પ્રમાણ વધારે હોય તો અન્ય ઉપાયો અજમાવી શકાય જેવાં કે મોસ્કિટો મેટ ચાલુ રાખવી,મચ્છર અવરોધક ક્રીમ લગાવવી તેમજ ઘરમાં લીમડાનાં સૂકા પાનનો ધૂમાડો કરવો.

ડેન્ગ્યુના લક્ષણો- ૧૦૧ થી ૧૦૩ જેટલો તાવ આવવો. હાથપગ તૂટતા હોય તેવું લાગવું. ખૂબ જ સુસ્તી લાગવી. ક્યારેક શરીર પર લાલાશ આવે અને સાંધામાં સોજા લાગે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટ કરવાથી જાણી શકાય કે
ડેન્ગ્યુ થયો છે કે નહીં. ડેન્ગ્યુ વખતે આહારમાં લેવી પડતી કાળજી ડેન્ગ્યુ થયો હોય તે દરમ્યાન ખોરાકમાં વિશેષ
સાવચેતી રાખવી પડે છે.આની પાછળનું કારણ એ નથી કે સાવચેતી રાખવાથી ડેન્ગ્યુ જલ્દીથી મટે છે પરંતુ આ
દરમ્યાન જે એન્ટિબાયોટિક્સ દવાઓ લેવામાં આવે છે તેને પૂરતો સપોર્ટ મળી રહે તે માટે આહારની કાળજી લેવામાં આવે છે. આવા સમયે દર્દીને પ્રવાહી વધુ પ્રમાણમાં આપવું.ડિહાઇડ્રેશન અને નબળાઇની સમસ્યા નિવારવા નાળિયેર પાણી,છાશ,લીંબુનું પાણી,જવનું પાણી,વેજીટેબલ સૂપ,દાળનું અથવા મગનું મીઠું નાખેલું પાણી વગેરે ખૂબ ફાયદાકારક નીવડે છે.આવા સમયે ખાવાનું ના ભાવે તો ખીચડી ખાખરો વગેરે જેવો આહાર પણ લઇ શકાય. શું ના ખાવું- ડેન્ગ્યુ દરમ્યાન પાપડ અને અથાણાં જેવી ચીજો બિલકુલ જ ના લેવી.

આ ઉપરાંત મેંદો અને તેમાંથઈ બનતી તમામ ચીજો જેવી કે બ્રેડ,બિસ્કીટ,પીઝા,બર્ગર વગેરેથી પણ દૂર રહેવું.પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ને બને તેટલા સૂપ,ફ્રુટજયૂસ અને વેજીટેબલ્સ લેવાં.તીખું-તળેલું ને ઠંડી વસ્તુઓ ના ખાવી. આમ, ડેન્ગ્યુ દરમ્યાન આહારમાં વિશેષ સાવચેતી રાખવાથી તમે તેમાંથી જલ્દી સાજા થઇ શકશો ને સ્વસ્થતાથી રુટીન લાઇફની શરુઆત કરી શકશો.

Thursday, May 10, 2012

બહેરાશ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓ

બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય સભ્યો રોષે ભરાય છે.બહેરાશ ધરાવતા
લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે.

દરેક માણસમાં શારીરિક કે માનસિક એમ કોઇને કોઇ ખામી તો હોય જ છે. જેના કારણે તેઓને નાની મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. બહેરા લોકોને કેવી તકલીફો ભોગવવી પડે છે તે વિશે જાણીએ.

ઘણી વખત સામી વ્યક્તિ કંઇ બોલે ને બહેરો વ્યકિત બીજું સમજતો હોવાથી રમૂજ પણ થાય છે તો ક્યારેક ઝઘડા પણ થાય છે. આ ઉપરાંત ઓછું સાંભળતી વ્યક્તિ તેની આ કુદરતી ખામીને લીધે કેવાં કેવાં અનુમાન કરીને
કેવું વિચિત્ર વર્તન કરે છે તે અનુભવો પણ જાણવા જેવા છે. સાવ બહેરા અને ઓછું સાંભળનારા લોકોને સૌથી વધુ તકલીફ બીજા લોકો સાથેની વાતચીત દરમ્યાન થાય છે.

ઓછું સાંભળતી કે બહેરી વ્યકિત એવું માની લે છે કે તેની સાથે વાત કરનારા લોકો ધીમે ધીમે બોલે છે અથવા તો સ્પષ્ટ ઉચ્ચારો નથી કરતા. આથી તે એકદમ ઉશ્કેરાઇ જાય છે. ખાસ કરીને તેને મિત્ર વર્તુળમાં આવા અનુભવ સતત થયા કરે છે. આટલું જ નહીં, બહેરો માણસ રેડિયો કે ટી.વી. સાંભળે અથવા જુએ ત્યારે તેનો અવાજ ઊંચો રાખે છે.કારણ કે તે ધીમા અવાજથી સાંભળવા સક્ષમ નથી હોતો. પરંતુ ઊંચા અવાજથી પરિવારના અન્ય
સભ્યો રોષે ભરાય છે. બહેરાશ અથવા કાનની તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ ખૂબ સાવધાની રાખવી પડે છે. ઘણીવાર શિક્ષક જે કંઇ બોલ તે સ્પષ્ટ સાંભળી નથી અને બધાની વચ્ચે ઊભા થઇને શિક્ષકને ફરીથી પૂછવું પડે છે અને તેમાં વર્ગને ખલેલ પહોંચે છે. તેના મિત્રની નોટબુકમાંથી ઉતારો કરવો પડે છે એટલે કે અભ્યાસમાં અવારનવાર મિત્ર પર આધાર રાખવો પડે છે. બહેરાશ ધરાવતા લોકોને એવા પણ અનુભવો થાય છે કે લોકો તેમની સાથે વાતચીત કરવાનું ટાળે છે, તેમને અવગણે છે. આવી ભાવનાને કારણે તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે. બહેરા લોકોએ ઘરમાં પરિવારના સભ્યો અને ઓફિસમાં ઉપરી અધિકારીઓના રોષના ભોગ અવારનવાર બનવું પડે છે. કારણ કે તેઓ જે કંઇ બોલે કે સૂચના આપે તે તેમના કાન સુધી પહોંચતી નથી પરિણામે બંને પક્ષે ગેરમસજ થાય છે.અને તેઓને અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બધિરોને સૌથી વધુ સાવચેતી રસ્તા પર ચાલતી વખતે તથા પ્રવાસમાં રાખવી પડે છે. કારણ કે વાહનના હોર્નનો અવાજ ના સાંભળી શકવાથી અકસ્માત થવાની શક્યતા રહે છે. એટલે ઘણીવાર પરિવારના સભ્યો બહેરી વ્યક્તિને બહાર કેપ્રવાસમાં એકલી જવા નથી દેતા. કોનેિ કોઇ સભ્યોને તેમની સાથે મોકલે છે.

Wednesday, May 9, 2012

પીપળો માત્ર મંદિરોમાં જ સચવાય છે

સૌથી વધારે ઓક્સિજન છોડતાં વૃક્ષની અવદશાથી પર્યાવરણવાદીઓ પણ ચિંતિત

રાજયમાં પીપળો રક્ષિત વૃક્ષ તરીકે જાહેર કરાયો છે છતાં તેની સાચવણી થતી નથી. ઠેર-ઠેર વાવવાની ઝુંબેશ માત્ર જાહેરાત.

પીપળાના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે.

પીપળો મેડીસીન યુઝમાં પણ અવ્વલ

પીપળાનો મેડીસીનલ યુઝ પણ વધારે છે. તેના પાન ઉત્તમ ટોનિક છે. પીપળાના પાનનો રસ કાઢીને તેના ટીપા કાનમાં નાખવાથી રસી મટે છે. ગેસ, એસીડીટી, ડાયાબિટીસ, અસ્થમાં, સહિતના રોગમાં પીપળો ગુણકારી છે. આમ પીપળો બધી રીતે ઉત્તમ છે.

પીપળાના પાનના પણ વિશીષ્ટ પ્રકાર છે. બંગાળીમાં અસ્બથ્થા, કન્નડમાં અરાલી માટા કોંકણીમાં પીંપણ ટ્રુક, સંસ્કૃતમાં અશ્વત્થ અને તેલુગુમાં રાવી નામ છે. પીપળાનું સાયન્ટીકિક નામ ફાપકસ ટિબિજીવોસા છે.

ગ્લોબલ વાૅર્મિંગ સામે પીપળો રક્ષક પીપળામાં એટલા બધા ગુણ છે કે તે ક્લાઈનેટ ચેન્જ કરી શકે છે જીહા હાલમાં વ્યાપ્ત થયેલા પ્રદુષણ સામે અને ગ્લોબલ વોર્મિંગ માટે પીપળો જ એક માત્ર રક્ષક બની શકે તેમ છે. આ
પ્રકારની ચર્ચા ગુજરાત ચર્ચા ગુજરાત સરકારના યોજાયેલા કોમ્બારીંગ એન્વાયર્મેન્ટલ ડિગટડેશન સેમિનારમાં પણ થઈ ચૂકી છે.


ભગવત્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું. કૃષ્ણના આ સંદેશા પછી દરેક યુગમાં પીપળો
પૂજાતો આવ્યો છે. ઋષિમુનિઓ પીપળાનીચે જ ધ્યાન ધરતા સિધ્ધાર્થ ગૌતમ પીપળાનીચે ધ્યાન ધરીને
ગૌતમ બુધ્ધ બન્યાં. સાયન્ટીસની દૃષ્ટિએ પીપળો મનુષ્ય જીવન માટે એટલો જ ઉપયોગી છે.

પીપળો જ એક એવું વૃક્ષ છે જે દિવસ -રાત કાર્બન ડાયોક્સાઈડ લે છે અને ઓક્સિજન છોડ્યા કરે છે. આજથી ત્રણેક વર્ષ પહેલા રાજયસરકારે પીપળાને રક્ષિત વૃક્ષ જાહેર કર્યું છે. અને રાજયભરમાં વનમાં વન વિસ્તાર બહાર બને એટલા પીપળા વાવવાની ઝુંબેશની જાહેરાત કરેલી પણ એ પોકળ કરી છે.

હાલમાં પીપળો મોટાભાગે મંદિરોમાં જ જોવા મળે છે. ર્ધાિમક રીતે પણ પીપળાનું અનેરું મહત્વ છે. તેના દરેક
અંગમાં પ્રભુ છે. તેના મૂળમાં બ્રહ્માનો વાસ, થડમાં વિષ્ણુનો અને પાનમાં શિવનો વાસ છે. આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ પીપળો ખુબ જ મહત્વ ધરાવે છે. પરંતુ કોઈને નવા પીપળા વાવવામાં રસ જ નથી. ભાદરવી અમાસે કે પિતૃ
તર્પણ માટે પીપળાની પૂજા થાય છે. છતા આ વૃક્ષની સંખ્યા ગુજરાતમાંથી ધટતી જાય છે. જેના માટે કોઈ જ ચિંતાતુર નથી. સરકારી વનખાતુ આના માટે કશું જ કરતું નથી. હવે તો ખેડૂતો અને ગામડાં શહેરમાં રહેનારા
લોકોએ જ આગળ આવવું પડશે.

Saturday, May 5, 2012

વિવિધ ભોજનના રસ

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ. જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ
રસનું અતિસેવન કદી કરવું નહીં.


મહેમાન આવે એટલે સામાન્ય રીતે ચા-પાણીથી સ્વાગત કરવામાં આવે. તે પાછળનું કારણ એટલું કે
ચાથી સુસ્તી ને થાક ઉતરે. ઉત્તર ભારતમાં પણ મહેમાનોને ગોળનું પાણી પીવડાવવામાં આવે છે જેથી
તેમના શરીરમાં શક્તિ ને ર્સ્ફૂિતનો સંચાર થાય. ગળ્યા રસમાં શકિતનો સંચાર છે.

આયુર્વેદમાં ભોજનના છ રસ દર્શાવ્યા છે. તેમાં ખાટો,ખારો, તીખો, તૂરો, કડવો ને ગળ્યો. આ બધા રસો સપ્રમાણ હોવા જોઇએ.

જેને કારણે શરીરની તંદુરસ્તી બરાબર પ્રમાણમાં જળવાઇ રહે. પરંતુ આધુનિક વિજ્ઞાન માત્ર ચાર જ રસ ગણે છે. ચરકસંહિતામાં લખ્યું છે કે બધા રસોનો અભ્યાસ ઉત્તમ છે, કોઇપણ એક જ રસનું અતિસેવન કદી કરવું નહીં. આપણે પાણીપુરી ખાઇએ તેમાં પાણીપુરીના પાણીમાં લીલાં મરચાં, ફૂદીનો, આમચૂર, સિંધવ ને
મસાલો ભેળવીએ છીએ. પૂરી પણ આમ જોઇએ તો ઘીમાં બનાવેલી સ્વચ્છ હોવી જોઇએ. તેમાં મગ- ચણા સાથે પાણીપુરીનું પાણી ખાતાં મોટેભાગે થાક ઊતરી જાય છે.

એમાં ખજૂરની ચટણી પણ ખરી. જીરું, અજમો ને બટાટા આમ વૈવિધ્ય ચીજો સાથે એ આરોગવાનું
હોય. આ પ્રથા ઉત્તરભારતમાં આજે પણ ચાલુ છે. ઉત્તરભારતમાં જલજીરામાં લીંબુના ફૂલ ( સાઇટિ્રક એસિડ ) એ કોઇ વાપરતું નથી. લીંબુના ફૂલ એ નકલી છે. તેને બદલે આમલીના ફૂલ વાપરી શકાય. જેને ટાર્ટરિક એસિડ કહેવામાં આવે છે. પાચક રસો કઇ રીતે કામ કરે છે તે થોડું જાણીએ. ખારો રસ જલ ને અગ્નિ અથવા પૃથ્વી ને અગ્નિથી બને છે.વાયુનું શમન કરે છે. શરીરમાં જલતત્વ વધારે પરંતુ એના અતિરેકથી
એસિડિટી, લોહીવિકાર, ગઠિયો વા, ચામડીમાં ખંજવાળ ને શીળસ પેદા કરે છે. માટે પ્રમાણમાં લેવું
જોઇએ. જયારે ખાટો રસ પૃથ્વી ને અગ્નિમાંથી બને છે. એ પાચક છે ને વાયુની ગતિ અવળી કરી
મળમૂત્ર સાફ લાવે છે. રુચિ વધારે છે. તેના અતિઉપયોગથી ચક્કર, ભ્રમ, દ્રષ્ટિ વિકાર ને કોઇવાર

રક્તસ્ત્રાવ પણ કરે છે. સ્વયં રુચિ ભોજન તરફ વળીએ તો પાણીપુરીના તૈયાર મસાલા સ્વીકાર્ય નથી પરંતુ મોટાભાગે જેમને ગળામાં ખાંસી-એલર્જી ને અગ્નિ હોય તેમને આવા કૃત્રિમ- નમકીન ફૂલોવાળા મસાલેદાર  ચૂર્ણો કે પાચનની ગોળીઓથી દૂર રહેવું. આ રસો સાવ વર્જય નથી પણ આપણા આહારમાં પણ આવે છે.

જેમ લીંબ-કોકમમાં ખટાશ છે તેમ મરચામાં તીખાશ. આના વધુ પડતાં ઉપયોગથી એસિડિટી થાય. જમતી
વખતે લવણ ભાસ્કર કે હિંગવાષ્ટક ચૂર્ણ લેવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.

Thursday, May 3, 2012

સૌંદર્ય માટે ઉત્તમ દહીં

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ
જાય એટલે ધોઈ લો.

થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

દહીનું સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્ય નિખાર માટે પણ મહત્વનું સ્થાન છે. આ ખુબ જ સરળ અને સહેલાઈથી મળી જતું સૌંદર્ય પ્રસાધન છે. આ દરેક ઘરની અંદર સહેલાઈથી મળી જાય છે.

દહી ચહેરા, ગરદન, ખભાને તો નિખારે છે તેની સાથે સાથે વાળને પણ પોષણ આપે છે. ર્ જો વિવિધ રંગ અને શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળની ચમક ઓછી થઈ ગઈ હોય તો દહીની અંદર બેસન નાંખીને વાળના
મૂળમાં લગાવી દો અને કલાક બાદ ધોઈ લો. આનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડો પણ દૂર થઈ જશે.

જેને ખોડો થયો હોય તેમણે દહીની અંદર ક ા ળ ા મરીનો ભૂકો ભેળવીને માથુ ધોવું જોઈએ.
અઠવાડિયામાં બે વખત આવું કરવાથઈ વાળમાંથી ખોડો ગાયબ થઈ જશે.

જો તમે ખીલની સમસ્યાથી હેરાન હોય તો તમારા ચહેરા પર ખાટા દહીનો લેપ લગાવો. ચહેરો સુકાઈ જાય એટલે ધોઈ લો. થોડાક જ દિવસમાં તમને ચોક્કસ લાભ થશે.

વાળ ખરતા હોય તો ખાટા દહીની અંદર મુલતાની માટી, શિકાકાઈ પાવડર, અડધા લીંબુનો રસ ભેળવી રાત્રે મિશ્રણને તૈયાર કરીને સવારે વાળના મૂળમાં લગાવી દો.આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરો.

Thursday, April 26, 2012

Monsoon Health Care Tips 2012 - રાખો વિશેષ કાળજી

વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ? અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે.

ઝરમર વરસાદ અને ગરમ ગરમ ગોટાની મજા માણવા કોણ તૈયાર નથી ? અને વળી તેમાં પણ જો તમારે થોડીક વધારે મજા માણવી હોય તો થોડાક પલળી જાવ. આ તો વાત ફક્ત વરસાદની થઈ હવે આપણે વાત કરીએ તેનાથી બચવાની. વરસાદના ભેજવાળા વાતાવરણમાં સૌથી વધારે ચિંતા જો આપણને રહે તી હોય તો તે છે આપના સૌંદર્યની. હવે ઋતુમાં તમારે સ્કિનની કેર માટે શું કરવું છે અને શું નહિ ?

અને મેકઅપમાં પણ બદલાવની જરૂરત છે. તેનો સીધો અર્થ તે છે કે તમારે બધુ જ બદલવું પડે છે. તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ તૈલીય ત્વચા માટે. ઓઈલી સ્કીન વરસાદમાં થોડીક વધારે ઓઈલી દેખાય છે. સવારે ચહેરો ધોયા બાદ પણ ચિકણાહટલાગે છે.

કાચુ દૂધ તેના માટે સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. કાચા દૂધને ચહેરા પર લગાવીને તુરંત લુછી નાંખો. ત્યાર બાદ
મુલતાની મુલતાની માટીનો ઠંડા પાણીમાં પેક બનાવીને લગાવો. જો તમારી ત્વચા વધારે ઓઈલી હોય તો
પેકની અંદર ત્રણ ચાર ટીપા લીંબુનો રસ ભેળવી દો. હવે વારો આવે છે શુષ્ક ત્વચાનો. શુષ્ક ત્વચાને
આમ તો દરેક હવામાનમાં સારસંભાળની જરૂરત હોય છે.

વરસાદની અંદર કોઈ પણ પેક લગાવતાં પહેલાં ધ્યાન રાખો કે તેની અંદર નમીવાળું કોઈ તત્વ હાજર છે કે નહિ. ધરેલુ પેક માટે ઇંડાનો સફેદ ભાગ મલાઈમાં ભેળવીને લગાવો. હંમેશા મોઈશ્ચરાઝરવાળો જ ફેસપેક લગાવો. અને અંતે સામાન્ય ત્વચા માટે સામાન્ય
વસ્તુઓને તો ખાસ કરીને વિશેષ સારસંભાળની જરૂરત નથી.

તે છતાં પણ સૌંદર્યને વધારે નિખારવા માટે તમારે આનો પ્રયોગ કરતાં રહેવું જોઈએ. સામાન્ય ત્વચા માટે જવના લોટમાં મસૂરની દાળનો પાવડર બરાબર માત્રામાં ભેળવી લો. ગુલાબજળની અંદર આ પેસ્ટને બનાવીને લગાવો અને સુકાઈ જાય એટલે તેને રગડીને ધોઈ લો. વરસાદની ઋતુમાં તમે ગમે તેટલા બચીને ચાલો તે છતાં પણ ગંદા પાણીના છાંટા તમારી પર ઉડ્યા વિના રહેતા નથી.

આ પાણીથી ઈંફેકશન થવાનો ભય રહે છે. તેથી આ ઋતુમાં કોઈ એટીસેપ્ટીક સાબુથી નહાવું જરૂરી છે. વળી પગનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કેમકે ગંદા પાણીને લીધે પગમાં ઈંફેક્શન લાગી શકે છે. વરસાદના પાણીમાં પગ ભીના થયા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોવાનું ભૂલશો નહિ. વરસાદમાં બને ત્યાર સુધી વોટર પ્રૂફ મેકઅપ જ કરો.

મસ્કરા અને કાજલ વધારે જરૂરી હોય તો જ લગાવો. કેમકે વરસાદને લીધે તે ફેલાઈ જાય છે અને ખરાબ લાગે છે.

Thursday, April 19, 2012

Perfect Hairstyles Selection 2012

આજકાલ સ્ટ્રેટ હેર તેમજ સ્ટ્રેટ કટની ફેશન ચાલી રહી છે. પરંતુ તેની સાથે સાથે પર્મ અને લેયર્સની પણ ફેશન ચાલી રહી છે. પિરેમીડ, બ્લંટ કે હેલો તેમજ બોબ પણ આ દિવસોમાં વધારે ચલણમાં છે.

હેર કટ હંમેશા પોતાના વાળના પ્રકાર પ્રમાણે અને ફેસ કટના હિસાબે જ કરાવવા જોઈએ. જો તમારો ચહેરો વધારે લાંબો હોય તો તમે પર્મ અથવા લેયર્સ કપાવી શકો છો.

લાંબા ચહેરા પર બ્લંટ કે પિરેમિડ સારા નથી લાગતાં. જો તમે નાના વાળ રાખવા માંગતા હોય તો ક્લાસીક બોબ
કે હેલો સારા લાગે છે. અંડાકાર ચહેરા પર લોંગ કે શોર્ટ બંને સારા લાગે છે.

પરંતુ કોનિકલ કે સ્લાંટ હેર કટ વધારે સારા લાગે છે. જો તમારી ગરદન લાંબી હોય અને ફેસ નાનો હોય તો ઈટેલિયન તેમજ શોર્ટ લેયર્સ વધારે સારી લાગે છે. પરંતુ આ પ્રકારના હેર કટ આધુનિક વસ્ત્રોમાં જ સારા લાગે છે.

જો તમારો ચહેરો પહોળો કે ચોરસ હોય તો તમારા પર આ રીતની હેર કટ સારી લાગશે. જે સ્લાંટ હોય તેમજ તમારી જો બોંસને ઢાંકતી હોય જેથી કરીને તમારી ચહેરો બૈલેસ્ડ લાગે.જો તમારુ માથું નાનુ હોય તો તમારી પર આ રીતની હેર કટ સારી લાગશે જે તમારા માથાને ઢાંકી નહિ. આનાથી વિરૂધ્ધ જો તમારૂ માથું પહોળું હોય તો તમને ફેસ ફ્રેમ કટ કે ફ્રંટ ફ્રિસેજ પણ સારી લાગશે.

Friday, April 13, 2012

Cosmetic Produts Harmness - ઉપયોગ કેવી રીતે કરો છો

ખાસ કરીને મહિલાઓને કોઈ પણ કોસ્મેટિક્સ પ્રોડક્સ અને તેના વિશે જેટલું જાણે છે તેટલું તે તેના ઉપયોગ વિશે નથી જાણતી. આ વાત નાઈટ ક્રિમના સંદર્ભે એકદમ સાચી ઉતરે છે.

આમ તો ચહેરાને સારો દેખાડવા માટે ન જાણે આપણે કેટલુંયે કરીએ છીએ પરંતુ જયારે વાત આવે છે કોઈ નવા પ્રોડક્ટને લઈને ત્યારે આપણે તે બિલકુલ ભુલી જઈએ છીએ કે તે આપણા ચહેરા માટે કેટલી યોગ્ય છે. જાણ્યા અને સમજયા વિના જ આપણે તેનો ઉપયોગ કરવાનું ચાલું કરી દ ઈ અ ે છીએ.

જો કોઈએ એવી માહિતી આપી કે બજારની અંદર આવેલી નવી ક્રિમ કે નવી પ્રોડક્ટ ખુબ જ સારી છે તેને ઉપયોગ કરવાથી મને ફાયદો થયો તો આપણે જરા પણ મોડું કર્યા વિના તે લાવીને તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ છીએ.

પરંતુ તે વાતને નથી સમજતાં કે જે કોસ્મેટિક્સ બીજા માટે યોગ્ય છે બીજાના ચહેરા પર સુટ થાય છે તે આપણા માટે યોગ્ય ન પણ હોય. તે આપણી ત્વચાને સુટ ન પણ કરે. તો કોઈપણ ક્રીમ કે કોસ્ટેટિક્સ કોઈના પણ દેખા ક્યારેય ન ખરીદવા. હવે વાત કરીએ ક્રિમની તો દિવસે લગાવવાની ક્રિમ અને રાત્રે લગાવવાની ક્રિમની અંદર ઘણું અંતર છે.

દિવસે આપણે એટલા માટે ક્રિમ લગાવીએ છીએ કે આપણા ચહેરાને ધૂળ, રજકણો અને જો એસપીએફ યુક્ત ક્રીમ લગાવતાં હોઈએ તો સુર્યના કિરણોથી રક્ષણ મળે. તે દિવસ દરમિયાન આપણા ચહેરાને મોઈશ્ચરાઈઝર રદાન કરતી રહે.

પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે રાતની વાત જુદી છે. રાત્રે આપણી ત્વચા શ્વાસ લે છે.

એટલા માટે તેનો મોટાબોલિક રેટ તીવ્રતમ હોય છે. વિશેષજ્ઞો મુજબ નાઈટ ક્રિમ ત્વચાને કોમળ બનાવે છે સાથે સાથે એજ સ્પોટ્સ અને રિકલથી પણ બચાવે છે. રાત્રે ઉપયોગમં લેવાતી ક્રિમ ડે ક્રિમ કરતાં વધારે ભારે હોય છે. એટલા માટે તેનું એક ટીંપુ પણ વધારે છે.

જો તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચા ઓઈલી પણ થઈ શકે છે. સુતા પહેલાં
સાધારણ પાણીથી કે ફેસવોશથી તમારા ચહેરાને ધોઈ લો. ત્યાર બાદ નાઈટ ક્રિમનું એક ટીંપુ લઈને તમારા ચહેરા અને ગરદન પર લગાવી દો. આ સિવાય તમે જો કોઈ ઘરેલુ પ્રયોગ કરવા માંગતાં હોય તો લીંબુ અને
ગ્લીસરીન મિક્સ કરીને પણ લગાવી શકો.

Wednesday, April 11, 2012

Bad Mouth Odor Causes

આ સમસ્યાને લીધે ખુબ જ શરમ અનુભવાય છે આના દ્વારા તમારુ વ્યક્તિત્વ ખરાબ દેખાય છે. દાંતની સરખી રીતે સારસંભાળ ન લેવી, ધુર્મપાન કરવું તેમજ આલ્કોહોલનું સેવન કરવું આવા બધા કારણોને લીધે આ સમસ્યા
વધી જાય છે.

મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણાં કારણો હોઈ શકે છે. ડાયાબિટીશ, જીંજાવાયટીસ, ટોંસીલાઈટીસ, સાઈનુંસાઈટીસ, યકૃતમાં થોડી ખરાબી, મોઢાનું ગળાનું કે અન્નનળીનું કેંસર.

વધારે પડતા ડુંગળી, લસણ અને મસાલેદાર ભોજનનો ઉપયોગ કરવો જોઈએ નહી. ખાધા બાદ કંઈક ચાવવું જોઈએ જેમ કે ધાણાદાળ, ફુદીનો, અખરોટની છાલને ધીરે ધીરે મસળીને ત્યાર બાદ લીંબુના પાણીથી કોગળા કરી લો.

તમારે ગાજર, ફુદીનો અને કાકડીનો રસ સરખી માત્રામાં લઈને રોજ પીવો જોઈએ. છ અઠવાડિયા સુધી છાશનો પ્રયોગ પણ તમે કરી શકો છો તેનાથી પણ તમારા મોઢાની દુર્ગંધ દુર થઈ જશે.

Saturday, March 24, 2012

Protest Cancer 2012

બજારમાં ઉપલબ્ધ ગર્ભનિરોધક દવાઓના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. અન ઇચ્છિત ગર્ભને ટાળવા માટે દુનિયાભરમાં કરોડો મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરે છે.

ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરવાનો પ્રવાહ હાલના વર્ષોમાં વધ્યો છે. આ સંબંધમાં કેટલાક સર્વે કરવામાં આવ્યા છે.

જેમાં જાણવા મળ્યું છે કે આધુનિક પેઢીમાં ગર્ભનિરોધક દવાઓનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેની આડ અસર અને ખતરનાક પરિણામો આવી રહ્યા છે.

Wednesday, March 21, 2012

Health News 2012 - ટુથપેસ્ટમાં ૯ સિગારેટ જેટલું નિકોટીનનું

સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુખપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે.

આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે.

આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે.

ફલોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ઘણા પેસ્ટ અને દાંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા
જઈએ તો પેસ્ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે.

નિકોટીન ડિમાગને તાજગી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે.

Saturday, March 10, 2012

Effective Face Masks 2012 - ત્વચાને સુંદર રાખવાનો ઉત્તમ રસ્તો

ત્વચાને સુંદર અને જવાન બનાવી રાખવાનો ઉત્તમ રસ્તો છે ‘માસ્ક’. માસ્ક ચહેરાની ત્વચાને અંદરથી પરિવર્તન લાવીને એક નવી ચમક તેમજ આકર્ષણ પેદા કરે છે એક સારો માસ્ક આપણી ત્વચાની બનાવટની સંરચનામાં પરિવર્તન કરીને તેને વધારે પારભાસી તેમજ રંગ નિખારનારી બનાવી દે છે.

આ ત્વચાને નિર્મળ શોધન કરીને બોઈલ કાંતિહીન તેમજ જુની ત્વચામાં નવી જાન નાંખી દે છે. આનો યોગ્ય તેમજ નિયમિત રીતે પ્રયોગ કરવાથી છીદ્રો, કરચલીઓ જેવી સમસ્યાઓ પુર્ણ થઈ જાય છે મેડિકેટેડ માસ્કથી બચવું જોઈએ.

બજારની અંદર ઘણાં પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. પોતાની ત્વચાને અનુરૂપ સાચા માસ્કથી પસંદગી કરીને તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તમે જો ઈચ્છતા હોય તો તમારા ઘરેલુ વસ્તુઓથી માસ્ક બનાવી શકે છે. અહીંયા ઘરેલું માસ્ક બનાવવાની વિધિ આપવામાં આવી છે.

સુકી ત્વચા માટે - ઈંડાના પીળા ભાગને અડધી ચમચીમાં મધ ભેળવો તેમજ એક ચમચી દૂધ પાઉડર તેમાં નાખીને પેસ્ટ બનાવી લો અને આને વીસ મિનિટ સુધી મોઢા પર લગાવી રાખીને પાણીથી ધોઈ લો.

ઓઈલી ત્વચા માટે ઃ- ઈંડાના સફેદ ભાગને અડધી ચમચી મધની સાથે ભેળવીને તેમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

આપણી ત્વચા તે જ દેખાડે છે જે આપણું શરીર ઈચ્છ ેછે એટલા માટે તો કહેવાય છે કે શરીર તંદુરસ્ત હોય તો ત્વચા પણ હજાર વોટની જેમ ચમકે છે એટલા માટે જો તમારે ચમકતી ત્વચા જોઈતી હોય તો શરીર તરફ થોડુક ધ્યાન આપવું જરૂરી છે.

સૌથી મોટી બાબત તે છે કે પોતાના ભોજનની અંદર તે બધા જ પદાર્થોનો સમાવેશ કરો જેમાં વિટામીન એ, સી અને ઈ ભરપુર માત્રામાં હોય. જરૂરી માત્રાની અંદર ફેટ્સ તરળ અને ખનિજનો પણ ઉપયોગ કરો.

ત્વચા એકદમ રૂખી-સુકી થઈ જવી, ખીલ-ફોલ્લીઓથી ચહેરો ભરાઈ જવો આ બધી વસ્તુઓ તે તરફ ઈશારો કરે છે કે તમે તમારા શરીર પ્રત્યે જરા પણ ધ્યાન આપતાં નથી. અચાનક ડાઘ-ધબ્બા થઈ જવા અને ફોલ્લીઓ.

ખીલ, ફોલ્લી કે સુકી ત્વચા ઈમ્બુન સિસ્ટમ કે રોગ પ્રતિરોધક તંત્રમાં ગડબડીના લીધે કોઈ ઉણપ છે જેનો ચોખ્ખો અર્થ છે કે તમારા ખાણ-પીણમાં પોષક તત્વોની અંદર ઉણપ છે.

કરમાયેલો અને ઉતરી ગયેલો ચહેરો તે વાતની નિશાની છે કે તમારુ પાચન તંત્ર સરખી રીતે કામ નથી કરતું કે પછી તમે ભોજન અને પાણી તરફ ધ્યાન નથી આપતાં. વિટામીન એએક શાનદાર એંટીઓક્સીડેંટનું કામ કરતાં છે આનાથી તમારી ત્વચાની અંદરની કસાવટ અને તેની ચમક તેમની તેમ જ રહેશે તેમજ આ ત્વચાને
તુટતા અટકાવશે. તમારુ શરીર વિટામીન એને સરખી રીતે અવશોષિત કરી શકે એટલા માટે જરૂરી છે કે તમે જમવાની અંદર તેલ-ઘી તેમજ ફૈટસનો પણ સમાવેશ કરો.

ગાજર, વટાણા, પપૈયુ વગેરે વિટામીન એના સારા એવા સ્ત્રોત છે. ત્વચામાં કસાવટ લાવવા માટે અને કરચલીઓ રોકવા માટે વિટામીન સી ખુબ જ મદદગાર છે.

Thursday, March 8, 2012

Indian Saree Styles 2012 - પરંપરાગત પરિધાન

સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે.

પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ.

સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

એવી હશે જેણે પોતાના સમગ્ર જીવન દરમ્યાન એકપણ વાર સાડી ના પહેરી હોય. ભારતીય સંસ્કૃતિની આપણી વેશભૂષાનો અભિન્ન હિસ્સો સાડી છે.બસ થોડી સ્ટાઇલ બદલાય ને સાડી મોહક ફેશન બની જાય છે.

સમગ્ર શરીરને સુંદરતાથી સજાવતી સાડી માત્ર સાડા પાંચ કે છ મીટરનું ડિઝાઇન કરેલું વસ્ત્ર જ નથી, પતિના પ્રેમનું પ્રતિક પણ છે.

રીસાયેલી પત્નીને એક સુંદર સાડી ગીફટ કરો, તેની તમામ નારાજગી દૂર થઇ જશે.

જૂના જમાનાથી માંડીને અત્યારના આધુનિક ટેકનોલોજીના સમય સુધી સાડીની સફરે વિવિધ સોપાનો સર કર્યા છે. તથા સ્વરૂપ બદલ્યા છે. પરંતુ તેનું મૂળ સ્વરૂપ આજે પણ યથાવત જોવા મળે છે. સમગ્ર સાડીમાં અત્યંત મહત્વનો હિસ્સો છે પાલવ. સાડીની ફેશન ડિઝાઇન કરતા ડિઝાઇનરો સાડીના પાલવ તરફ વિશેષ ધ્યાન આપે છે.

તેનું સરળ કારણ એ છે કે સમગ્ર સાડી શરીર પર લપેટાયેલી રહે છે જયારે પાલવ ખભા પર ઝૂલતો રહે છે. નારી જો ગુજરાતી કે દક્ષિણી કોઇપણ પ્રકારની સાડી પહેરે પાલવની ડિઝાઇન સરળતાથી જોઇ શકાય છે. અમુક સાડીઓનો ગેટઅપ માત્ર તેના પાલવને કારણે જ હોય છે. પાલવ જેટલો સુંદર હોય તેટલી જ સાડી આકર્ષક લાગે છે.

મોંઘી સાડીઓના પાલવમાં મોતી, જરી ઉપરાંત બારીક તારથી વર્ક કરેલું હોય છે.જયારે અન્ય સાડીઓમાં પાલવ પ્રિન્ટ કરેલો હોય છે. સાડીની કિંમત તેના કાપડ અને વર્ક પર આધાર રાખે છે. સાડીઓનુ માર્કેટ એટલું બધું બહોળું છે કે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. સાડી પ્રત્યે નારીને ખાસ આકર્ષણ છે. ઘણીવાર મહિલાઓ અમુક મોંઘી અને ખાસ વ્યક્તિ દ્વારા અપાયેલી સાડીઓનું જીવની જેમ જતન કરે છે. સાડીની જાળવણી માટેના કેટલાંક ઉપયોગી સૂચનો ર્ સાડીની કિનારી ઇન્ટરલોક કરાવ્યા બાદ જ સાડી પહેરવી.

ફોલ લગાવ્યા વગરની સાડી ના પહેરવી.ફોલથી સાડીની શોભા વધે છે.ફોલ હંમેશા સારો ને પાકા રંગનો જ લગાવવો જેથી કલર જાય નહીં.કાચા રંગનો ફોલ ધોતા આખી સાડી બગડી જાય છે.

ભારે સાડી ઓછી પહેરાતી હોવા છતાં ફોલની નજીકથી જ મેલી થાય છે.જો ફોલ ખરાબ થઇ જાય તો નવો લગાવી દેવો.

પ્રવાસમાં અને રાત્રે સૂતી વખતે ભારે સાડી ના પહેરવી.

જરીવાળી સાડી પહેરી અત્તર ના લગાવવું તેનાથી જરીની ચમક ઓછી થઇ જાય છે.

કિંમતની સાડીઓને જો પેટીમાં રાખવાની હોય તો પેટીમાં નીચે લીમડાના પાન નાખી પછી સાડીઓ મૂકવી જેથી જીવાત પડવાની શક્યતા ના રહે.

જરીવાળી સાડીઓ બે મહિને એકાદ વાર તડકામાં નાંખવી પણ તેને વધુ પડતો તડકો ના લાગે તે માટે તેની પર બીજી સાડી ઢાંકવી.કારણ કે તડકાના લીધે સાડીની ચમક જતી રહે છે.

જો સાડી સ્વચ્છ હોય તો વારંવાર ના ધોવી તેનાથી ચમક અને કલર ઝાંખા પડી જાય છે. જો કોઇ સાડીનો કલર
જતો હોય તો તેને કાગળમાં લપેટીને કે પ્લાસ્ટિકની બેગમાં લપેટીને રાખવી જેથી બીજી સાડીઓને કલર ના લાગે.

Sunday, March 4, 2012

Fashion Beauty Tips 2012 - નાભિ પ્રદર્શન ફેશન ફરી પાછી જોરમાં

હંમેશા ફેશન પંડિતોનું કહેવું હોય છે કે તમારા શરીર ના સુંદર અંગોનું પ્રદર્શન કરવું એ કાંઇ ગુનો નથી, પરંતુ જયારે પણ કોઇ પણ અંગનું પ્રદર્શન કરાય ત્યારે મર્યાદાનો જરા પણ ભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.

જો તમારું ફિગર સ્લિમટ્રીમ હોય અને તેના પર આવેલી નાભિ સુડોળ હોય તો તેનું પ્રદર્શન કરવું યોગ્ય છે. કારણ
કે નાભિ પ્રદર્શન પુરાણકાળથી ચાલ્યું આવ્યું છે.

નારીની દેહાકૃતિ ઇશ્વરે શિલ્પકાર બનીને ઘડી છે. આ દેહને સાવ લઘરવઘર રખાય નહીં.

ઋષિકાળની વનકન્યાઓ ને રાજકુંવરીઓ પણ આકર્ષક દેખાવા તથા ફેશનેબલ બનવામાં દુંટી દેખાય તેવાં વસ્ત્રો પહેરતી હતી. મોટા ભાગની ફેશન આપણે ત્યાં હિન્દી ફિલ્મ દ્ધારા આપણે તેને અપનાવીએ છીએ. એક સંશોધનમાં વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવ્યા છે કે માણસની નાભિ ઉર્ફે દુટીમાં ૧૪૦૦ જાતના જીવાણુઓ છે. માટે નાભિ એકદમ સ્વસ્છ રાખવી અને સ્વસ્છ નાભિનું પ્રદર્શન થાય કે કારય તેમાં નારી કોઇ દોષપાત્ર ન ગણાય.

હંમેશા ફેશન પંડિતોનું કહેવું હોય છે કે તમારા શરીર ના સુંદર અંગોનું પ્રદર્શન કરવું એ કાંઇ ગુનો નથી, પરંતુ જયારે પણ ક ા ે ઇ પણ અંગેનું પ્રદર્શન કરાય ત્યારે મર્યાદાનો જરા પણ ભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. જો તમારું ફિગર સ્લિમટ્રીમ હોય અને તેના પર આવેલી નાભિ સુડોળ હોય તો તેનું પ્રદર્શન કરવું યોગ્ય છે.

કારણ કે નાભિ પ્રદર્શન પુરાણકાળથી ચાલ્યું આવ્યું છે. જે આપણને રાજા રવિ વર્માના ચિત્રો ઉપરથી ખબર પડે છે. સ્થૂળકાય નારી પોતાની નાભિનું પ્રદર્શન કરે તો તે અચૂક બેહૂદી લાગવાની.

મહાભારતનું મુખ્ય સ્ત્રી પાત્ર દ્રૌપદી સાડી પહેરતી હશે. રવિ વર્માના ચિત્ર અનુસાર તે પણ નાભિ પ્રદર્શન કરતી હતી, કારણ કે તેનું ફિગર સ્લિમટ્રીમ હતું. એમ તો ઋષિકન્યા શકુંતલાએ પણ નાભિ પ્રદર્શન કરી પોતાની સુંદરતાની સાક્ષી પૂરાવી છે.જો કે ૧૯૮૦ ના દાયકામાં હિન્દી ફિલ્મ બ્રહ્મચારી બની. આ ફિલ્મના મુખ્ય કલાકારો સ્વ. શમ્મી કપૂર અને મુમતાઝ હતાં.

આ ફિલ્મમાં મુમતાઝે કેસરી સાડી પહેરીને પોતાની નાભિનું પ્રદર્શન કર્યું હતું. સ્વ. રાજ કપૂરે પોતાની ફિલ્મ
સત્યમ શિવમ સુંદરમ અને રામ તેરી ગંગા મૈલીમાં અનુક્રમે ઝીન્નત અમાન, મંદાકિની પાસે સફેદ સાડી બ્લાઉઝમાં નાભિપ્રદર્શન કરાવ્યું હતું.

Friday, February 3, 2012

Know your age with Blood Tests

ટેલોમેયર્સ ટેસ્ટિંગ આગામી પાંચ અથવા દસ વર્ષમાં ઉપલબ્ધ બનશ.૩૨૦૦૦ રૂપિયામાં ટેસ્ટીંગ થઈ શકશે.આપ કેટલા વર્ષ સુધી જીવી શકશો તે વાત હવ સિમ્પલ બ્લડ ટેસ્ટથી જાણી શકાશે. ટુંક સમયમાં એક એવી બ્લડ ટેસ્ટ
વ્યવસ્થા આવી જશે તેના મારફતે આપનું આયુષ્ય કેટલુ હશે તે જાણી શકાશે.

આપનું આયુષ્ય હજુ કેટલુ બાકી છે તે પણ જાણી શકાશે.આપની વય કેટલી ઝડપથી વધી રહી છે અન તેની અસર કેટલી થઇ રહી છે તે વાત જાણી શકાશે. આ પ્રકારની તપાસમાં કોઇ વ્યક્તિના ક્રોમોજોમના ટોચે સ્થિત ટેલોમેયરનું મુલ્યાંકન કરવામાં આવે છે.

ટેલોમેયર્સને કોઇ વ્યક્તિની વય વધવાના સુચક તરીકે ગણવામાં આવે છે.

આ પ્રકારની ચકાસણી ૪૩૫ પાઇન્ડમાં અથવા તો આશરે ૩૨ હજાર રૂપિયામાં થઇ જશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ તપાસ ટેલોમેયર્સના કદથી બતાવી થકશે કે લોકોની વય તેની વાસ્તવિક વય કરતા વધારે છ કે કેમ. તપાસને ફગાવનાર મૈડિ્રડ સ્પેનિશ નેશનલ કેંસર રીસર્ચ સેન્ટરની મારિયા બ્લાસ્કોનુ કહેવુ છે કે જે લોકો
સામાન્ય કરતા નાના ટેલોમેયર્સ સાથે જન્મે છે તે વ્યક્તિનું આયુષ્ય ઓછુ હોય છે.

Wednesday, January 11, 2012

Stylish Looks for Women 2012

વધુ પડતાં સ્ટાઈલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઈલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી. નહીતર એવું ન બને કે સ્ટાઈલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાશો.

આજકાલ પોતપોતાની ચિંતાવાળા યુગમાં સ્કુલ, કોલેજ અને વર્કીંગ વુમનો તેમજ મહિલાઓમાં ફેશનનો એક નશો છવાયેલો છે.

જેમ કે અત્યારે ટ્રેડીશનલ એમ્બ્રોડરી, શાઈની લુક અને ઈંડો વેસ્ટર્નની સાથે સાથે બ્રાઈટ કલરનો લુક વધુમાં વધું જોવા મળે છે. ફેશનની સાથે સાથે થોડુક પોતાનાપણું પણ હોય છે. અને તેને અનુરૂપ સ્ટાઈલીશ વસ્તુઓજોવાની અને બતાવવાની દોડમાં આજકાલની યુવતીઓ પણ ભાગ લઈ રહી છે. આજકાલ બજારમાં ઘણી બધી
સ્ટાઈલના જુદા જુદા બેગ પણ જોવા મળે છે જે આકર્ષક હોવાની સાથે સાથે સ્ટાઈલીશ અને ખુબ જ સુંદર પણ હોય છે. આમાં અલગ અલગ સ્ટાઈથી બનેલ પેપર બેગ, જૂટ બેગ અને પર્સ વગેરેમાં કેટલાય પ્રકારની અગણિત
વસ્તુઓ બજારમાં જોવા મળે છે.

જેના દ્વારા તમે બધાથી અલગ દેખાઈ શકો છો. વળી હવે તો જુદી જુદી બ્રાંડના ખુબ જ સુંદર અને સ્ટાઈલીશ ચપ્પલ પણ મળે છે તેથી તમારા કપડાઓને મેચ થતાં ચપ્પલ ખરીદીને તેનાથી તમારી સ્ટાઈલમાં તમે નવો નિખાર લાવી શકો છો. જો તમારે વધારે સ્ટાઈલીશ દેખાવું હોય અને તમને બંગડીનો શોખ હોય તો તમે તમારા ડ્રેસને મેચ થતી બંગડીઓ પણ ખરીદી શકો છો. જેમાં તમને વિવિધ વેરાયટી મળી જશે જેમ કે હવે તો કાચ સિવાય પણ ઘણી બધી ધાતુની બંગડીઓ મળે છે જે તમને એકદમ ટ્રેંડી લુક આપી શકે છે. હા, જો તમે ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે સ્ટાઈલીશ બિંદી જરૂર લગાવો જેનાથી તમે એકદમ અલગ જ લાગશો. પણ હા બિંદી લગાવતી વખતે તે બાબતનું ધ્યાન જરૂર રાખો કે તે પ્રસંગોનુસાર હોવી જોઈએ. આ રીતે તમે સ્ટાઈલીશ દેખાઈ શકો છો પરંતુ હા જો તમારે વધુ સ્ટાઈલીશ દેખાવું હોય તો થોડા થોડા સમયે તમે તમારો લુક બદલી શકો છો એટલે કે વાળની હેરસ્ટાઈલ બદલો, કપડામાં થોડોક થોડોક ચેંજ લાવો જેનાથી તમે વધું સ્ટાઈલીશ દેખાઈ
શકો છો. પરંતુ વધુ પડતાં સ્ટાઈલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઈલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી.

નહીતર એવું ન બને કે સ્ટાઈલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાશો.

Tuesday, January 10, 2012

Acne Scars Natural Treatments - Without Side Effects

ખીલ થાય એટલે ચોક્કસપણે ચિંતા થાય, દર્દ પણ થાય. પણ ખીલથી થતી શારીરિક પીડા કરતાં એની માનસિક અને સાયકોલોજિકલ પીડા વધુ હોય છે.

સામાન્યપણે કિશોરાવસ્થામાં દેખાતા ખીલથી ચહેરા પર પડતાં ડાઘા-ધબ્બા અને ખાડા વધુ દુઃખ ઉપજાવે છે.
ખીલથી પરેશાન વ્યક્તિ ઘણાં નિષ્ણાત ડોક્ટર્સ, વૈદ્ય પાસે જાય છે. પણ લગભગ એક સલાહ-યોગ્ય આહાર લો અને ખીલ થાય કે તરત જ તેની સારવાર કરો.

એ સિવાય આ નિષ્ણાતો પણ કોઈ સહાય નથી કરી શકતાં. ખીલથી પડેલાં ડાઘા-ખાડા તમે કન્સીલર વડે છૂપાવી શકો છો. તમે કોસ્મેટીક કેમોફલેજ ક્રીમનો પણ ડાઘા છૂપાવવા ઉપયોગ કરી શકો છો. પણ એકવાર અવશ્ય ધ્યાનમાં રાખો કે ખીલ પર ક્યારેફ કન્સીલર ન લગાવશો.આધુનિક સૌંદર્ય વિજ્ઞાન નેચરલ પિગમેન્ટ ઈમ્પ્લાન્ટેશન વડે ડાઘા છૂપાવવામાં દૂર કરવામાં સહાય કરે છે. આ ટ્રીટમેન્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં કુદરતી શાકભાજી અને ખનીજમૂળના રંગદ્રવ્યોને ત્વચામાં દાખલ કરી ત્વચાનો રંગ ઘેરો બનાવવામાં આવે છે કે જેથી ચહેરા પર ડાઘા ન દેખાય.

પિગમેન્ટ ઈમ્પ્લાન્ટેશન ખીલના ડાઘા છૂપાવવામાં સહાય કરે છે. આધુનિક સૌંદર્યવિજ્ઞાને આપણને અન્ય એક ભેટ આપી છે કે સ્કીન પીલીંગ. આ ટ્રીટમેન્ટ ઘરે કે પાર્લરમાં ગમે ત્યાં કરાવી શકાય છે.

તમે ઘરે કરવા ઈચ્છતાં હોય તો તમે સ્કીન પીલીંગ ક્રીમ વાપરી શકો, પણ એનો ઉપયોગ કરતાં પહેલાં કોણી પર લગાવીને એનું પરીક્ષણ કરી જુઓ કે એનાથી તમને રિએક્શન નથી આવતું ને, એની અગાઉથી ખબર પડે. ક્રીમ
લગાવતાં પહેલાં જયાં ક્રીમ લગાવવાનું હોય ત્યાં એટલો ભાગ પહેલાં ચોખ્ખો કરી પછી ક્રીમ લગાવો. ત્વચા બળવાની શરૂઆત થાય કે લાલાશ પડતી જણાય તો ક્રીમ લૂછી નાખી કોલ્ડક્રીમ અથવા મલાઈ લગાવો. ક્રીમ
લગાવ્યા પછસ કંઈ જ રિએક્શન ન આવે તો ક્રીમના કન્ટેનર પર દર્શાવેલી સૂચના મુજબ એને લગાવો. ખીલ, તાજા જ ડાઘા, આંખો, હોઠ અને આંખની આજુ-બાજુ ક્રીમ ન લાગવો. બને ત્યાં સુધી સૂર્યપ્રકાશને ટાળો.

ધીમે ધીમે અને છતાં ચોક્કસપણે તમે અનુભવશો કે ત્વચા લુખ્ખી થઈ રહી છે અને પછી ત્વચા ઉખડી જશે. આ રીતે ડાઘા તબક્કાવાર આછા થતાં જશે. સ્કીન પીલીંગ પાર્લરમાં પણ થઈ શકે છે. પાર્લરમાં સ્કીન પીલીંગ કરવા સ્કીન પીલીંગ પેકનો ઉપયોગ કરાય છે. ત્યારે પછી બ્રશ મશીન અને સક્શન મશીનથી સારવાર અપાય છે. આ
ટ્રીટમેન્ટ ૧પ દિવસે એકવાર કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ ડાઘા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યાં સુધી એને આછાં કરે છે તમે ખીલના ડાઘા પર છૂંદેલું પપૈયું પણ લગાવી શકો છો. જેનાથી પણ ડાઘા આછા કરવામાં સહાય મળે
છે અને આ કામ તો તમે ઘરે પણ કરી શકો છો.

અરોમાથેરાપીસ્ટ પણ ખીલના ડાઘા આછા કરવા કુદરતી આવશ્યક ઓઈલ સાથેની જેલ તૈયાર કરી તમને મદદરૂપ થઈ શકે છે.

ખીલના જૂનાં ડાઘા કે ઊંડા ખાડા માટેની અન્ય એક ટ્રીટમેન્ટ છે. ડર્માબ્રેઝન. આ ટેકનિકમાં ત્વચાની ઉપલી પરપ સંપૂર્ણપણે દૂર કરી પછી એને રૂઝાવા દેવામાં આવે છે.

ડર્માબ્રેઝન ડાઘાની ધારીઓ સ્મૂધ કરી ત્વચામાં ઊભો ખાડો (ખીલની દીવાલ જેવો) કરે છે, જેથી એનો આછો પડછાયો પડે અને ત્વચાનું ડિપ્રેશન જણાઈ ન આવે. આપણે કોલાજન ઈન્જેક્શન ટેકનિક વિશે જોઈએ તો એમાં એનિમલ કોલાજન અથવા જીલેટીન જેવાં બિનહાનિકારક તત્વો ત્વચાની અંદર દાખલ કરવામાં આવે છે કે જેથી એ ફૂલે અને ડિપ્રેશન દૂર થાય.

આધુનિક સૌંદર્ય વિજ્ઞાને ખીલના ડાઘા દૂર કરવાની અનેક નવી ટેકનિકો વિકસાવી છે. જો કે ખીલના ડાઘાની ચિંતા થતાં એનું અનુ એક પ્રોત્સાહક લક્ષણ એ છે કે, વર્ષો વિતવાની સાથે આ ડાઘા વધુ ને વધુ આછા થતાં જાય છે.