આ બલ્બમાં ઝેરી રસાયણ રહેલું હોય છે જે લાંબો સમય ચાલુ રાખવાથી નુકસાન થાય છે.
વીજળની બચત કરતાં બલ્બથી ભલે વીજળીની બચત થાય પરંતુ આ પ્રકારના બલ્બના વપરાશથી કેન્સરનો ફેલાવો કરતું રસાયણ નીકળે છે.
જર્મનીના વિજ્ઞાનિકોએ દાવો કર્યો છે. કે વીજળીની બચત કરતા બલ્બને કોઇ વ્યકિતના માથા પર વધારે વાર સુધી ચાલુ ના રાખવો જોઇએ કારણ કે આનાથી ઝેરીલો પદાર્થ નીકળે છે.
ઊપરાંત ઉંમર લાયકે આ બલ્બનો ઊપયોગ વાંચનમાં કરવો જોઇએ નહ તો વળી બાળકોના રૂમમાં પણ આ
બલ્બને આખી રાત ચાલુ રાખવો જોઇએ નહ.
ડેલીમેલમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ આવાતથી લોકો અજાણ છે કે બલ્બ ટૂટવાથી એની અંદરથી પારાની નુકસાન કર્તા માત્રા નીકળે છે. જયારે અધ્યનમાં એવું પણ જાણવા મળ્યું છે કે આનો ઊપયોગ કરવાથી કેન્સર પણ ફેલાયો છે. જર્મન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બમાં બાષ્પના રૂપમાં રસાયણ
નીકળે છે.
આ પ્રકારના બલ્બમાં નુકસાન કર્તા ચીજોમાં ફેનોલ (બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન નાજીઓએ આ ઝેરનો ઊપયોગ હજારો, લોકોને મારવા માટે કર્યો હતો.) નૈટથાલીન અને સ્ટારીન ભળેલું છે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ પ્રકારના બલ્બો બનાવવામાં જે પદાર્થો વપરાય છે. તે નુકસાનકર્તા છે.
No comments:
Post a Comment